Nawya.in

nawya

Thursday, July 31, 2008

હાય આ રાજકરણ



કોઇક બે છોકરા ઓ આસારામ બાપુ નાં આશ્રમ માં મ્રુત્યુ પામ્યા હતા.કદાચ કોઇને યાદ પણ નહી હોય હવે તો..આટલા મોટા બોંબ બ્લાસ્ટ પછી અને આટલા લોકો નાં મ્રુત્યુ પછી...બરોબરને????


ચાલો બાપુ ને આતંકવાદીઓ એ બચાવી લીધા..માણસોનું મગજ હવે એ વિચારવાનું બંધ કરી દેશે..અને પાછુ કોઇક એમ કહેશે કે એક સંત પર આરોપ મુક્યો એટલે આવુ બધુ થયુ...કેટકેટલા આરોપો ગોતાય છે હવે એમનાં ખિલાફ..


આટઆટલાવખત થી ક્યાં હતા બધા.આટલા વખત થી તો એમને ભગવાન નું સ્થાન આપી દીધુ હતુ..જે દિશા માં હવા જાતી હોય એ દિશા માં પત્રકારો દોડે...શું કામ એક સાદા સીધા બે હાથ અને બે પગ વાળા માણસ ને આપણે ભગવાન બનાવીને બીચારા ને માનવ પણ નથી રહેવા દેતા. આ બધામાં આપણી જ ભુલ છે.


ભગવાન છે કે નહી? એ સવાલો હજી લોકો કરતા હોય છે પણ આવા કેટકેટ્લા આસારામ ને આપણે ભગવાન બનાવી નાખ્યા છે


ઉપર બેઠો બેઠો પ્રભુ એ વિચારતો હશે કે હવે હુ આમાં શું શું સુધારુ?


મારા ઓર્કુટ એકાઉન્ટ માં મે સોનીયા ગાંધી,ઈંદીરા ગાંધી બધાનાં ફોટા રાખ્યા છે મને એક જણ કહે કે નીતા બેન તમે કોગ્રેસ ને માનો છો? મે કહ્યુ "ભાઈ હુ કોઇને એ નથી માનતી.આ તો હું સ્ત્રી શક્તી ને માન આપુ છુ એટલે એમનાં ફોટા રાખ્યા છે..મને કહે કમસેકમ સોનીયા નો તો ફોટો કાઢો મે કહ્યુ પણ"ભાઈ તમને શું વાંધો છે?

તો કહે 'આપણે ગુજરાતી ઓ એ તો ભાજપ ને જ મનાય"

મે કહ્યુ કે"હુ કોઇને એ નથી માનતી"

પછી જરા ચર્ચા વધી એ જરા વધારે પડતુ ભાજપ નાં આગ્રહી હતા અને મને સમજાવતા હતા કે "સોનીયા તો ઇટાલી ની છે એટલે એનો તો કોઈ હક્ક નથી જ આપણા દેશ પર"

પછી મારો મગજ પરનો કાબુ ગયો..

મે એમને કહ્યુ"ભાઇ તમારા ઘર વાળા, મમ્મી નાં ઘરે કયા ભગવાન ને માનતા હતા?

તો મને કહે "કેમ વાત બદલાવો છો?"

મે કહ્યુ" જવાબ તો આપો"

તો કહે"સ્વામીનારાયણ"

મે પુછ્યુ"હવે?"

તો કહે"અમે ચુસ્ત પુષ્ઠીમાર્ગી છીયે.એટ્લે હવે મારી પત્ની હવે વૈષ્ણવ ધર્મ પાળે છે"

મે પુછ્યુ "કેમ એનો ધર્મ બદ્લાવ્યો?

તો કહે "લે પત્ની તો પરણે એટ્લે એણે બધુ એ જ અપનાવવું પડે ને કે જે એના ધણી નું હોય "

મે કહ્યુ"તો એનું પોતાનું કાઇ નહી"

તો કહે"ના"

તો મે એમને કહ્યુ"ભાઇ તમે કહો છો આ બધુ, તો સોનીયા ને તમારા ભાજપ કે બીજી જે પાર્ટી હોય એમને રાજકરણ માં ઉભા રહેવાં ન દીધુ ફક્ત એટ્લુ જ કહીને કે એ ઈટલી ની છે એ બોલવાવાળા ઓ ને શરમ ન આવી કે એક સ્ત્રી શક્તી થી ડરી ગયા.

તમારા ગુજરાતી બચ્ચા નરેન્દ્ર ભાઇ પર તમને આટલો પ્રેમ છે.મને વંધો નથી, તમે કરો એને પ્રેમ. પણ શું જરુરત હતી ભાષણ આપીને બહાદુરી બતાડ્વનો કે અમારા ગુજરાત માં આવુ થાય તો હુ દેખાળી દઉ, લ્યો એમણે કરી બતાળ્યુ..શું ઉકાળી લીધુ? હવે શું કરવાનું? બળેલા બોંબ માં શું પદાર્થ વાપર્યો હતો? જેમને ત્યાં ગુજરી ગયા એમને વળતર આપવાનુ..શું જરુરત હતી?


મને કહે"પણ તમે જોયુ વિશ્વાસ મત વખતે કેવું એમનુ ઉગાડુ પડ્યુ કે એમણે બધાને ખરીદવાનો પ્રયત્ન કર્યો હતો"


મે કહ્યુ"ભાઇ જો
તમારા થી મને લાભ હોય અને તમે વેચાવા બેઠા હો તો હુ શું કામ ન ખરીદુ?


ભાગી ગયા જય શ્રી ક્ર્ષ્ણ કહીને..


મને દુઃખ થયુ કે હજી માણસો કેટલા પછાત વિચારો નાં છે?


આપણા રાજકરણી ઓ જો બધા પોતપોતાની ખુર્શી છોડીને ખાલી ભારત બચાવવાનું વિચારે તો કદાચ કોઇ આસારામ કે કોઇ આતંકવાદી આપણી ભારત ભુમિ નાં આવા ચીથરે હાલ ન કરી શકે..


મને કોઇ એક લોકો માટે પ્રેમ નથી પણ ખોટા વીચારો થી હુ સહેમત તો ન જ થાવ..

કોઇની પણ લાગણી દુભાણી હોય તો માફી ચાહુ છુ...

નીતા કોટેચા


10 comments:

Anonymous said...

saras..........

rajkaran ne koi karan na hoi pan
sab chalta hai ....

Anonymous said...

raj karan etale jiski tadame laddu usaki tadme me.
vyakti puja karata desha ni puja motu kartavya chhe

આપણા રાજકરણી ઓ જો બધા પોતપોતાની ખુર્શી છોડીને ખાલી ભારત બચાવવાનું વિચારે તો કદાચ કોઇ આસારામ કે કોઇ આંતંકવાદી આપણી ભારત ભુમી નાં આવા ચીથરે હાલ ન કરી શકે..

saras abhivyakti

Unknown said...

"કોઇની પણ લાગણી દુભાણી હોય તો માફી ચાહુ છુ"
સંવેદનશીલોએ આ કાજળ કોઠીમાં ઉતરવા જેવું નથી.
આપણા જાણીતા જજસાહેબ અકબર જલાદાબાદીનો જાણીતો શેર છે
પ્રેસબ્યુરોકી રીપોર્ટસે યે જાહીર હોતા હૈ
ફતેહ સરકારકી હોતી હૈ,કબ્જા ઉનકા હોતા હૈ
સંતોનું કહેવું છે કે આવી સ્થિતીમા દ્વેષદ્વંદનું ચક્કર માનસીક અસ્થીરતા લાવે છે
પ્રજ્ઞાજુ વ્યાસ

Anonymous said...

નીતાબેનૢ જોડણીમાં આપણી આટલી બધી ભુલો થાય એનાં કરતાં ઉંઝા જોડણી વાપરીએતો શું વાંધો?

જો સાર્થ પ્રમાણે જોડણી કરવી હોય તો લખતી વખતે શબ્દ્કોશ સાથે રાખવો. થોડા વપરાશ પછી ભુલોનું પ્રમાણ ઘટી જશે.

આટલું સારું ચીંતન જો સાચી જોડણીમાં ન લખી શકીએ તો આપણે પણ એક રીતે તો પછાત જ થયા ને!

Anonymous said...

hu banshe etli koshish karish k jaldi thi aama raheli bhulo shudhari lau..badhani mafi mangu chu ..ane jaldi rhi aa lekh barobar karvani koshish karu chu ..badhano khub khub aabhar...pan sathe e pan lakhta jav k aa lekh gamiyo k nahi plss

neeta kotecha

ધવલ said...

You have a good point there :)

Anonymous said...

સરસ નીતા બહેન તમારા િવચારો જાણી ખુશી થઈ

Brinda said...

dear nitaben,

happy to see you back with a bang! keep it up! very good and logical thoughts!

Anonymous said...

નીતાબેન,
આપનો બ્લોગ નિયમિત રીતે તો નહીં પરંતુ સમયાંતરે હું વાંચતો રહું છું. આજે રાજકારણ અને સ્ત્રીશક્તિ વિશેના આપના વિચારો જાણીને મને એક બે વાત લખવાનું મન થયું એટલે આ લખું છું. કાઇ ગેરસમજ ના થાય એ માટે પહેલા જ લખી દઉં છું કે આ કમેન્ટ એ તમારા વિચારોને ખોટા સાબિત કરવા કે ચેલેન્જ કરવા માટે નથી લખી.

હવે હું મારા વિચારો લખું છું. પ્રથમ તો તમે ઇન્દિરા ગાંધી, સોનિયા ગાંધી વગેરેને તમે સ્ત્રીશક્તિ તરીકે માન આપો છો. ઇન્દિરા ગાંધી ઠીક છે પરંતુ સોનિયા ગાંધી શા માટે? મારે જાણવું છે કે સોનિયા ગાંધીએ 5 વર્ષથી પોતાની ખુરશી બચાવવા સિવાય એવું તો ક્યું કાર્ય કર્યું છે કે એમાં એક સ્ત્રીશક્તિનો પરચો મળે (હા સત્તાલોલુપ રાજકારણીઓના શંભુમેળાને સાથે રાખવો એ આસાન વાત નથી જો એ સ્ત્રીશક્તિ હોય તો બરાબર છે)? આજે સોનિયા ગાંધી પાસે અમર્યાદ સત્તા છે પણ આ સત્તાનો ઉપયોગ નથી સોનિયાજીએ દેશવાસીઓ માટે સારા કાર્યો કરવામાં કર્યો કે નથી તેમણે સ્ત્રી તરીકે સ્ત્રીશક્તિને વધુ મજબૂત કરવાનો કોઇ પ્રયત્ન કર્યો. દરેક સ્ત્રી એક શક્તિ જ છે પણ એ શક્તિનો સ્ત્રી કંઇ રીતે ઉપયોગ કરે છે એ પણ અગત્યનું છે.જો સત્તા અને પદ એ જ જો સ્ત્રી શક્તિના પરિમાણો હોય તો અંબિકા સોની, શીલા દિક્ષિત, જ્યંતિ નટરાજન, માયાવતી કે જયલલિતા બધાં સ્ત્રી શક્તિ જ કહી શકાય. પણ જેમના નામ લખ્યાં છે એ બધાં ચમચાગીરી અને ભ્રષ્ટાચાર સિવાય બીજું કંઇ યોગદાન કરી શક્યા છે? આવી સ્ત્રીશક્તિ કરતા તો હું કોન્ડોલીઝા રાઇઝ (અમેરિકન સેક્રેટરી ઓફ સ્ટેટ), ઇન્દ્રા નૂયી (ચેરમેન, પેપ્સીકો ઇન્ડીયા), કિરણ બેદી વગેરેને હું વધુ માનું કે જે સમાજને એક નવી વિચારધારા આપે છે, એક નવી દિશા બતાવે છે. વિરોધ સોનિયા ગાંધીના વિદેશી મૂળનો નથી પરંતુ ગાંધી પરિવારની પુત્રવધૂ તરીકે દેશ પર રાજ કરવાની માનસિકતાનો છે.

બીજી વાત મારી મોદીત્વ વિશે છે. હું ભાજપ કે કોંગ્રેસી વિચારધારા ધરાવું છે એ વાત પછી આવે છે પણ એમ તો કહી જ શકાય કે મોદીએ કોંગ્રેસના રાજ કરતા ગુજરાતની જનતા માટે સારુ જ કાર્ય કર્યું છે અને એથી જ પ્રજા દર વખતે ચૂંટણીમાં વિજય શ્રીના આશિર્વાદ મોદીને આપે છે. મોદીની વિચારધારા સાફ છે. મોદીએ કદી કોંગ્રેસ અને બીજા પક્ષોની જેમ લઘુમતીઓના તુષ્ટિકરણની નીતિ નથી અપનાવી. આતંકવાદના રંજાડથી આજ ભારતનો કોઇ ખૂણો બાકી નથી પરંતુ ક્યા રાજકારણીએ આતંકવાદનો મૂકાબલો કરવાની ઇચ્છાશક્તિ કે કાર્યદક્ષતા બતાવી છે? મુંબઇ અને દેશભરમાં આટલા બોંબ ધડાકા થયા. બોંબધડાકા બાદ સરકાર દોષિતોને આકરી સજા કરવાની વાત કરે છે પણ બોંબધડાકાના કેસોમાં કેટલા રાજ્યોની સરકારોએ દોષિતોને સજા તો દૂરની વાત છે પણ દોષિતોને પકડીને જેલમાં નાંખ્યાં? અમદાવાદમાં બોંબધડાકા થયા પણ 20 દિવસની અંદર મોદીની સરકાર અને મોદીના પોલીસતંત્રે ગુનેગારોને જેલના સળિયા પાછળ તો લાવી દીધાં. શું આ વાત સરાહનીય નથી? અને આ ગુનેગારો જ દેશભરમાં વિવિધ જગ્યાએ બોંબધડાકા કરાવતા હતા. આ ગુનેગારો પકડાયા બાદ જ જયપુર અને બીજા બોંબધડાકાના ગુનેગારો પકડાયા. શું આ એક આંશિક સફળતા નથી? દીવા જેવી સાફ વાત છે કે આતંકવાદ પાછળ સિમીનો હાથ છે છતાં સોનિયાજીના નેતૃત્વવાળી કોંગ્રેસ સરકાર સિમી પર પ્રતિબંધ મૂકવાની એફિડેવીટ પણ સુપ્રિમ કોર્ટમાં મૂકતાં ડરે છે. ગુનેગારોએ ગુના કબૂલી લીધા છે છતાં પણ અબુ આઝમી અને માયાવતી જેવા લોકો કહે છે કે પકડવામાં આવેલા લોકો નિર્દોષ છે અને મોદી દ્વારા લધુમતી કોમના લોકોને હેરાન કરવામાં આવે છે. તેમ છતાં કોંગ્રેસ સરકાર આ લોકો સામે કંઇ કરી નથી સકતી કારણ કે એમના ટેકાથી સરકાર ચાલે છે એમની. આ બધી ચર્ચા ઘણી લાંબી થઇ શકે એમ છે. આજે કોઇપણ રાજકારણી દૂધે ધોયેલો નથી પછી એ કોંગ્રેસનો હોય કે ભાજપનો હોય. પણ જ્યાં થોડી ઘણી કાર્યદક્ષતા કે ઇચ્છાશક્તિ હોય તો એને બિરદાવવી તો જોઇએ જ. મને એ જ ઇચ્છાશક્તિ અને કાર્યદક્ષતા મોદીમાં લાગે છે જે આજના બીજા કોઇ રાજકારણીમાં હું નથી જોઇ શક્તો.

અહીં હું એ પણ કહીશ કે મોદીએ જે રીતે આસારામ બાપૂના કેસને હેન્ડલ કર્યો એ મને બરાબર ના લાગ્યું. ખબર નથી કે મોદીની શું મજબૂરી હશે આસારામ બાપૂના કેસમાં ભીનું સંકેલવાની?

વળી સંસદસભ્યોની ખરીદીની વાતને તમે યોગ્ય ઠેરવવાનો પ્રયાસ કર્યો છે પણ એ નૈતિકતાની વિરુદ્ધ તો છે જ. મારી પાસે ગજવામાં રૂપિયા છે હું દારૂ પીઉ કે જુગાર રમું કે ગમે તે કરું એ રૂપિયાનું એ મારો અંગત નિર્ણય છે પણ આ દલીલ કરી હું આવા કૃત્યોને યોગ્ય તો ના જ ઠેરવી શકું.

બીજી એક વાત જોડણીની. જોડણી સાચી લખવાનો પ્રયાસ કરવો એ સારું છે પણ એનાથી વધારે અગત્યનું મારા મતે પોતાના વિચારોને શબ્દોનો દેહ આપવો છે.માટે જોડણીને ચિંતા કર્યા વગર લખવાનું ચાલુ રાખો. તમે જે લખી રહ્યા છો એ સારું જ છે અને અમને વાંચકોને તમારા લખાણ વાંચવાનો લાભ આપતા રહેજો.

જો કમેન્ટમાં લખાયેલ કોઇ વાતથી દિલ દુભાય તો મિચ્છામી દુક્ક્ડમ....

કૃણાલ
http://krunalc.wordpress.com

KartikM.Mehta said...

ma'm plz , this is not good...u hail from gujarat..u know :: business can be developed only there where ther is a security.& gujarat is secured than any other state in the country, but thts the issue with some of ANTIGUJARAT ELEMENTS..i think these antiugujarat material eats in indian plate but their DALROTI comes from across the borders!!