Nawya.in

nawya

Saturday, March 15, 2008

48)

આપણે બહુ વાર સાંભળીયુ છે , બહુ બધા લોકો પાસે થી કે ...
લાગણી ઓ ને વાચા ન અપા।
મન માં હોય એ બધુ ન બોલાય...
બહુ સારુ ન થવાય...
બહુ સાચ્ચુ ન બોલાય...
થોડુ સહેન કરતા સિખાય...
થોડુ ચુપ રહેતા સિખાય...
થોડુ ભાર માં રહેતા સિખાય...
આપણા થી લોકો ડરે એવો સ્વભાવ રખાય॥
બહુ પડી ન જવાય॥ બહુ પ્રેમ ન બતાડાય...
મને ખબર નથી પડતી કે શું સાચ્ચુ અને શું ખોટુ।?
શું કામ લાગણી ઓ ને વાચા ન અપાય????????
મને એ જ નથી સમજાતુ
અગર તમને કોઈ ગમે છે કે, તમે કોઈ ને પંસદ કરો છો તો શું કામ ન કહેવાય????...
શું કામ જે તમારા મન માં છે એ ન બોલાય????
શું કામ તમને જે ન ગમે એ બાબત માં પણ તમે કાંઇ નથી બોલતા???....
મન માં હોય એ કેમ ન બોલાય?????
સાચ્ચુ શું કામ ન બોલાય????
આમ આપણે બુમો પાડી ને પોતાનાં હક્ક માટે જગડતા હોઈયે છીયે છે...
પણ આપણે આપણા સાથી સાથે પણ હક્ક માટે લડીયે છીયે છે???
થોડુ ચુપ રહેતા સિખાય,
શું કામ????
આપણને જે મન માં આવે એ આપણને બોલવાનોં હક્ક છે॥
તો શું કામ ચુપ રહેવાનું?????મને નથી સમજાતુ...
થોડુ ભાર માં રહેતા સિખાય,....શું કામ સિખાય????????
મને નથી સમજાતુ...હસતા રહેવામાં વાંધો શું છેં॥
મે બહુ બધા એવા ચહેરા જોયા છે કે જેમણે હસવા માટે પ્રયત્ન કરવો પડે॥
આમ એ હસે તો એમ થાય કે જોઈ આવીયે કે સુરજ બરોબર ઉગ્યો છે કે નહી...
દુનીયાં આપણાથી ડરે એવો સ્વભાવ રખાય..
પણ શું કામ??
એ તો સૌથી મોટુ પાપ છે કે આપણા થી કોઇક ડરે...
અરે એવુ થાવુ જોઇયે કે આપણા પ્રેમ ની અસર એવી હોય, કે આપણા બચ્ચાઓ પ્ણ આપણાથી ડરે નહી॥
આપણા પ્રેમ નાં લીધે તેઓ એવુ કોઇ કાર્ય કરે જ નહી કે જેનાથી આપણને શરમાવુ પડે....
પણ બસ બધુ પ્રેમ થી જ જીતી લેવાય...
હુ મારા બ્લોગ માં લખુ છુ જે વાતો એની માટે બહુ બધી વાર મને mail આવે કે તમને શું પંચાત????
ઓળખીતા ઓ કહે તો તેઓ મારા સારા માટે કહે છે કે આ સ્વભાવ ને હિસાબે હુ કોઇક દિવસ મુશ્કેલી માં પડી જાઈશ એટલે કહેતા હોય છે કે શું કામ દુનીયા આખાની પંચાત કરે છે ?????????


પણ હુ ચુપ નથી રહી શક્તી...
હુ શું કરુ॥??? અને એ બધુ બ્લોગ પર લખવાનું કારણ એક જ કે plsssssss ગાંધારી બનવાનું બંધ કરો....
કે આપણા થી મોટા જો ચુપ છે આને પટ્ટી બાંધી ને બેઠા છે તો આપણે પણ ચુપ જ રહેવાનુ????
ના ન રહો ચુપ॥ધીમે ધીમે દુનીયા બદલાશે॥ હમણા ની જ એક વાત કહુ તો,
મારા એક ઓળખીતા, મારા બહુ પંસદીદા બેન, અને લગભગ ૫૫ વર્ષનાં,, ...
જ્યારે મલે ત્યારે મારી પાસે બીચારા ઉભરો કાઢે કે "મારા જીવન માં બીલ્કુલ શાંતી નથી॥મારે જીવવુ નથી"...
હુ એમને થોડુ હસાવતી પણ અમારે જુદા તો થાવુ જ પડતુ...
એક દિવસ સમાચાર મલ્યા કે એ બેન એ કાંઇક પી લીધુ છે અને કોમા માં છે...
કોઇ નહી વીચારી શકો કે મને કેટલુ દુ;ખ થયુ હતુ...હુ એમને જોવા પણ ન ગઈ ॥મારી જિંદગી માં મે થોડા ઉસુલ રાખ્યા છે...કોઇક ગુજરી જાય તો હુ આભડવા જાવ પણ ઉઠ્મણા માં જાવુ હોય તો જ જાવ
એમ જ હુ એમને જોવા પણ ન ગઈ...
કારણકે હવે ખાલિ ઘરનાં ને સારા દેખાડવા જાવાનુ હતુ॥ મે ઘર માં બેસી ને એમનાં માટે પ્રાર્થનાં કરી કે હે ભગવાન જો એ સાજા થાવાનાં હોય તો ઠીક છે નહી તો એમને લઈ લે॥ બીજા ૩ દિવસ માં સમાચાર આવ્યા કે તેઓ શ્રીજીચરણ પામ્યા છે॥મે એમનાં આત્માં ની શાંતી માટે પ્રાર્થનાં કરી॥ જિંદગી એની ઝડપે ચાલતી હતી ॥પાણ મનમાં અટક્તુ હતુ કે એવુ કયુ દુ;ખ હશે કે એમણે આ પગલુ ભર્યુ॥ભરેલો સુખી પરીવાર હતો॥દીકરા દીકરી બધુ હતુ॥એમનાં ઘરે પણ બાળકો હતા॥પૈસે ટકે સુખી હતા॥કોઇ તકલીફ દેખાતી ન હતી તો તેવુ શુ થયુ હશે ??પણ કોને પુછવુ?
વાત એમની સાથે જ ચાલી ગઈ હતી...
।મહીનાઓ વીતી ગયા એ વાતને,
એકવાર કોઇ હુ બહાર ગઈ ત્યા એમનાં પતિદેવ મલ્યાં,મે પહેલા પણ કોઇ દિવસ એમની સાથે વાત ન કરી હતી ....અને મારી સખી એ( શું કહુ એમને, ત્યારે તો અમારા સંબધ ને કાંઇ નામ નહોતુ નામ વગર નામ નો સંબધ હતો॥ )આત્મહત્યા, કરી ત્યારથી તો હવે કોઇ સવાલ જ ન હતો એમની સાથે વાત કરવાનોં॥તેઓ મલ્યા..મને સામે થી બોલાવીને કહ્યુ કે મલો આ મારા બીજા પત્ની ને... અને મારુ માથુ ફરવા લાગ્યુ..મે કાંઇ પણ જવાબ ન આપ્યો..કાબુ રાખીને ચાલી ગઈ। ૨ કલાક રહીને પાછી ફરી ત્યારે તે ભાઈ પાછા મલ્યા..એમનાં નસીબ ખરાબ કે મારા, મને નથી ખબર..શાક વાળા પાસે મલ્યાં..ભૈયા એ એને પુછ્યુ "માજી કો ક્યા હો ગયા થા' તો કહે ભુલ જા અબ વો માજી કો દેખ મૈ દુસરા ખીલોના લે કે આયા હુ.. અને નીતા બેન નો પીત્તો ગયો.. મે કહ્યુ ભાઈ એમાં રાજી ન થાવ આ બેન નું મોઢુ જુઓ આવા શબ્દો સારા નથી લાગતાં,,,અને જેમણે પોતાનું જીવન ટુકાવ્યુ છે એમની હાઈ તમને છોડશે નહી। .. અને હુ ત્યાંથી ચાલી નીકળી.. હ્રદય ને થોડી શાંતી થઈ કે મારા સખી ને મે આજે સાચ્ચી શ્રધ્ધાજંલી આપી..હવે તમે જ કહો કે અહિયાં ચુપ રહીને ચાલી આવત તો હુ સારી..એક સ્ત્રી ની આટલુ મોટુ અપમાન કેમ ચલાવી લેવાય..ભલે એનાં હિસાબે જ કદાચ મારા સખી એ આત્મહત્યા કરી હશે..પણ મારા થી ચુપ ન રહેવાય..બધા કહે છે કે નીતા તુ પંચાત ન કર..પણ હુ કોઇનાં ઘરે તો નથી જાતી પંચાત કરવા..એવી બહુ બધી વાતો છે કે જેમા હુ ચુપ રહુ છુ..પણ એ હવે છોડી દઈશ..જે થાવુ હોય તે થાય... mail કરવા વાળા ઓ કહે છે કે આ બધુ અમને કહીને તમે તમારી બહાદુરી બતાડવાં માંગો છોં..હુ એમને કહેવા માંગુ છું, મને કોઇ ઇનામ નથી મલવાનું..પણ આ દુનીયામાં બહેનો બહુ બધુ ચુપચાપ સહેન કરે છે..અને હુ એમ કહુ છુ કે ભાઈ લોકો પણ જ્યાં બોલવાનુ હોય ત્યાં નથી બોલતા અને જ્યાં ન બોલવાનું હોય ત્યાં ચાલુ જ હોય છે... એક બીજાને માન આપો..અને સન્માન આપો..કોઇ કોઇથી ગભરાવ નહી અને કોઇ આપણા થી ગભરાય એવુ ઈછ્છો નહી બસ ફક્ત પ્રેમ આપો કારણકે જે આપશો એ મલસે એ ભગવાનનાં ઘર નો નિયમ છે॥તો મારા બ્લોગ ને કોઇ ખોટી રીતે ન લો..અને હુ શું કહેવા માંગુ છું એ સમજો...plsssssssssss અને જેમને ન ગમે એ ન વાંચો..મને એકે પ્રતિભાવ નહી મલે તો પણ ચાલશે...


11 comments:

Anonymous said...

DEAR NITA,

IT WAS GOD'S WISH TO SEE YOU WITH OTHERS IN MUMBAI AND MY WIFE LOVED YOUR COMPANY WITH OUR INTERNET CONNECTION IN BLOGERS WORLD.
MIND AND THOUGHTS OF LIVING WITH BRAIN DO HAVE THE SAME QUESTIONS.
ONLY WISE IN THE LIFE LEARNS WHAT IS THE BEST WAY TO ACT AS AN ACTOR .
AS YOU KNOW WE ARE AN ACTOR AND LIVING ON THE LAND IS THE PLAY THEATRE.

www.bpaindia.org
www.yogaeast.net
AND TRIVEDI PARIVAR

હું.. દિગીશા શેઠ પારેખ, said...

hmmm..very good vry nicely..arranged the wrd..pan ama koi "panchat"..karava no sabd j peda nathi thato..tamara vichar par badha potana vichaar raju kare che...kem ke ena pachad koi feelings hoy che..tamari vaat ma story ya exmpl hoy che e babat par badha potana vichaar raju kare che..e pstv to che j ne..badah dil kholi ne to ke che..tame evu j ichcho cho ke badha bedhadak kahe..je anubhave e kahe..emaj thaay che..neetaben.tame tamari ajubaju je dushano che je khoti vastu che..e lakhi badhani ankh kholava try karo cho..pan enathi e j vichari ne tamane ketalo stress pahoche che..e vicharyu??e sari rite lakhava..type karav adarmyan tame ej stress ma ro cho..kharu ne??pan mara mate tamare kaik khushu valu bane..kaik saru bane aju baju e pan saras rite lakhavu joie..to tamane pan ananad avase ne e pstv thinking thase tamaro astma andar thi badlaase bass biju kai nahi..i wish 4 tht.

Anonymous said...

Hello Neeta
Nobody is saying keep your mouth shut when you see unjustice. Lots of things are happening around us. We have to try best to help the people.
Everybody is not cruel and shameless. You can show your feelings whichever way you choose. Keep in mind it won't affect adversely to you.
Please take care and control your emotions. Try to look good and bright side around you. Be cheerful. Remember "SATYAM BRUAYAT

"PRIYAM BRYUAT"
pravina Kadakia

nilam doshi said...

nice..keep it up...congrats....neeta..well done...


nilam..doshi


http://paramujas.wordpress.com

. said...

exlent.........aapne bija na praman patra mate thoda jivi e chhie??????
Ashok kaila

Anonymous said...

Hello mami
i like ur thinking.
gv my regards to everyone at home.
bye.

vaishali

Punit said...

બેના,
તમારા વિચારો તદ્દન સાચા છે, પરંતુ ક્યારેક સમય અને સંજોગોને આધિન થઈને આપણે ચુપ રહેવુ પડતું હોય છે, એવું નથી કે આપણે ગાંધારી બનીને જીવવુ પણ ક્યારેક આપણે ધ્રુતરાષ્ટ્ર પણ બનવુ પડતું હોય છે.
બાકી રહી વાત પંચાતની તો મને એક વ્યક્તિતો બતાવો જેણે ક્યારેય કોઈની પંચાત ના કરી હોય. અને સાચુ કહું તો તમે પંચાત નથી કરતા પણ ચિંતા કરો છો. ચિંતા અને પંચાતામાં જમીન-આસમાનનો તફાવત છે, અને જે લોકો ચિંતાને પંચાત સમજતા હોય તેમની ચિંતા આપને છોડી દેવી જોઈએ.
- પુનિત ઠક્કર

Anonymous said...

tamara manana vicharo e sarji varta gaamfoi
please visit www.vijayshah.gujaratisahityasarita.org
www.vijayshah.wordpress.com
Thanks

Anonymous said...

Neetaben...Tame tamara vicharo lakhya ane hayyanu kahididhu ema jara pana bhul nathi...laagnio prabhue aapi chhe ane ene shabdothi darshavo ke prabhune kaho...aa bannema sachchai hovi joye....jo sachchai hoy to daar shano ?Dr. Chandravadan Mistry
PLEASE VSIT CHANDRAPUKAR to feel my feelings in my POEMS & other matters...My Gujarati is not GREAT..

Anonymous said...

Nitaben..Just visitedyour blog yesterday & revisitning...I forgot to post my contact...Email address is emsons13@verizon.net.....and the web at www.chandrapukar.wordpress.com
Your visit to my BLOG will be really appreciated and I am waiting to read your comments..
DR. CHANDRAVADAN MISTRY
LANCASTER CA USA

Unknown said...

નીતા,
તારી વાત સાચી છે. પણ ઘણી વખત એવું થાય છે કે ભેંસ આગળ ભાગવત જેવું થાય છે. જેને આપણી વાતની પડી જ ન હોય તેને કહીને પણ શું ફાયદો?
હા ! અવાજ ઉઠાવવો જરૂરી છે.