૧૯૯૬ ની સાતમે મારા પપ્પા ને મારા થી છીનવી લીધા હતા.એ દિવસ હજી પણ નજર સમક્ષ છે. એક એક ક્ષણ મને યાદ છે..આગલા દિવસે મને કહ્યુ હતુ મારે એકલા એ ઉપર જાવાનું ..તમે બધા અહિયા જ રહેશો..જોજે હુ ધક્કો મારીશ ઉપરવાળાને .પણ એની પાસે કોનુ ચાલ્યુ છે કે મારા પપ્પ્પા નું ચાલે ?અને આખરે કાળ એમને ભરખી ગયો..આજે એમની વાત કાઢવા ની ઇછ્છા એટલા માટે થઈ કારણ તેઓ પણ તમને બધાને મલે અને જોવે કે એમની દિકરી એ બ્લોગ બનાવ્યો..આજે કેટલાં જણા એમની દિકરી ને ઓળખે છે પણ ...મારા જીવ નાં સંતોષ ખાતર જ સહી.. મને ખબર છે કે એક વાર જાય એ પાછુ વળી ને જોતા નથી ..પણ આપણે તો યાદ કરી શકીયે ને...તો આજે મરા બધા નવા friends ને મલાવા લઈ આવી મારા પપ્પા ને...પછી મે એમની માટે એક પત્ર લખ્યો એ તમને વંચાવુ છુ... આમાં થી એક ફોટો મારા લગ્ન સમય ની વિદાઈ નો છે.
હે પ્રભુ તારો પણ કોઇ ઇમેઇલ આઈડી હોત...