Nawya.in

nawya

Friday, June 27, 2008

પથ્થર દિલ
.....................
તારા સિવાય દુનીયા ખાલી હતી, એવુ ન હતુ,
પણ તારા વગર દુનીયા સુની લાગશે એ નક્કી છે

તારા સિવાય બીજા દોસ્તો નથી, એવુ નથી ,
પણ તુ નારાજ રહીશ,
તો હુ હાસ્ય ભુલી જાઈશ એ નક્કી છે.

તુ મને ન ચાહે એ ચાલશે,
પણ મને જો તને, ચાહવા નહી દે, તો હ્રદય ટુટશે એ નક્કી છે.

તુ મારી થાય કે નહી, એ જરુરી નથી
પણ તને મારા સિવાય કોઇ નહી સંભાળે તો હુ
જીવી નહી શકુ એ નક્કી છે.

તને પથ્થર દિલ બનાવી એમાં મારા હ્રદય નો શું વાંક?
હુ તારા જેવી નહી બની શકુ એ પણ નક્કી છે।
.........
નીતા કોટેચા


9 comments:

સુરેશ જાની said...

ચી.નીતા,
આમ થાય ત્યારે આવા જ વીચારો આવે. તેમ થવું એકદમ સ્વાભાવીક છે. મને, તને, તેને, સૌને - જેને લાગણી હોય તેને આમ જ થાય.
પણ એને અતીક્રમી શકે તે વીર.
આપણા દુખનું કારણ એ હોય છે, કે આપણે સીમીત શક્યતાઓથી જ ટેવાયેલા હોઈએ છીએ. એ શક્યતાઓ પડી ભાંગે ત્યારે આપણે પણ પડવા માંડતાં હોઈએ છીએ.
પણ વીરને માટે અનેક શક્યતાઓ હોય છે - વીર જ કેડી પાડી શકે છે - સામા પ્રવાહે તરી શકે છે.
માટે વીર બનો - બાપડા, બીચારા કદી નહીં. ...
Live this moment powerfully.

વિવેક said...

સુંદર અભિવ્યક્તિ....

nilam doshi said...

neeta.somehow i dont want to read this type of writing from u. i want that u be happy..and write that type only.forget everything. sureshdadani vat sachi che. follow it.

sorry 4 advice...

Anonymous said...

ખૂબ સુંદર
ગીતનો અંતરો માણું છું ત્યારે કરુણ રણકો સંભળાય છે.
તુ મારી થાય કે નહી, એ જરુરી નથી
પણ તને મારા સિવાય કોઇ નહી સંભાળે તો હુ
જીવી નહી શકુ એ નક્કી છે.
વાહ્
સ્મરણો વારંવાર આપણી સંવેદનાના તાર ઝણઝણાવી દે છે.સંવેદનાની આ વીણામાંથી કયારેક મધુર તો કયારેક કરુણ સંગીત વહેતું રહે છે.ઘણી વખત તો એ નક્કી નથી થતું કે આ સ્મરણો આપણને સુખ આપે છે કે દુ:ખ. જિંદગીનો હિસ્સો બની ગયા હોય તેવાં આ સ્મરણો કયારેય ભૂલી શકાતાં નથી,આવાં સ્મરણો જ ઘણી વખત આપણી સંવેદનાને જીવતી રાખતાં હોય છે!
શું સેવ કરવું અને શું ડિલીટ કરવું તેની સમજ જરુરી છે.મને પથ્થર દિલ પર યાદ આવે છે
સંગદિલકો સંગલે કર , સંગ દિલકે ઘર ગઈ
જીસકા દિલથા સંગે મરમર ઉનકે સંગ મરમર ગઈ
પ્રજ્ઞાજુ

Unknown said...

બહુ વખતે લખ્યુ ને દોસ્ત..!! ભાવો ને સારી રીતે વર્ણવ્યા છે.. પણ સાચુ કહુ તો આ કવિતા વાંચતા વાંચતા મને દિગીશા ખુબ યાદ આવી ગઈ..દિગીએ પણ આપના જેવી જ કોઇ વાત લખી હતી... એકાદ-બે મહિના પહેલા... હજીયે એના બ્લોગ પર છે.. હા.. યાદ આવ્યું... ૩મે ના લખી હતી અને આપે પણ એને વખાણી હતી...અહી એ યાદ જરા તાજી કરીલેવાનું મન થયું..'' http://divya-bhaav.blogspot.com/2008/05/blog-post.html '' ખરેખર.. વાત જ એવી છે.. તમારા અને દિગી ના વિચારો સાવ જ મળતા આવે છે.. ખુબ સરસ... આખરે બન્ને મુંબઈ ના પાણી ને..!! ;) આભાર આપનો.. અમને આટલી સરસ રચના માણવા મળી.....

Anonymous said...

jaisrikrisna mami,



dont worry life ma badhaj anubhav thava jaruri che.hu roj ek navi proablem thi jagdu chu n pachi himmat thi ubhi thaine agad vadhu chu.ahi london ma koi koi nu nathi,jatej badhu karvanu che,pan bhagvan ne kyarek to raham avse apda jeva loko par.



take cr.



love u

vaishali

Anonymous said...

બહું જ સરસ અને પ્રત્યાભાવો વાંચી આનંદ ફીલ્મનો એક સંવાદ યાદ આવ્યો
ક્યા ઉદાસીભી ખુબસુરત નહીં હોતી બાબુ મોશાય

Anonymous said...

Neetaben...May God be with you & guide you....Remove all negative feelings & march forward with POSITIVE THOUGHTS. CHANDRAVADANBHAI

Unknown said...

તારા સિવાય બીજા દોસ્તો નથી, એવુ નથી ,
પણ તુ નારાજ રહીશ,
તો હુ હાસ્ય ભુલી જાઈશ એ નક્કી છે.

નીતા
તુ લખે છે તો દિલથી
એક વાત ધ્યાનમાં રાખવી આપણા સહુ માટે હિતકારક છે તે એ છે કે જે થાય છે તે સારા માટે થાય છે અને એ સ્વીકારી આનંદમાં રહેવું.જે થઈ રહ્યું છે તેમાં પ્રભુનો સારો સંકેત હશે. દુઃખ એ સુખનો દરવાજો છે.