Nawya.in

nawya

Sunday, November 25, 2007

28)
....
વડિલો નિ વ્યથા.

આજે બા બહુ બેબી ની સિરીયલ જોઇ એમાં એક સીન જોયો પ્રફ્ફુલ જે કલાકાર છે। એમાં એને એનાં ઓફીસ વાળા કહે છે કે અમને અમારી co. માં YOUNG, AGGRESSIVE,AND DYNAMIC લોકો જોઇયે છે.આગળ ની સિરીયલ ની story આખી અલગ હતી. પણ આટલુ જોઈને મને બહુ બધી વાતો યાદ આવી ગઈ. જે અહિયા કહુ છુ। મારે થોડા વખત પહેલા એક ઠેકાણે ૬૦ વર્ષ પછી ની જિંદગી ઉપર બોલવાનુ હતુ.ત્યાં મે જે speech અપી હતી જે આપને ટુંકાણ માં કહુ છુ.

૬૦ વર્ષ પછી ની જિંદગી ફક્ત પોતા માટે જીવવાની હોય છે।
દિકરા વહુ શુ કરે છે ?એમનાં બાળકો શુ કરે છે?
એ બધી ચીંતા માં થી દુર રહેવાનો સમય છે।
ઘર માં કદાચ એવુ પણ થાય કે વહુ ને આપ કામ કરો એ પણ ન ગમે ।
તો મુકી દ્યો શુ કામ કરવાનુ?ગાર્ડન મા જાઓ ગપ્પા લગાવો.મજા કરો ।
બહુ બધુ છે કરવા માટે।જો ઘર નાં બાળકો સલાહ માંગે તો ઠીક છે આપો નહી તો કાંઇ નહી.
આવી બહુ બધી વાત કરી હતી। બધાને ગમ્યુ હતુ.
પણ થોડોક વખત પછી એક વડિલ અમારા ઘરે આવ્યા. એમની ઉંમર ૬૩ વર્ષ એમને કાંઇ કામ ન હોય પણ તેઓ આવે ગપ્પા મારે પછી જાય।એ દિવસે મારી speech પર ચર્ચા થઈ . મને કહે નીતા તારી ઉમર થાસે પછી તુ શુ કરીશ?મે કહ્યુ વડિલ બે દિકરીઓ છે. મારે તો કામ છુટવાનુ જ નથી બેઇ ચાલી જાશે સાસરે પછી મારે ક્યા રસોડૂ છૂટવાનુ છે એ તો હંમેશા ચાલુ જ રહેશે।
અને હવે તો બ્લોગ ની દુનીયા છે આખો દિવસ એમાં નિકળી જાશે ખબર પણ નહી પડે.
પછી તેઓ મારા વરજી ને પુછ્યુ કે તુ શુ કરીશ?।
તો માર વરજી એ જવાબ આપ્યો કે જ વા દ્યો ને વડિલ કાલે કોને ખબર છે હશુ કે નહી। હમણા કયાં કાલ ની ચીંતા કરવી।
તો એમણૅ જવાબ આપ્યો એવુ ન બોલ। પહેલા થી જ વીચારી કેપછી શુ કરવાનુ છે કારણ પછી જ તુ બધાને આડો આવીશ્ ઘર માં એ નડીશ અને બહાર પણ કોઈ કામ નહી આપે।
એમની વાત મને એટલી સાચ્ચી લાગી કે જ્યારે બહુ જરુરત હોય છે વ્યસ્ત રહેવાની, ત્યારે કહેવામાં આવે છે કે હવે તમારી ઉંમર થઈ આરામ કરો.
હમણા એક વડીલ ને જોવા જાવનુ થયુ। તેમનાં બે દિકરા વહુ હતા પણ આ બન્ને સાસુ સસરા એકલા રહેતા હતા. રોજ ટીફિન આવી જાતુ. પણ સાથે જમવા વાળુ કોઇ ન હતુ. હુ ગઈ અને અચાનક મારા થી એમનો હાથ હાથ માં લેવાઈ ગયો. અને મે પુછ્યુ "કેમ છો માસી અને એમનુ રડવાનુ ચાલુ થઈ ગયુ. મે કહ્યુ શુ થયુ માસી એ તો કહો આમ રડો નહી. અને મારો હાથ એમના હાથ પરથી હટી ગયો એમણે પાછો પકડી લીધો મને કહે હટાવ નહી નીતા આ સ્પર્શ મલે મને વર્ષો થઈ ગયા. કોઇ પાસેથી પોતાપણુ નથી મલતુ. ઘર માં જમવાનુ મલી જાય છે તૈયાર. મારા ખાતા માં લાખ્ખો રુપીયા પડ્યા છે પણ કહે ને કામ નાં શુ?કોઇ વાત કરવા વાળુ જ નથી. હુ એમની સાથે કલાક બેઠી. અને એમને મે થોડુ હસાવ્યુ. પણ ઘરે પણ પહોચ્વુ હતુ એટ્લે મે કહ્યુ માસી હુ જાવ. અને એમનુ રડવાનુ પાછુ શરુ થઈ ગયુ.મને કહે નીતા પાછી આવજે બેસવા મારી સાથે વાત કરવા. હુ વધારે વખત નહી જીવુ. મારે એમને રડતા મુકીને જ નીકળવુ પડ્યુ.મે શુ આપ્યુ એમને ફકત મારો એક કલ્લાક. પણ એમને એમ થયુ કે મારી સાથે વાત કરવા વાળુ પણ કોઇક છે।આવા તો કેટ કેટલાં વડિલો હશે।
જેમનાં દિકરા બે બિલ્ડીંગ છોડી ને રહેતા હશે અને એમને સમય પણ નહી હોય કે એમનાં માતા પિતા પાસે બેસીને વાત કરે .
બધા યુવાનો ને કહુ છુ જેમનાં માતા પિતા ની ઉંમર હોય એમની પાસે બેસો એમનુ સાંભળો. એ દિવસ ન લઈ આવો જ્યારે માતા પિતા નાં મોઢા માં થી છેલ્લે એ જ શબ્દો નીકળે કે,
" હે ભગવાન મને આના કરતા બાળકો ન હોત તો સારુ"
આ વાંચીને કોઈ પણ વડીલ નુ દિલ દુભાણુ હોય તો હુ ક્ષમા માંગુ છુ.
N.


Wednesday, November 21, 2007

27)
...
મારુ સપનુ
...
બે દિવસ પહેલા સપનુ આવ્યુ કે હુ એક મુસલમાન કુટુંબ ની મહેમાન બની અને ત્યા જઈને મે બુરખો પહેરી ને નમાઝ પઢી અને પછી એમને મે શેર સંભળાવ્યા।
અને એ લોકો એટલા રાજી થયા।
મને બહુ ઓછ્છા સપનાં યાદ રહે પણ આ સપનુ એકદમ યાદ રહી ગયુ .અને મગજ માં થી નીકળે નહી કે આવુ કેવુ સપનુ?
ફ્રિષ્ન ની લીલા માં અને રાધાજી નાં નામ માં મસ્ત રહેવા વાળા આપણે, આવુ કેમ સપનું આવ્યુ? દુઃખ ન હતુ કે મેં બુરખો પહેરી ને નમાઝ પઢી પણ આવુ કેવુ સપનુ?બે દિવસ મથામણ ચાલી ત્યા ત્રીજે દિવસે પાછુ સપનુ આવ્યુ કે આપણે મગજ માં જે ક્રિષ્ન ની છ્બી બનાવી છે એ મુરલીધર અને એક મુસલમાનો ની ટોપી પહેરી ને એક ભાઈ મે માન્યુ કદાચ એ જ અલ્લાહ હશે.ત્યા એ બન્ને સાથે બોલ્યા કે શુ આમ તો ઢંઢેરો પીટાવતા હો છો કે ભગવાન બધા એક જ છે અને સપનાં ની વાત પણ મગજ માં થી નથી નીકળતી?ત્યારે મે એમને જવાબ આપ્યો પ્રભુ તમે જે દુનીયા બનાવી હતી એ અલગ હતી આપ શેની વાત કરો છો? અમે તો અહિયાં એવી દુનીયા બનાવી છે જ્યા ઠાકોરજી ની સેવા કરવા વાળા ઓ શંકર ભગવાન નાં મંદિરે નથી જાતા એમાં એ લોકો પાપ ગણે છે અને તમે રામ રહિમ ની વાત કરો છો? એ બન્ને ભગવાન થોડુ હસ્યા અને જતા રહ્યા. અને ત્યારે મારાથી જે રચનાં બની એ અહિયા લખુ છુ.

કદી એમ થાય તુ છો.
કદી એમ થાય તુ છો?

કદી એમ થાય કે,
તુ જ અમને સંભાળે છે.
કદી એમ થાય કે તુ અમને
સંભાળે છે?

કદી એમ થાય કે
તે જ જીવન આપ્યુ।
તો કદી એમ થાય કે
, તુ મરણ કેવી રીતે આપે?

તુ જ જીવન દાતા
અને
તુ જ મ્રુત્યુ દાતા
બેઉ કેવી રીતે એક માં સમાણા?

કદી એમ થાય કે
હા તુ છે અમારો.
પણ
કદી એમ થાય કે
શુ અમે છીયે તારા?
N.


Monday, November 19, 2007




26)

....
૧૮/૧૧/૧૯૮૭ થી ૧૮/૧૧/૨૦૦૭



મારા લગ્ન દિવસે હ્રદય માં આવેલી વાત



તમારી સાથે બંધન મા બંધાયે થયા ૨૦ વર્ષ પુરા,
માતા પિતા સાથે રહી હતી તેના કરતા પણ હવે
એક વર્ષ વધ્યુ તમારી સાથે વધારે
હવે બસ હજી ૩૦ પુરા કરજો પછી
સાથ છોડજો છોડવો હોય તો
૫૦ ઉજવશુ સાથે મલીને
પછી તમતમારે જાજૉ
હુ આવીશ પાછળ જ
પણ હુ પહેલા નહી જાવ
કારણ તમે છો પ્રેમ નાં ભુખ્યા
અને કોઇ નહિ કરે તમને અહી
પ્રેમ મારા જેટલો
આજે ૨૦ વર્ષે કહીશ સાચ્ચી વાત બધા સામે
કે મે તમને નહી, તમે જ મને સંભાળી છે .

N.


Wednesday, November 14, 2007

25)
...
મ્રુત્યુ


આ એક જ વિષય એવો છે કે જેનાં પર કોઇ ચર્ચા કરવા જ નથી માંગતા,ક્યારેક પણ આ વિષય પર વાત કરવાનુ ચાલુ કરુ ને તો કહેશે નીતા તને બસ આ જ વાત સુજે બીજી કાંઇક વાત કર. બધાને ખબર છે કે એક દિવસ એવો આવીને ઉભો જ રહેવાનો છે કે જ્યારે આપણને ઇછ્છા નહી હોય તો પણ આપણે જીવન લીલા સંકેલવી જ પડશે. આપણા શરીર નો જેનો આપણે આટલો મોહ કર્યો છે એને છોડવુ જ પડશે.
મ્રુત્યુ ડરવાની નહી પણ માણવાની વાત છે હુ તો કહુ કે જેમને ખબર પડી જાતી હશે કે એમનુ મ્રુત્યુ થાવાનુ છે એમનાં મન માં ડર હોતો હશે કે શુ થાતુ હશે?
મને નથી ખબર કે મારુ મ્રુત્યુ કેવી રીતે થાશે પણ જો ખબર પડી જાશે કે કે થોડા વખત માં મરવાનુ છે તો હુ તો બધાને મલી લઈશ ।બધાને ભરપુર પ્રેમ આપી દઈશ। હુ ભગવાન નુ નામ કદાચ ઓછુ લઈશ કારણ ત્યા તો જાવાનુ જ છે। અહિયા મારા દોસ્ત દુશ્મન બધાને મલી લઈશ્ ચાલો મારી વાત મુકીયે.
હા જુવાન જોધ મરણ થાય ત્યારે દુઃખ થાય એમાં કોઈ બેમત નથી એ મરણ ને હુ નથી કહેતી કે માણવાની વસ્તુ છે.પણ જે આપણા હાથ માં છે જ નહી એની માટૅ કેટ્લુ આંક્રદ . હુ નાની હતી ત્યારે મને યાદ છે મમ્મી કહેતા કે જીવન એક પિકનીક છે ,મજા કર્વાની મસ્તી કરવાની અને ઘરે ચાલ્યા જાવાનુ. અને પિકનીક માં આવ્યા હોઇયે ત્યારે મસ્તી તોફાન કરીયે એ ચાલે પણ કોઇ ને હેરાન કરીયે તો માતાપિતા સજા કર્યા વગરનાં ન રહે. પછી કેટલી પણ માફી માગીયે કાંઇ ન ચાલે. આપણા સાચ્ચા માતા પિતા તો ઉપરવાળા છે . જીવન એ તો એ એક ફરવાની જગ્યા છે કોઈને પણ નુકશાન પહોચાડ્યા વગર મજા કરો મસ્તી કરો અને ઘર ભેગા થાવ. પણ આપણે મ્રુત્યુ ની ચીંતા પણ નથી કરતા અને એને કબુલ કરવા પણ તૈયાર નથી.બીજા આપણુ બગાડે તો આપણે એનુ એનાં કરતા વધારે કેમ બગાડી શકીયે એ વિચારો કરવા માં આપણે કેટલો સમય વેડફી નાંખીયે છીયે. કેટકેટલા લોકો સાથે સંબધ બગાડતા હોઈયે છે. કેટકેટલા લોકોનાં મન આપણા વચન થી વિંધી નાંખતા હોઇયે છે.કોઈક નાં હ્રદય નાં ટૂકડૅ ટુકડા કરતા આપણે જરા પણ ખચકાતા નથી.એટલે જ મારાથી એક વાર લખાઈ જ ગયુ કે,

અભિમાન નાં નશા માં ચકચુર થયેલા
એવા લોકો મને મલ્યા જે ,
મદિરા પીને લથડતા લોકો કરતા
પણ ખરાબ હતા.
અને
એક સેંકડ માં હ્રદય નાં
ટુકડે ટુકડા કરી નાંખતા
લોકો મને મલ્યા
જે ભ્રુણ હત્યા કરવા વાળા ઓ
કરતા પણ ખરાબ હતા।
...
આગલી ક્ષણ આપણી હશે કે નહી આપણને ખબર નથી પણ તો પણ આપણે અભિમાન માં ઉડતા રહીયે છીયે આપણે એ ચીંતા નથી કરતા કે ક્યારે મ્રુત્યુ આવીને ઉભુ રહી જાશે। પણ એના કરતા વધારે આપણે વધારે આપણા બુઢાપા ની ચીંતા કરીયે છીયે। આવતીકાલ અને ગઈ કાલ માં જીવવાની આદત છે આપણને।આજ માં આપણે જીવતા જ નથી. ત્રણ મહિનાં પહેલા ટિકિટ કઢાવી લેશુ ભલે કોઈ ખાત્રી ન હોય કે એ ટિકિટ માં આપણે મુસાફરી કરશુ કે નહી. ભલે જરુરી છે એ બધુ. પણ પાછુ એનુ એ અભિમાન લેતા હોય અમને તો ટિકિટ મલી ગઈ.
કેટકેટલા લોકો ને આજનુ વધેલુ અનાજ આવતી કાલ માટે રાખતા જોયુ છે । અરે મારા ભઈ તને ખબર છે તુ કાલે જીવતો હોઈશ કે નહી આજે કોઇક નુ પેટ ભર ને એનાથી।પણ ના કાંઇક કહિયે તો કહેશે તમને ન ખબર પડે. બસ જો આપણે મ્રુત્યુ ને સાથે લઈને ફરતા શીખી જશુ ને તો પણ આપણે બહુ બધા ગુન્હા કરવા થી બચી જશુ.

મ્રુત્યુને સાથે લઈ ને ફરતા શીખો,
મ્રુત્યુ ને ઉત્સવ ની જેમ માણતા શીખો.
જીવન સુધારવુ હોય જો,
તો ક્ષણે ક્ષણે મ્રુત્યુ ને યાદ રાખતા શીખો
ભુલો થી ભરીને જિંદગી જીવવી ન હોય,
તો
મ્રુત્યુ ને માથા પર લઈને ફરતા શીખો .

આ લેખ થી કોઈ નુ પણ દિલ દુભાણુ હોય તો હુ હ્રદય થી ક્ષમા ચાહુ છુ.
N.


Tuesday, November 6, 2007

24)
...
દિવાળી.

ક્યાંક પ્રગટે ઘી નાં દીવા,
ક્યાંક અંધારી રાત છે.

ક્યાંક છે મહેફીલો ની કતાર
ક્યાંક છે તપેલા ખાલી.

ક્યાંક છે નવા કપડા ઓ નાં ઢગલા
ક્યાંક છે શરીર ઢાકવાનાં વાંધા.

ક્યાંક દેખાડા કે અમે ખુશ છીયે,
કોઇક મન નાં રાજા.

આ દુનીયા છે એક ખેલ તમાશો,
ક્યાંક છે નાટક અને કયાંક હકિકત.

કોઇ ખુશ નથી મન થી ,
આ તો દુનીયા ને દેખાડવાના દિવસો.


Friday, November 2, 2007

23)
.....
૯.૫૫ ની લોકલ

મુંબઈ ની લોકલ એટ્લે
મુંબઈ ની જાન,
યાતનાં ઓ ની ખાણ
અને
સંબધો ની ભરમાર.

વર્ષો થી હુ સફર કરતો હતો,
રોજ સવારની ૧૦.૫ માં
આજે મને મલી ૯.૫૫

અરે મારા મિત્રો મને શોધતા હશે
પણ મને મલી આજે ૯.૫૫

રોજ ભિંસાતો,લટક્તો જાતો,
પણ આજે તો મને જગા પણ મલી ગઈ.
લોકો બુમો પાડતા હતા,
ખાલી કરો,જગ્યા કરો,
અને મારી માટે બધાએ જગ્યા કરી.

મને પણ અચરજ થાતુ હતુ કે ,
આજે મને જગ્યા મલી?

સાયન આવ્યુ અને મને ઉતારી દીધો.
અરે પણ મારે તો જાવુ છે દાદર.

કાંઇક કહુ ત્યા તો એમબ્યુલન્સ માં મને નાખી દીધો,
અને થોડી વારમાં તો ,
પોસ્ટ્મોર્ટમ વાળા ઓ ને સોંપી દીધો।

હવે ખબર પડી મને કે
કેમ મને જગ્યા મલી
અને
કેમ મલી મને આજે ૯.૫૫