Nawya.in

nawya

Monday, October 29, 2007

21)
..
બાળક


બાળ મજૂર જે સોસાઈટી માં હશે એ સોસાઈટી નુ રજીસ્ટ્રેશન રદ્દ કરવામાં આવશે.આવુ થોડાવખત પહેલા છાપા માં વાંચીયુ હતુ .સાચ્ચી વાત છે ,એનાથી બાળકો નુ અને બાળપણ નુ શોષણ થાય છે.તો
શુ બાળમજૂરી બંધ કરવાથી બાળકો નુ શોષન નહી થાય?કેટલાક બાળકો દુકાન માં કામ કરતા હોય છે,
કેટલાક ભીખ માંગતા હોય છે.કેટલાક કારખાના માં કામ કરતા હોય છે,કેટલાક બુટપોલીશ કરતા હોય છે.
આવા તો કેટલા ઠેકાણે બાળકો કામ કરતા નજર પડે છે. મજુરી એટલે શુ? પૈસા માટે કામ કરવુ? પેટ માટે કામ કરવુ?તો જો એ લોકો કામ કરે છે તો શુ ખોટ્ટુ છે.ભુખ્યા સુઇ જાવાથી બાળકો નુ શોષણ નહી થાય.
પણ કામ કરે એ દેખાય છે,ભુખ્યા સુઇ જાય છે એ કોઇ ને દેખાય થોડી છે?
અમિતાભ બચ્ચન નો રોલ જો એક નાનુ બાળક કરતો હોય,અને એમાં જો એ ડાયલોગ બોલે કે
"ગીરે હુએ પૈસે મૈ નહી ઉઠાતા"તો તાળી ઓ નો ગડગડાટ થાય.અને કેટલા વર્ષો સુધી એ ડાયલોગ બધાને યાદ રહે.
ત્યારે કોઈ ને એમ ન વિચાર આવે કે બાળક મજૂરી કરે છે. મારા ઘર પાસે એક મંદિર છે. ત્યા ભિખારી ઓ નુ એક ટોળુ બેઠુ હોય.હુ બહુ વાર એમને જોતી હોવ, અને એમની વાતો સાંભળતી હોવ.એમાં એક માં હતી, જેને હર વર્ષે એક બાળક આવતુ હોય.એક વાર મારાથી એને કહેવાઈ જ ગયુ "કે તુ આટલા બાળકો ને લઈ આવે છે તે ખાલી ભીખ માંગવા માટે જ ને? તો શુ કામ જન્મ આપતી હોઈશ?તો જવાબ મલ્યો"હુ એકલી કામ કરુ છૂ તો મને દિવસ નાં ૩૫ રુપિયા મલી રહે છે.પણ એમાં કોનુ પુરુ થાય. તો જેટલુ કુટુંબ મોટુએટલા પૈસા વધારે આવે ને."હુ એને ન જ સમજાવી શકી કે કુટુંબ જ નાનુ હશે તો પૈસા વધારે જોઈશે જ શુ કામ?
ત્યા હુ જોઉ ને કેટલી નાની છોકરી ઓ માં બની જાતી હોય છે.અહિયા ગવર્મેન્ટ નાં કોઈ નિયમ લાગુ નથી પડતા.બાળકો નુ શોષણ ગરિબ વર્ગ માં જ થાય છે એવુ નથી.પૈસાદાર ઘરો માં,સંસ્કારી ઘરો માં પણ એટલુ જ થાય છે.
માતા પિતા જ્યારે બાળકો ની સામે જોર જોર થી જેમ ફાવે તેમ જગડતા હોય છે.ત્યારે એમને ખબર નથી હોતી કે બાળ માનસ પર કેટલી ખરાબ અસર થાતી હોય છે.કોઈક ઘરમાં વડિલો બાળકો ની સામે એમનાં માતા પિતા ને જેમ ફાવે તેમ બોલતા હોય છે .એ બાળકો એ વડિલો સાથે કોઈ દિવસ સરખી રીતે વાત નથી કરી શકતા.ત્યારે પાછુ એમને સંભળાવવા માં આવે કે મા એ કાંઇ શિખવ્યુ નથી .બાળકો વિચારતા થઈ જાય કે શુ છે આ બધુ?
એમા હવે બાળકો નાં પ્રોગ્રામ નીકળ્યા છે.ઇનામ ની રકમ ૧૫ લાખ રુપિયા.
ગીત ગાવાની હરિફાઈ,સારુ dance ની ફરિફાઈ
મે એ પ્રોગ્રામ જોયા છે, માનશો નહી પણ અઠવાડિયાં માં એક વાર એક બાળક એ હરિફાઈ માં થી બહાર નીકળવા નો હોય.એ દિવસે તો એ બાળકો નુ જે શોષણ થાય છે એ કોઇ ને નથી દેખાતુ.
જે બાળક નુ નામ જાહેર થાય એ જે રીતે રડતુ હોય એ જોઈને રુવાડા ઉભા થઇ જાય .
અને એ બાળકો જ્યારે અમનાં માતા પિતા ને જોતુ હોય ત્યારે એની આંખો માં જે ડર હોય છે એ જોઇને મને એમ થાય કે એ માતા પિતા ને એમની ઉંમર માં ખબર હતી કે ૧૫ લાખ લખાય કેવી રીતે?
અરે એક વર્ષ નાં બાળક ને હવે તો કામે લગાડી દીધા છે.દુધ નાં પાવડર માટે ની એડ. માટે સારુ તંદુરસ્ત બાળક જોઇયે છે.માતા ઓ અને પિતા ઓ ની લાઈન લાગી.દિવસ નાં ૫૦૦ રુપિયા મલવા નાં હતા ને.
સવાર નાં ૯ વાગે નીકળી તે આવતા સાંજ પડી ગઈ.આ શોષણ નથી તો શુ છે?
મે માતા પિતા ને બાળકો ને સંભળાવતા જોયા છે કે ,
"જરા શિખો બહાર નાં દેશ માં તો ssc પતે એટલે બાળક પોતાનો ખર્ચો પોતે કાઢવા લાગે."
અરે એ માતા પિતા ને કોણ કહે કે,બહાર નાં દેશ માં બાળકો ને પોતાનાં નિર્ણય લેવાની છુટ હોય છે.એ પોતાની મરજી થી જિંદગી જીવી શકે છે.જ્યારે આપણે ત્યા તો માતા પિતા કહે એ જ સાચ્ચુ હોય છે.બાળકો ને કાંઇ પુછવા માં નથી આવતુ.
અરે હુ તો કહુ છુ જો ઘર બદલી કરવાનુ હોય તો પણ બાળકો ને પુછો કે તને વાંધો નથી ને.એને ઘર બતાડવા લઈ જાઓ.એનાંથી એને એમ થાશે કે એનુ પણ મહત્વ છે.આગળ જાતા એ પણ માતા પિતા ને પુછી ને પગલુ ભરશે.
હમણા તો હોસ્ટેલ માં મુકવા ની ફેશન ચાલી છે.આગળ જાતા માતા પિતા એ પણ એકલા રહેવાની તૈયારી રાખવાની.કારણકે એને તમે જ આદત નથી પાડી સાથે રહેવાની.પછી એ બાળકો ને દોષ દઈને કોઇ ફાયદો નથી.
પહેલા નાં જમાના માં ઘર નાના હતા તોય બાળકો ને ખબર ન પડતી કે ઘર માં શુ તકલીફ છે ?
માતા પિતા ક્યારે વાત કરી લેતા એ પણ બાળકો ને ખબર ન પડતી.
પણ આજનાં માતા પિતા ભણેલા છે ને,એટલે એમને ખબર જ નથી કે બાળકો ની સામે કેટલુ અને કેવુ બોલવુ જોઈયે.

બસ છેલ્લે એટલુ જ કહીશ કે ,
બચપન માં બચપન ને
ખિલવાની જગા આપો
તો
યુવાની માં એમને, વડિલો ને સાચવો ,
એમ કહેવુ નહી પડે.


13 comments:

Anonymous said...

તમારી વાત ઘણી જ ગમી... ખાસ કરીને હમણાં હમણાં ચાલુ થયેલી આ હરિફાઈની વાતો... વિચારવા જેવી વાત છે... તમે હકીકતનું બારિક અવલોકન કરીને સુંદર શબ્દદેહ આપ્યો છે... અભિનંદન!

ઊર્મિ
www.urmisaagar.com

Anonymous said...

નીતાબેન, આ ગધલખાણને એવી જ રીતે જ 'લેફ્ટ જસ્ટીફાઇડ' કરશો તો વધારે સારું લાગશે... ગદ્ય વાંચતી વખતે આ'સેંટર્ડ' ફોર્મેટ થોડું કઠે છે... મારા મતે!!

Ketan Shah said...

Excellent, Excellent, Excellent...

બચપન માં બચપન ને
ખિલવાની જગા આપો
તો
યુવાની માં એમને, વડિલો ને સાચવો ,
એમ કહેવુ નહી પડે.

Bahu j saras lakhyu che. Whole article is Superb.

Ketan

Anonymous said...

સુંદર વિચાર ને સુંદર અવલોકન... ચિંતન માગી લે એવી વાત છે...

Anonymous said...

અરે નીતાબહેન, ખૂબ દીલનો ઉભરો કાઢ્યો. તમારી વાત અક્ષરશઃ
સાચી છે. બાળકોનું શોષણ ડગલેને પગલે થાય છે. આ વર્ષે હું ભારત
લગભગ બે મહિના ભાવનગર રહીને 'ઝુંપડપટ્ટીના' બાળકોને મળી
અભ્યાસ કર્યો હતો. તમારી લખેલી વાત વારંવાર વાંચીશ જો આપણે
તેને સુઝાવવામાં કંઈ પણ યોગદાન આપી શકીએ તો મારી જાતને
ભાગ્યશાળી સમજીશ.

...* Chetu *... said...
This comment has been removed by the author.
...* Chetu *... said...

આપણે આ બધુ જોઇ ને સમસમી જઇએ છીએ..ઘણી વાર ઇચ્છા હોવા છતા દરેક બાળકો ને મદદ કરી શકતાં નથી પણ કહે છે ને કે કલમ માં એવી તાકાત છે કે માનવી નું હ્રદય પરિવર્તન કરી શકે છે...આવા બધા લેખો થી આપણે સમાજ નુ ધ્યાન જરુર ખેંચી શકીએ..!..

સુરેશ જાની said...

બહુ જ સરસ અવલોકન.
પણ આપણા સમાજે બીજાઓની સમસ્યાઓ સમજવાની સંવેદનશીલતા ગુમાવી દીધી છે. કોઈ ગાંધીજી, ઠક્કરબાપા કે રવીશંકર મહારાજ હવે પેદા થશે કે કેમ?
તમારા આવા વીચારો જરુર આપતા રહેઓ. ક્યાંક કોઈ એક જણની પણ આંખ ખુલી જાય તો આ પ્રયત્ન સાર્થક બનશે.

Anonymous said...

Wonderful, Bravo,
Just like you, I strogly oppose the children special reality shows. Its totally a blinder. Through such foolish programs 'the seed of failure' is sown in their tender minds, which is very much dengerous for their future. This should be banned. I cann't undrstand why parents do not understand such a simple thing? are yaar, it is your own child. It is not piece of exhibition. Parents should help thier child do grow the talent, not to hamper thier skills.
I have become little beat harsh. But i don't regret for that.

Jay said...

આ સુંદર લેખ બદલ હાર્દિક અભિનંદન..

બાળકોનું શોષણ હવે ભણતરમાં પણ થવા માંડ્યુ છે. ભારતમાં બાળકે સવારથી સાંજ સુધી શાળામાં તો જવાનુ જ પણ પછી આવીને ટ્યુશન પર પણ જવાનુ. શાળાના જ શિક્ષકો ટ્યુશનના વર્ગો ચલાવી શું બાળકોનુ શોષણ નથી કરતા? માતા-પિતા પોતાનું બાળક સારૂં નહિ કરે એ બીકે ટ્યુશન ક્લાસમાં એને મોકલે છે. શા માટે? બાળકનું બંને બાજુથી શોષણ થઈ રહ્યુ છે. મારા મત પ્રમાણે માતા-પિતા પોતે જ શીખીને પોતાના બાળકને ભણાવી શકે છે.શિક્ષણનું વેપારીકરણ અટકાવી શકે છે. જે ઉંમરે નવા શોખ કેળવાવા જોઈએ એને બદલે ટયુશનના આંધળા અનુકરણમાં બાળકનો સર્વાંગી વિકાસ રુંધાઈ રહ્યો છે.

જય
http://bansinaad.wordpress.com

Unknown said...

હું જયભાઈની વાત સાથે સહેમત છું.

આ બધું ક્યાં જઈ અટકશે?

Anonymous said...

ખુબ જ સરસ લેખ છે,આજ ની આ સાચી વાત તમે લખી છે.આ વાંચી ને ખરેખર આંખો મા પાણી આવી ગયુ.

pheena said...

Neetaben this thought will bring awarness very good