Tuesday, December 18, 2007
Saturday, December 15, 2007
*
આ નયનો ને તારી જ રાહ છે આવી જા,
એક જ હવે તો આશ છે આવી જા ,
બસ હવે મોત ની અમાનત થઈ ચુકી છુ, સમજી લે,
Thursday, December 13, 2007
મહાલક્ષમી જાવાનુ નક્કી થયું. નીલાદીદી ને મલવાનુ થયુ. ખુબ ગમ્યુ. છુટ્ટુ પડવુ ગમતુ ન હતુ. પણ પડવુ પડ્યુ.
Wednesday, December 12, 2007
મને લાગ્યુ જે સાચુ,એ તમને ખોટુ લાગ્યુ.
ખરાખરી નો જંગ તો ત્યારે હતો,
લડુ કેમ તમારી સાથે હુ તો ,
જિંદગી નાં હર એક ખુણે થી ,
સુરજ એ ચદ્ર ને કહ્યુ ,
Monday, December 10, 2007
પ્રેમ વિશે જેટલુ લખીયે એટલુ ઓછુ છે એ વાત એક્દમ સાચ્ચી છે.
Sunday, December 9, 2007
તારા થી દૂર થવું મને ફાવે તેમ ન હતુ,
હું તારી યાદ માં જીવુ છુ હર પળ
આખરે
અને આજે તો જો મારી નાંખવા સુધી ખચકાતા નથી.
Saturday, December 8, 2007
આમ ને આમ જિંદગી પુરી થઈ જાશે,
પાનખર માં પડેલાં પાન ને જોઇને
Sunday, November 25, 2007
આજે બા બહુ બેબી ની સિરીયલ જોઇ એમાં એક સીન જોયો પ્રફ્ફુલ જે કલાકાર છે। એમાં એને એનાં ઓફીસ વાળા કહે છે કે અમને અમારી co. માં YOUNG, AGGRESSIVE,AND DYNAMIC લોકો જોઇયે છે.આગળ ની સિરીયલ ની story આખી અલગ હતી. પણ આટલુ જોઈને મને બહુ બધી વાતો યાદ આવી ગઈ. જે અહિયા કહુ છુ। મારે થોડા વખત પહેલા એક ઠેકાણે ૬૦ વર્ષ પછી ની જિંદગી ઉપર બોલવાનુ હતુ.ત્યાં મે જે speech અપી હતી જે આપને ટુંકાણ માં કહુ છુ.
૬૦ વર્ષ પછી ની જિંદગી ફક્ત પોતા માટે જીવવાની હોય છે।
Wednesday, November 21, 2007
કદી એમ થાય તુ છો.
કદી એમ થાય કે,
કદી એમ થાય કે
તુ જ જીવન દાતા
કદી એમ થાય કે
Monday, November 19, 2007
....
૧૮/૧૧/૧૯૮૭ થી ૧૮/૧૧/૨૦૦૭
મારા લગ્ન દિવસે હ્રદય માં આવેલી વાત
તમારી સાથે બંધન મા બંધાયે થયા ૨૦ વર્ષ પુરા,
માતા પિતા સાથે રહી હતી તેના કરતા પણ હવે
એક વર્ષ વધ્યુ તમારી સાથે વધારે
હવે બસ હજી ૩૦ પુરા કરજો પછી
સાથ છોડજો છોડવો હોય તો
૫૦ ઉજવશુ સાથે મલીને
પછી તમતમારે જાજૉ
હુ આવીશ પાછળ જ
પણ હુ પહેલા નહી જાવ
કારણ તમે છો પ્રેમ નાં ભુખ્યા
અને કોઇ નહિ કરે તમને અહી
પ્રેમ મારા જેટલો
આજે ૨૦ વર્ષે કહીશ સાચ્ચી વાત બધા સામે
કે મે તમને નહી, તમે જ મને સંભાળી છે .
N.
Wednesday, November 14, 2007
આ એક જ વિષય એવો છે કે જેનાં પર કોઇ ચર્ચા કરવા જ નથી માંગતા,ક્યારેક પણ આ વિષય પર વાત કરવાનુ ચાલુ કરુ ને તો કહેશે નીતા તને બસ આ જ વાત સુજે બીજી કાંઇક વાત કર. બધાને ખબર છે કે એક દિવસ એવો આવીને ઉભો જ રહેવાનો છે કે જ્યારે આપણને ઇછ્છા નહી હોય તો પણ આપણે જીવન લીલા સંકેલવી જ પડશે. આપણા શરીર નો જેનો આપણે આટલો મોહ કર્યો છે એને છોડવુ જ પડશે.
અભિમાન નાં નશા માં ચકચુર થયેલા
મ્રુત્યુને સાથે લઈ ને ફરતા શીખો,
આ લેખ થી કોઈ નુ પણ દિલ દુભાણુ હોય તો હુ હ્રદય થી ક્ષમા ચાહુ છુ.
Tuesday, November 6, 2007
ક્યાંક પ્રગટે ઘી નાં દીવા,
ક્યાંક છે મહેફીલો ની કતાર
ક્યાંક છે નવા કપડા ઓ નાં ઢગલા
ક્યાંક દેખાડા કે અમે ખુશ છીયે,
આ દુનીયા છે એક ખેલ તમાશો,
કોઇ ખુશ નથી મન થી ,
Friday, November 2, 2007
મુંબઈ ની લોકલ એટ્લે
વર્ષો થી હુ સફર કરતો હતો,
અરે મારા મિત્રો મને શોધતા હશે
રોજ ભિંસાતો,લટક્તો જાતો,
મને પણ અચરજ થાતુ હતુ કે ,
સાયન આવ્યુ અને મને ઉતારી દીધો.
કાંઇક કહુ ત્યા તો એમબ્યુલન્સ માં મને નાખી દીધો,
હવે ખબર પડી મને કે
Wednesday, October 31, 2007
મગજ ખાલી કરી નાંખવુ છે મારે,
Monday, October 29, 2007
બાળ મજૂર જે સોસાઈટી માં હશે એ સોસાઈટી નુ રજીસ્ટ્રેશન રદ્દ કરવામાં આવશે.આવુ થોડાવખત પહેલા છાપા માં વાંચીયુ હતુ .સાચ્ચી વાત છે ,એનાથી બાળકો નુ અને બાળપણ નુ શોષણ થાય છે.તો
બસ છેલ્લે એટલુ જ કહીશ કે ,
Saturday, October 27, 2007
રડાવે ત્યારેખૂબ રડાવે છે જિંદગી,
દિવસો શાંતીથી કાઢવા હોય છે,
Tuesday, October 23, 2007
અમારા બાજુ માં રહેતા નવીન ભાઈ અને મીરા ભાભી સાથે મારે ઘર જેવો સંબધ.
Saturday, October 20, 2007
તને કહ્યા વગર તને પ્રેમ કરુ,
તને કહ્યા વગર તને મારામાં મહેસુસ કરુ,
તુ ચાહે મને કે ન ચાહે,
તારી પાસે રહી ને તને કાંઇ ન કહુ,
Friday, October 19, 2007
17)
...
નવરાત્રી
માતાજી ની વિદાઈ નાં દિવસો આવી ગયા। જોત જોતા માં દસ દિવસ પુરા થઈ જાવા આવ્યા. આપણા હ્રદય માં થી તો માતાજી કયારેય વિદાઈ નહી લે।
પણ ગરબા ને જે આપણૅ માતાજી સ્વરુપે લઈ આવીયે છે।
એ ગરબા નુ વિસર્જન તો આપણૅ ભારે હ્રદયે કરવૂ જ પડૅ છે.
નવરાત્રી બધે ઠેકાણૅ અલગ અલગ સ્વરુપે દેખાય છે।
પહેલા ની નવરાત્રી અલગ જ હતી।
જેમાં પોતાની જ સોસાઈટી નાં લોકો સાથે મલી ને નવરાત્રી મનાવતા।
નવ દિવસ નાં અલગ અલગ પ્રોગ્રામ કરતા।
જેનાથી આખુ વર્ષ બધા એક બીજા ની નજીક રહેતા।
અને છેલ્લે દિવસે બધા સાથે મલી ને ગરબા નુ વિસર્જન કરવા જાતા .
અને આખ્ખે રસ્તે ગાતા કે
"રમતો ભમતો જાય આજ માં નો ગરબો રમતો જાય,
ફરરર ફુદડી ફરતો જાય આજ માં નો ગરબો રમતો જાય
અને જ્યારે ગરબા નુ વિસર્જન થાય ત્યારે આંખ માં પાણી આવ્યા વગર ન રહેતા।
એમ થાતુ કે જાણૅ ઘર ખાલી થઈ ગયુ।
શુ સંપ હતો પહેલા। હવે તો...
જાવા દયો।
હુ પાછી બીજી વાત પર ચડી જાઈશ।
આપણૅ નવરાત્રી ની વાત કરતા હતા।
હવે નવરાત્રી પણ જાણૅ કમાવાનુ સાધન બની ગઈ છે।
હુ બહુ વાર જોઉ ખબર નહી કોઈયે ધ્યાન થી જોયુ છે કે નહી પણ મારુ ધ્યાન તો આવી બધી વાતો માં બહુ જાય।
પહેલા નવરાત્રી માં ગરબા રમવા વખતે વચમાં માતાજી ની મુર્તી કે છબી રાખવા માં આવતી અને હવે???????????????????
હવે ચંપલ નો ઢગલો રાખવા માં આવે છે અને એની આજુ બાજુ ગરબા રમાય છે।
મે એક ઠેકાણૅ નવરાત્રી જોઈ છે જ્યાં આઠમ ની કન્યા કુમારી ની આરતી ફક્ત એમને જ ઉતારવા દેવા માં આવે કે જેમને ટ્રસ્ટી ઓ ની ઑણખાણ હોય।
કેટલી નીયાણી ઓ નાં મન કચવાતા હશે।
પણ જે આ બધુ કરે છે। એમને ખબર નહી પડતી હોય કે હુ આ શુ કરુ છુ?
ત્યા નીયાણી ઓ ને વસ્તુ નહી નહી તો ૫૦૦૦ રુપીયા ની આપતા હશે।
પણ આનાં કરતા બધાને મોકો આપી ને ભલે ને ૫૦૦ રુપીયા ની વસ્તુ આપે।
પણ હોતા હૈ ચલતા હૈ. ની જેમ વર્ષો થી ચાલતુ આવ્યુ છે.
ન બોલવુ જોઈયે પણ બીજી વાત આવે કે જે બધાને માતાજી આવતા હોય ।
આ બાબતે શુ બોલવુ ને એ જ ન સમજાય।
મે જોયુ હતુ એક ઠેકાણૅ એ મેદાન માં એક નાની ગટર પણ હતી
।જેમને માતાજી આવતા એમને બરોબર ખબર હોય કે ત્યા પગ ન પડૅ.
હુ દુનીયા ને બદલાવી નહી શકુ,
અને દુનીયા મને બદલાવી નહી શકે
અંબે માત કી જય
Thursday, October 18, 2007
આજે નીરુમાં ની યાદ આવી ગઈ.
૧) તેઓ હંમેશા કહેતા કે કોઈ નુ પણ દિલ તમારા થી દુખાય જાય તો એમનાં આત્માં ની માફી માંગી લ્યો. એ વ્યકતી તમને માફ કરી દેશે.
૨)તેઓ શ્રાધ માટે કહેતા કે તમારુ શ્રાધ હજી પણ તમારા ગયા જન્મ ના દિકરાઑ કરે છે તમને અહિયા એ ખીર પુરી નો સ્વાદ આવે છે?કોઈ ને પહોચ્તુ નથી. અને તમે બધા પાછા કાગડા ને પિત્રુ સમજી ને વાસ નાંખો. તો શુ તમારા પિત્રુ કાગડા થયા એમ માનો છો?
ઍમનો દેહ વિલય થયો એ તારીખ હતી 19 th march.
એ દિવસ ભગવાન એ બનાવ્યો જ શુ કામ?
જો આ તારીખ જ ન બની હોત તો નીરુમાં મને મુકી ને ગયા જ ન હોત્.ભલે પછી હુ પણ ન જન્મી હોત તો ચાલત. હા મારો જન્મ દિવસ એ જ દિવસે છે કે જે મને હવે જરાય નથી ગમતો.અને આ દિવસે મને આ સમચાર મલ્યા હતા.
નીરુમાં MISSSSS UUUUUU
Wednesday, October 17, 2007
વ્યક્તી વરતાઈ આવે છે ,
વ્હાલ વરતાઈ આવે છે,
ધીરજ વરતાઈ આવે છે,
દોસ્ત વરતાઈ આવે છે,
અને
નફરત વરતાઈ આવે છે,
Sunday, October 14, 2007
14)
..
સિરીયલો ની રામાયણ
..
આજે ભારત માં કેટલા ઘર એવા છે કે જેમાના ઘરે સિરીયલ નાં સમયે ફોન કરવાની ના પાડવાં માંઆવી છે.ચોખ્ખા શબ્દો માં એમણૅ કહી દીધુ છે કે અત્યંત જરુરી કામ હોય તો જ ફોન કરવો. નહી તો પછી કરવો. અને સિરીયલો માં પાછી ચર્ચા ઓ થાય કે શુ સાચ્ચુ અને શુ ખોટ્ટૂ.
એક વાર એક બહેન મારા ઘરે કંકોત્રિ દેવા આવ્યા. ને કંકોત્રિ આપવાનુ કામ પતાવીને અમને કહે" જો વાંધો ન હોય તો star plus ચાલુ કરશો.""મે કહ્યુ "હા ચોક્ક્સ." અને ચાલુ થઈ કસૌટી જીંદગી કી। અને એમાં mr। bajaj bhai આજે મરવાના હતા. મે એમને પછ્યુ."આ સિરીયલ તો રાતનાં પણ આવે છે ને." તો કહે" હા બીજી વાર જોવી હતી.
"પાછુ મને યાદ આવ્યુ એટ્લે મે એમને પુછ્યુ" કે તમારી દીકરી કેમ છે ?" તો મને ઈશારા થી એમણૅ જવાબ આપ્યો થોડી વાર પછી આપણૅ વાત કરીયે. હુ એમને જોતી હતી અને તેઓ સિરયસલી સિરીયલ ને જોતા હતા. અને એમના મોઢા નાં જે હાવ ભાવ હતા. એ જોઈને મારુ b.p high થાતુ હતુ અને જેવો mr. bajaj મર્યો.અને જે એમણૅ નિસાઃશો નાખીયો છે મને એમ થયુ કે મારા ઘર માં કોઇ મરી ગયુ છે અને એ ખરખરે આવ્યા છે. ગજબ નાં હોય છે લોકો . અને ફક્ત બહેનો નહી પણ બહુ બધા ભાઈયો પણ આમાં શામેલ છે. સિરીયલ પતી પછી એઓ દુઃખી અવાજે બોલ્યા આવી જાજો હં લગ્ન મા.ઍક્તા બેન ને આ બધા સમાચાર કોણ આપે કે જો બહેન, લોકો ની હાલત.
એવુ જ આજે થયુ.મને કોઇક એ કહ્યુ કે બા બહુ બેબી જોવા જેવી સિરીયલ છે બધા એ સાથે બેસીને જોવા જેવી સિરીયલ છે.બહુ મજા આવે. ગુજરાતી ઓ નુ ઘર જ બતાવ્યુ છે. તો જોવાનુ ચાલુ કર્યુ. સાચ્ચે જ સારી હતી, પણ હવે આજે પ્રવીણા બહેન ને એમાં મારી નાખવામાં આવી. મે મારી દીકરી ને પુછ્યુ આ કેમ આવુ. તો કહે પ્રવીણા ને આ સિરીયલ છોડવી છે. બોલો હવે એણે સિરીયલ છોડ્વી હોય એટલે આપણૅ નવરાત્રી માં આ બધુ જોવાનુ.
Wednesday, October 10, 2007
દુનીયાંમાં સ્વાર્થ અને સ્વાર્થી પણા એ માજા મુકી છે.
એટલો હદ ની બહાર સ્વાર્થ વધી ગયો છે.
આપણને વિચાર આવે કે આપણે શુ કામ જીવીયે છીયે?
કાં આ દુનીયાં આપણૅ લાયક નથી અથવા
આપણે દુનીયા ને લાયક નથી.
આજે બધા ને ફક્ત પોતાના બાળકો ની ચીંતા છે.
કુંટુબ માં કોણ દુ;ખી છે એનાથી કોઈ ને કાંઈ ફરક પડતો નથી.
પહેલા પડતા માણસ ને કોઈ પડવા ન દેતુ.
આજે પડતા માણસ ને પાછળ થી ધક્કો મારવા વાળા ની સંખ્યા વધી ગઈ છે.
આ ફકત વાતો નથી પણ હકિકત છે. બે દિવસ પહેલા મે એક એવી વાત સાંભળી.કે મારુ
હ્ર્દય રડી ઉઠ્યુ કે આટલી હદ સુધી દુનીયા માં સ્વાર્થ વધી ગયો છે?
ઍક બહેન બીજા બહેન ને કહેતા હતા કે "અરે શુ કહુ તને, મારે તો એટલી હેરાન ગતી છે કે પુછ
નહી. મારા ભાભી ગુજરી ગયા એ તો તને ખબર છે ને ? હવે એ એમની પાછળ ઍંમની દીકરી
અને મારા ભાઈ ને મુકી ગયા. "
મને એમ થયુ કે હુ પુછી લઉ કે એ સાથે કેવી રીતે લઈ ને જાય?
ત્યા એ બહેન બોલ્યા કે "ત્યારથી મારો ભાઈ અને એની દીકરી મારા ઘરે જમે છે . એ મને
મહિના નાં પૈસા પણ આપી દે છે . પણ તોય હવે આ રોજની લપ નથી ગમતી."
ત્યા ઍની પ્રિય સખી બોલી "કે હા હુ સમજી શકુ છુ. તારી તકલીફ્.હવે આનો કાંઈક રસ્તો બને
એટલો જલ્દી ગોતજે નહી તો જીવન ભર તારે ગળૅ આ લપ વળગશે."
ઍમ થયુ કે બેઈને એક એક તમચો લગાવુ કે અને કહુ કે તારી ભાભી ની જ્ગ્યાએ જો તુ શ્રીજી
ચરણ પામી હોત તારા બાળકો ને સંભાળવા એ તારી ભાભી ની ફરજ કહેવાત.
કેટલી હદ સુધી નો સ્વાર્થ્?
કેટલી હદ સુધી નાં હલ્કા વિચારો.
સ્વાર્થ ની આ દુનીયા બાબા,
સ્વાર્થ નાં અહિયા લોકો.
કેવી દુનીયા માં વસીયે છીયે આપણે
જ્યાં સ્વાર્થ જ બધાનો સગો.
જો હજી હમણા આ હાલ છે તો થોડા વર્ષો પછી શુ શુ સાંભળવા મલશે?
એ વિચારી ને મને હમણા જ ધ્રુજારી છુટૅ છે।
પ્રભુ તારી માયા અમે કદી ન પીછાણી.
દુ;ખ આપી ને જોતો, અને સાંત્વનાં પણ દેતો,
પેટ ની ભુખ તે બધાની પુરી પાડી.
પ્રભુ તારી વાતો અમે કદી ન પીછાણી.
સુખ આપિને કરાવ્યો જલશો.
પણ સાથે કહેતો અંતર ની વાણી.
હે પ્રભુ તારી લીલા અમે કદી ન પીછાણી.
દુનિયા નાં લોકો તો કદી પોતાનાં
અને કદી થયા પારકા.
પણ હે પ્રભુ તે કદી અમારી સાથે
તારી નાળ ન કાપી.
Monday, October 8, 2007
*સુખની કોઈ ક્ષણ દુ;ખો થી ઘેરાયેલ ન હોય એવુ સંભવ નથી.
*ફુલ ની સાથે રહેલા કાંટાઓ થી ફુલ ની સુવાસ ઑછી થતી નથી.
*રાત ની ઊંઘ માણવી હોય તો સુતા પહેલા જાત સાથે પ્રમાણિક બનો.
*કેવા કુળ માં જન્મ લેવો એ આપણા હાથ માં નથી ,પંરતુ કેવુ બનવુ એ આપણા હાથ માં છે.
Sunday, October 7, 2007
"દીકરીઓ કયારે મોટી થઇ જાય છે ઇ ખબર નથી પડતી. જાણૅ કાલે જન્મી હતી આપણી મીતા।. અને જો તો આજે માંગા પણ આવવા લાગ્યા."પ્રભુ દાસ ભાઇ એ પત્ની વનિતા ને કહ્ય. વનિતા એ જવાબ આપ્યો કે " બધાની દીકરીઓ મોટી થાય છે અને બધાની દીકરી ઓ સાસરે જાય છે. હવે તમે જલ્દી થી બજાર માં જાવ અને તમારા મિત્ર ની સાથે વાત કરીને નક્કી કરજો કે એમના દીકરા નુ અને મીતા નુ જોવાનુ ક્યારે ગોઠવવુ છે."
પ્રભુદાસ ભાઇ ની મીતા અને એમની બજાર માં સાથે કામ કરતા એમના જ મિત્ર શીવરામ ભાઇ નાં દીકરા મંયક સાથે વાત ચાલી હતી.શીવરામ ભાઇ ની ઇછ્છા હતી કે એમની દોસ્તી સંબધ મા ફેરવાય.પ્રભુસદાસ ભાઇ બજાર માં પહોચ્યા અને શીવરામ ભાઇ એ સામે થી જ કહ્યુ કે આપણૅ શનીવાર નુ જોવાનુ ગોઠવીયે.
ઘરે જઇ ને પ્રભુદાસ ભાઇ એ બધી વાત કરી. અને બધા નાં મગજ પોતપોતા ની રીતે વીચારો કરવા લાગ્યા. પ્રભુદાસ ભાઇ વીચારતા હતા કે શુ રોજ મળવા વાળા મિત્ર વેવાઇ બનશે? શુ મારી દીકરી એમને ત્યા સુખી થાશે? વનિતા બેન તો વિચારવા લાગ્યા કે કઇ ખરીદી ક્યાં થી કરશુ? અને મીતા વીચારતી હતી કે માન્યુ MBA છે પણ સ્વભાવ કેવો હશે?
આજે શનીવાર આવી જ ગયો. બધા ની ધડકન તેજ હતી કે શુ થાશે?ત્યા જ શીવરામ ભાઇ નો ફોન આવ્યો કે "પ્રભુદાસ એક વાત કહેવી હતી. અને પ્રભુસદાસ ભાઇ ને એમ થયુ કે એ શ્વાસ ચુકી જાશે. કદાચ બધી દીકરી ઑ નાં માતા પિતા ની આવી જ હાલત હોતી હશે. ત્યા શીવરામ ભાઇ બોલ્યા કે મારા દીકરા ની ઇછ્છા છે કે એ મીતા ને એકલા માં મલવા માંગે છે.પ્રભુદાસ જમાનો બદલાણૉ છે તો આપણે પણ ઍની સાથે જ ચાલવુ પડશે." પ્રભુદાસ ભાઇ એ ઘર માં પુછી ને બધા ની સંમતી થી હા પાડી અને સાંજ નુ શહેર ની સારા માં સારી હોટૅલ માં મલવાનુ નક્કી થયુ.
મયંક સમય નો બહુ ચુસ્ત હતો. એ મીતા ની પહેલા જ ત્યા પહોંચી ગયો હતો . બન્ને જણ હોટૅલ માં ગયા પાંચ દસ મિનિટ તો કોઇ કાઇ બોલ્યુ નહી . આખરે મંયકે વાત ચાલુ કરી કે " મીતા આપણા બન્ને નાં પપ્પા સારા મિત્રો છે . કદાચ જો આપણૂ નક્કી નહી થાય તો એમને બહુ દુઃખ થાશે . પણ વધારે વાત કરીયે એની પહેલા હુ તને જણાવી દઉ કે મારી એક શર્ત છે. જો તને મંજુર હોય તો જ આપણા લગ્ન થઇ શકશે." મીતા ચુપચાપ સાંભળતી હતી. મંયક આગળ બોલ્યો " મીતા હુ થોડો બધા થી અલગ છુ. મે એવુ નક્કી કર્યુ છે કે હુ લગ્ન પછી બાળક નહી કરુ." મીતા ને એમ થયુ કે જાણે એના પગ નીચ્ચે થી જમીન સરકી ગઇ.ત્યા મંયક બોલ્યો " એવુ નથી હુ બાળક કરવા અસર્મથ છુ. પણ દુનિયામાં બહુ બધુ છે કરવા માટૅ તો આપણૅ એ કરશુ.જો તને મંજુર હોય તો મને કહેજે નહી તો બધા ને કહી દેજે કે મને મંયક પંસદ ન પડ્યો." ત્યારે તો હસી બોલી ને બન્ને જણા છુટ્ટા પડ્યા.
મીતા જેવી ઘરે આવી માતા પિતા કાગ ડોળૅ રાહ જોઇ ને બેઠા હતા.તરત મમ્મી એ પુછ્યુ" શુ થયુ મીતા? તને મંયક ગમ્યો ક નહી? મીતા એ જવાબ આપ્યો "એક દિવસ વીચારવા માટૅ આપો કાલે કહુ છુ." પાછળ થી પપ્પા નો ગુસ્સે થાવા નો અવાજ આવ્યો પણ એ કેમ સમજાવે કે એની અંદર કેવુ તોફાન ચાલી રહ્યુ હતુ.
સવાર પડી અને વનિતા બેન મીતા ની પાસે આવી ગયા અને પુછ્યુ "કે શુ વીચાર કર્યો. તારા પપ્પા ને કામ પર જાવાનુ છે અને ત્યા જાશે એટલે એમણૅ ત્યા જવાબ આપવો પડશે." મીતા એ કહ્યુ "હુ મંયક ને હજી એક્વાર મલવા માંગુ છુ . અને આ સાંભળી ને તો વનિતા બેન ખુબ જ ગુસ્સે થઇ ગયા કે "શુ નાટક માંડયુ છે આ બધુ" પણ મીતા ચુપ જ રહી.
પપ્પા બજાર માં ગયા અને હજી તો એઓ પહોચ્યા હશે અને વાત કરી હશે ત્યા તો ફોન આવી ગયો કે"મીતા ને કહેજે કે મંયકે આજે સાંજે છ વાગે જુહુ પાસે બોલાવી છે."
સાંજ પડી મીતા જુહુ પર પહોચી. મંયક ત્યા હાજર જ હતો. બન્ને જણા દરિયા કિનારે જઇ ને બેઠા. મીતા ને ખબર નહોતી પડતી કે એ કેવી રીતે શરુઆત કરે.આખરે મંયકે પુછ્યુ" શુ વાત છે મીતા,મને આજે મલવા બોલાવ્યો. શુ પુછવુ હતુ તારે?"મીતા એ જવાબ આપ્યો" મંયક કાલ રાત થી અત્યાર સુધી મે બહુ બધા કારણૉ ગોતી જોયા પણ મને મલતુ નથી કે પોતાનુ બાળક ન કરવાનુ કારણ શુ?" મીતા આગળ બોલવા જાતી હતી ત્યા એક પાંચ છ વર્ષ નુ બાળક ત્યા આવ્યુ અને કહેવા લાગ્યુ"આંટી મને બહુ ભુખ લાગી છે. મને કાંઈ ખવડાવો ને" મીતા નુ હ્રદય પીગળી ગયુ અને ત્યા મંયક બોલ્યો " જા મીતા એને કંઇક ખવડાવી આવ આપણૅ પછી વાત કરશુ"
મીતા એ બાળક ને લઈ ને એક રેકડી પર ગઈ અને ત્યા એની માટૅ જમવાનુ લીધુ. અને જેવુ એ બાળક ને આપ્યુ બાળક જાણે જમવા પર ટુટી પડ્યો. અને મીતા એને જ જોતી ઉભી રહી ગઈ.ઍ બાળક નુ જમવાનુ પત્યુ એટ્લે મીતા જાવા લાગી . ત્યા એ બાળક પાછો મીતા પાસે આવ્યો અને કહેવા લાગ્યો" આંટી, મારી બેન માટૅ લઈ આપશો?' મીતા એ એની બેન માટૅ પણ લઈ આપ્યુ. ત્યા પાછો એ બાળક બોલ્યો" આંટી તમે કાલે આવશો ને?" મીતા એ કહ્યુ "મારુ નક્કી નહી " તો બાળક રડવા લાગ્યો કે "તો મને કાલે પાછા ભુખ્યા રહેવાનુ" મીતા ને એમ થયુ જાણે એ હમણા જ રડી પડશે.
એ ત્યાથી મંયક બેઠો હતો ત્યા આવી ગઈ. અને મંયક ની બાજુમાં બેસી ગઈ.મંયકે મીતા ની સામે જોયુ પણ મીતા નાં મગજ માં થી ઍ બાળક નીકળતો જ હતો.આખરે મંયકે પુછ્યુ " શુ થયુ મીતા કેમ આટલી ચુપ થઈ ગઈ." મીતા એ બધી વાત કરી.અને મીતા એ કહ્યુ કે "મંયક કાલે એ બાળક નુ શુ થાશે? એ શુ જમશે? અને કદાચ હુ અહિયા એની માટૅ આવુ તો પણ આ માનવ નામના દરિયા માં એને હુ ક્યા શોધીશ?
તો મંયકે કહ્યુ " હવે તને તારો જવાબ મલી ગયો હશે કે હુ બાળક શુ કામ કરવા નથી માંગતો.અને એટલે જ મે તને આજે અહિયા બોલાવી કે તને ખબર પડૅ કે દુનિયા માં પોતાના ઍક બાળક પાછળ આખ્ખી જીદગી આપણે પુરી કરીયે છૅ.પણ મીતા આવા કેટલા બાળકો છે કે જેમને એમના માતા પિતા એ જન્મ તો આપી દીધો છે પણ એ બાળકો ભુખ્યા સુઈ જાય છે કે એમની શુ હાલત છે એ જોવાની પણ એમને પડી નથી. તો શુ આપણૅ આ બધા બાળકો નાં માતા પિતા ન બની શકિયે. તુ આરામ થી વિચારજે અને પછી મને જવાબ આપજે. મને કાંઈ ઉતાવળ નથી. પણ આપણૅ સારા friends બની ને આ કામ સાથે મલી ને કરશુ . "
અને મંયક ઉભો થયો કે "ચલ હવે છુટ્ટા પડશુ?" અને મીતા પણૂ ઊભી થઈ. હજી ઍનુ મગજ શાંત ન હતુ. એના મગજ માં એક બાજુ એ બાળક ની વાતો અને બીજી બાજુ મંયક ની વાતો જ ચાલતી હતી. ચાલતા ચાલતા પાછો મંયક બોલ્યો " મીતા આપણ વડિલો, મિત્ર છે એટ્લે આપણૅ હા પાડવી જ પડૅ ઍવી કાંઇ ચીંતા ન રાખતી."
મીતા એ કાંઈ જવાબ ન આપ્યો એ વિચારતી હતી કે આવા વ્યકતી ને ના પાડ્વી ઍનાથી મોટી કોઇ ભુલ જ નહી હોય્ અને એણૅ કાંઈ પણ જવાબ આપવાની બદલી માં ચુપચાપ મંયક ના હાથ માં પોતાનો હાથ આપી દીધો. મંયકે હસી ને મીતા સામે જોયુ . મીતા ને એમ લાગતુ હતુ ક જાણૅ ઍ કોઈ નવી દિશા માં આગળ વધી રહી છે.