Nawya.in

nawya

Tuesday, May 6, 2014

એક અગ્નિદાહ દેતા બાળકની વ્યથા...


  ખબર પડી જ્યારે મમ્મી હવે ક્યારેય મને નહી  બોલાવે , એનો અંતિમ શ્વાસ લેવાઇ ગયો છે , ત્યારે હુ પણ ધડકન ચુકી ગયો હતો.. એવુ ના હોય્. મારી મમ્મી મારાથી રિસાય જ નહી ને..
પણ હા એ હકિકત હતી .. મારી મા હવે મારી સાથે ક્યારેય નહી બોલે.. હવે શું ?
કેમ સમજાવુ લોકોને કે હમણા મારા હ્રદયની હાલાત શું છે પણ હવે મારી મા લોકો માટે એક શરીર બની ગઈ  હતી ફક્ત શરીર્.
બધા એ એની સાથે નો સંબંધ કાપી નાખ્યોં હતો.. મારી મા ને નીચે સુવડાવામાં આવી , ના સુવડાવો એ કોઇ દિવસ નીચે નથી સુતી.. પણ કોઇ સાંભળતુ ન હતુ. ઠાઠડી પર સુવડાવી .. લાકડા પર. કેટલુ વાગતુ હશે એને ? ત્યાં કોઇક બોલ્યુ શરીરને ના લાગે હવે એ ફકત એક શરીર છે.. એમ થયુ એક તમાચો લગાવી દઊ.. અરે ધીરેથી બાંધો ,,
ના શરીર  પડી જાય તો.. હે ભગવાન મને કેમ આવુ બધુ જોવુ પડે છે.. મારે નથી જોવુ આ બધુ.. પણ હુ દૂર કેમ જાવ .. હમણા આ બધા હંમેશ માટે લઈ જશે મારી મમ્મીને .. મન કઠણ કરીને ત્યાં ઉભો ઉભો મારી મા પર થતા અત્યાચાર જોતો રહ્યો.. મારી વાત એને  સંભળાતી હશે ને " મા એક વાર પાછી આવી જા.. હું કેમ રહીશ તારા વગર.. " એ બોલતી પણ ન હતી અને સાંભળતી પણ ન હતી .. જવાબ પણ નહોતી આપતી.. ત્યાં તો લોકો એ મને બોલાવ્યો કાંધ આપવા.. જેણે મને આખી જિંદગી સંભાળ્યુ એને મારા કાંધની શું જરુરત્..
મારે જ એને વળાવવાની.. ના મારાથી નહી થાય .. લોકોએ સમજાવ્યુ ના દીકરા વગર મા કેમ જાય.. આ વખતે પહેલી વાર કોઇ શરીર ન બોલ્યું .. શ્રી રામ શ્રી રામ આ શબ્દ હું જિંદગી માં હું નહી બોલુ.. આ શબ્દ એટલે મા ને મુકવા જવાનો સમય થઈ ગયો હતો.. હવે એ દેખાશે પણ નહી .. કેમ આપણે ઘરે શરીર ન રાખી શકીયે.. એ ન બોલે પણ હુ તો વાત કરી શકુ ને.. 
  સ્મશાને પહોચ્યાં ..મારા હાથમાં અગ્નિ દેવામાં આવ્યો કે અગ્નિદાહ આપો.. કેવી રીતે આપુ મા.. તારા શરીર ને આગ.. જરા અમથી દાઝી જતી તને કેટલી બળતરા થતી .. અને હવે હુ તને અગ્નિદાહ આપુ.. ના મા આ તો મારાથી નહી જ થાય .. તે તારુ લોહી બાળીને અમને મોટા કર્યા અને હવે હું તને બાળુ.. આ તે કેવા નિયમ .. હે પ્રભુ તારે મ્રુત શરીર ને બસ ગાયબ કરી નાંખવાનું .. આવી સજા ન આપ એક બાળકને.. 
   " દીકરા મારા શરીરને અગ્નિદાહ આપીશ તો જ તને ખબર પડશે કે આ દુનિયામાં કંઇ જ નથી .. જેને પોતાના માનીયે એના હાથે જ અગ્નિદાહ લેવો પડે.. તુ આપ બેટા એટલે તારો પણ આ દુનિયા પ્રત્યેનો મોહ , લાલચ બધુ ઓછુ થઈ જશે.."
આ કોનો અવાજ્. આ તો મારી મા નો.. જતા જતા પણ એક સત્ય વચન અને જીવન જીવવાનો એક રસ્તો બતાવતી ગઈ.. મા હું તારા વગર કેવી રીતે જીવીશ ??


Tuesday, April 8, 2014

કેન્સર


મુંબઈ નગરી એટલે સપનાઓ પૂરા કરવાની  નગરી.. લોકોને મુંબઈ જોવાનો એટલો મોહ હોય છે .. ઘણા લોકોનો મોઢે સાંભળ્યુ છે કે અમારા માટે મુંબઈ આવવુ એટલે દુબઈ આવવા જેવુ હોય છે.. 
મુંબઇ નો એક એક ખૂણો લોકોને જોવો હોય છે .. ક્યારેક તો એમ થય કે મુંબઈ વાળા ઓ એ એવી બહૂ જગ્યા નહી જોઇ હોય જે બહરથી આવવા વાળા ઓ એ જોઇ લીધી હશે. આજે હું પણ એક એવા જ મુંબઈ નાં ખૂણામાં ગઈ જ્યાં ૪૫ વર્ષમાં પહેલી વાર જવાનું થયુ.. જ્યાં બહારગામનાં બહૂ બધા લોકો આવેલા હતા.. પણ બધાની આંખોમાં એક દર્દ હતુ..એક પીડા હતી ..મને એમ થયુ કે હે પ્રભુ કોઇ દુશમનને પણ મુંબઈ નો આ ખૂણો ન જોવો પડે.. અને એ ખૂણો હતો.. પરેલ ની ટાટા હોસ્પિટલ નો રોડ. હજી હમણા જ મે મારા નણંદને આ રોગ ને કારણે ગુમાવ્યા.. 
અને ત્યા મને સમાચાર મળ્યા કે મારી એક ફ્રેંડ ના પતિને કેન્સર આવ્યુ અને તેમને ત્યા હોમીભાભા હોસ્પિટલમાં એડમીટ કર્યા છે.. હું એમની તબીયત જોવા ગઈ.. એમની તબીયત પણ બહૂ જ ખરાબ છે. પણ ત્યાંની એક પણ ફુટપાથ દર્દીઓા વગરની નહોતી અને કોઇ આંખ આંસુ વગરની 
નહોતી. કોઇ નાના નાના બાળક્ને લઈને મા બેઠી હતી .. તો કોઇ ૧૫ વર્ષનો દીકરો  પોતાની માતાને વ્હીલચેર માં લઈને જતો હતો. અને એની માતા એને સફેદ પટ્ટિ વાળો રુમાલ બાંધવાનુ કહેતી હતી કે તુ પહેરી લે તને કાંઇ ન થઈ જાય.. બધાની આંખોમાં પોતા માટે કે સ્વજન માટે મૌત નો એક ભય દેખાતો હતો..
  કહેવાય છે કે તંબાકુ ખાવાથી કે દારુ પીવાથી કે કોઇ પણ જાતનાં વ્યસન થી કેન્સર થાય છે. મારા 
નણંદે જિંદગીમાં કોઇ દિવસ આમાથી કંઇ નથી ખાધુ. કે નથી મારી ફ્રેંડ ના પતિ એ કોઇ દિવસ સ્મોક કર્યું. મગજ બહેર મારી જાય છે જ્યારે આવુ બધુ જોઇયે છે. જ્યારથી સમજણા થયા ત્યારથી તેઓ શબરીમલાઇ ની જાત્રા કરવા ગયા છે. મારા નણંદ કેટલીયે વાર શ્રીનાથજીનાં દર્શન કરવા 
નાથ્ધ્વારા ગયા છે. હવેલીમાં તો એ હજારો વાર ગયા છે. આપણા મહાન સંત પૂજ્ય ડોંગરેજી મહારાજ ને પણ આ રોગ થયો હતો.. પૂજ્ય નીરૂમા ને પણ આ રોગ થયો હતો.. શું કામ થાય છે આ રોગ ?
ડોકટર્સ સાથે વાત થઈ તો એમનું કહેવુ છે કે બહેન અમને આ વાત હજી નથી ખબર પડી કે શેનાથી 
થાય છે આ રોગ ? અને આનો ઇલાજ પણ સાયન્સ નથી ગોતી શકી.. 
   આવા વખતે લાગે કે માનવી કેટલો લાચાર છે કે કેટલુ પણ ભણે કાંઇ પણ કરે એનાં હાથમાં કંઇ જ નથી..

                                                                                                          નીતા કોટેચા "નિત્યા"


Monday, January 20, 2014

વટાણાની બદલીમાં ઠાકોરજી કે ઠાકોરજીની બદલીમાં વટાણા

હવેલી ધર્મ માં ઠાકોરજી પુષ્ટાવેલા હોવા જરૂરી છે.જો ન હોય તો એ ઠાકોરજી ને ફક્ત એક રમકડુ કહેવામાં આવે છે. 
અને ક્યાંક બહારગામ જઈયે તો બીજાનાં ઘરે પધરાવવા જોઇયે અથવા સાથે લઇ જવા જોઇયે। હમણા એક વૈષણવને મળવાનુ થયુ. 
વાત વાત માં એમણે કહ્યુ "હુ બહારગામ જવાની છુ તો મારા ઠાકોરજીને મારા પડોસી ને ત્યાં પધરાવીને જઈશ." 
મે કહ્યુ" આ જમાનામાં વધારે કોઇને હેરાન ન કરાય,
તમે જેટલા દીવસ જવાના હો એટલા દિવસનાં બંટાજી ભરીને જાવ.  તો કહે ના એમને કંઇ તકલીફ નથી .
                       "હું પણ તો એમના વટાણા  એક વર્ષ માટે મારા ફ્રીજ માં રાખુ છુ ને,..  "


Wednesday, January 15, 2014







"ગઝલનાં ગગન માં " ઘાટકોપરમાં યોજાયેલ માતૃભાષા પર્વ માં જવાનું થયું .. થોડી વાર જ માણવાનો મોકો મળ્યો..પણ એમાં એક વાત થોડી મને ન ગમી.. તો તેનુ સમાધાન જો કોઇ આપી શકો તો ચોક્કસ થી આપજો..
     આદરણીય , પુજનીય નમ્રમૂની મહારાજ સાહેબને સંસ્કાર પર બોલવાનું કહેવામાં આવ્યુ હતુ.. એમણે એક ઉદાહરણ આપ્યું..
    એક ભાઇ ને ત્રણ દીકરા ..બે દીકરાનાં લગ્ન થઇ ગયા હતા.  છેલ્લાનાં દીકરા નાં લગ્ન બાકી હતા. તેની માટે છોકરી જોવા જવાનું થયું. છોકરી , દીકરાને પસંદ આવી ગઈ પણ જાણવા મળ્યુ કે એનાં કુટુંબમાં કોઇક સ્ત્રી એ આપઘાત  કર્યો હતો. તેથી એ બાપા એ કહ્યુ એવી દીકરી ને ન પરણાય જે ઘરમાં કોઇયે આપઘાત કર્યો હોય. પણ દીકરો ન માન્યો ને એ જ છોકરી સાથે લગ્ન કર્યા. થોડા વર્ષો વિત્યા પછી ધંધામાં ખોટ ગઈ .. બાપાએ ત્રણે વહુઓને બોલાવીને કહ્યુ " તમારા દાગીના આપી દ્યો , થોડા દીવસમાં પાછા છોડાવી લઈશ .. બે વહુ ઓ એ તરત આપી દીધા. નાની વહુ ન માની , દીકરા એ બહુ સમજાવી પણ છેલ્લે વહુ એ કહ્યુ કે " જો તમે બહુ જબરદસ્તી કરશો તો હુ આપઘાત કરી લઈશ " બાપા એ તરત દીકરાની સામે જોયુ ને કહ્યુ " જોયુ હુ આની માટે જ ના કહેતો હતો"
 મને આ આખી વાત સાંભળીને  ન સમાજાણુ કે મહારજ સાહેબ કહેવા શું માંગતા હતા. કે છોકરી જોવા જાઈયે ત્યારે પહેલા પુછવાનું કે તમારે ત્યા કોઇયે આપઘાત તો નથી કર્યો ને?  અને જો કર્યો હોય તે છોકરી ને લગ્ન માટે યોગ્ય ન ગણવી ..ત્યા ૧૦,૦૦ લોકો હાજર  હતા એમાં કેટ્લાયે યુવાનો હતા.  યુવાનો નાં મગજ અને મન પર આ વાત કેટલી હદ સુધી બેસી ગઈ હશે કે હવે છૉકરી જોવા જાવ તો પહેલા આ સવાલ જરુર પૂછવાનો .. આજે સ્ત્રીઓ  કરતા વધારે હવે તો પુરુષો નાં મોઢે સંભળાય છે કે હુ આપઘાત કરી લઈશ તો આ વાત ને કેટલી યોગ્ય ગણવી .. મારા ફુઇ એ પણ આપઘાત કર્યો છે , મને તો કોઇ દિવસ આપઘાત  નો વિચર નથી આવ્યો.. હું તો મારા જીવનમાં આવેલ મુસીબતો નો બરોબર સામનો કર્યો છે ..