Tuesday, June 30, 2009




Sunday, May 31, 2009

કાલ્પનીક જિંદગી

ગગન માં માંડી મીટ મે અને વાદળાં ની હાર માળા જોઇ..
એક વાદળું મને લાગ્યું,
જાણે સૂરજ દાદા નો રથ,
અને બીજું વાદળું જાણે એક નાનું બાળક..
અરે ત્યાં એની બાજુ નું જાણે એક ભયંકર રાક્ષસ..
અને એ બાળક માટે મારું હ્રદય ડરી ગયું ..
પછી ધ્યાન ગયું કે આ હતી મારી કલ્પનાઓ ..
આ કલ્પનાઓ જ આપણને કેટલી કરે છે હેરાન
અને કરે છે મનમાં ઊભી રાગ દ્વેષ ની ભાવનાઓ..
બધાજ સંબંધો અને બધી જ પરિસ્થિતિઓ ,
બધુજ છે એક કાલ્પનિક જિંદગી ..
આજે હશું અને કાલે કદાચ આપણે જ નહી પણ હોઇયે ..
આ કાલ્પનિક જગત માં..
તો કેટલાં રાગ દ્વેષ કરશું હજી આપણે,
ચાલો કરી લઈયે બસ બધાં સાથે પ્રેમ, એ દોસ્તો..

નીતા કોટેચા


Friday, May 22, 2009

શબ્દો ખોવાઈ ગયા છે સંબંધો ની માયા જાળ મા..

અને અટપટું લાગે છે સગળુ ..

આ દંભ ભરી દુનીયા માં..

ગોતવા લોકો નો પ્રેમ નીકળી ગઈ છુ,

હુ તો શ્વાસ ઉધાર મૂકી ને...

પણ પોતાનાં રહ્યાં નથી પોતાનાં હવે,

જીવન મરણ વચ્ચે નાં સંબંધ સુધી...


નીતા કોટેચા


આ મને શું સપનું આવ્યું કે તમે પાસે હતા..

અને હવે મને કેમ તમે દેખાતા નથી ..

અને આ શું??

મને થયું કે તમે મારા હતા..

પણ હવે તો સપના માં પણ મલતા નથી તમે...


નીતા કોટેચા..


કંઇક અલગ જ સંબંધ બાધ્યાં હતા તમારી સાથે ...

કે જે કદાચ એક ભ્રાંતી હતી ..

અને જે ભ્રાંતી હતી એને જ સાચા સંબંધ માની બેઠી હતી હુ ...

લ્યો કેવો જાદુ છે આ અજબ ગજબ ની દુનિયા નો...


નીતા કોટેચા


ધારતા ધારતા બધુ, જિંદગી પુરી થઈ ગઈ ...

અને તુ મારી, તુ મારી.. કહેતા કહેતા જિંદગી પુરી થઈ ગઈ ..

હુ જ મૂરખ ..ના સમજી આ જગત નાં સંબંધો ને...

અને બધાને હ્રદય માં રાખતા રાખતા જિંદગી પુરી થઈ ગઈ..


નીતા કોટેચા


ઊકળતા આંસું મે જો્યા..

અને ઠંડાં નિસાસા મે જો્યા..

જરા જરા સી વાત પર માણસ ને મે ટુટતા જો્યા..

હવે ક્યાં રહી છે એ સહનશકતી ની વાતો ..

હવે તો વાતે વાતે માણસ ને મે વેચાતા અને ખરીદતા પણ જો્યા..

કરશું ક્યારે પોતાનાં આત્મા નો ઉધ્ધાર??

અહીંયાં તો ક્ષણે ક્ષણે મે આત્મા ને કચડતા જોયા....

હવે ભરોસો કરવો કોનો ..

અહીંયાં તો ભગવાન ને પણ હવે રીસાતા જો્યા..


નીતા કોટેચા


Wednesday, May 20, 2009

દુનિયા મા એ લોકો ને જ પોતાનાં ગુરુ માનો જે તમને હેરાન કરે અને તમને હાનિ પહોચાડે..
તમને દગો આપે અને તમારી સાથે બેવફાઇ કરે..
એ જ જીવન જીવતા સીખડાવે છે..

નીતા કોટેચા


સમય ક્યાં છે કોઇને કે એ સમય કાઢે મારી માટે..

અને સમય કયાં છે કોઇને કે જે પુછે હાલત મારી ...

આટલા વર્ષો માં મળ્યાં એવા જ બધા ..

ચલો આજ એક નો ઉમેરો થઈ ગયો...

નીતા કોટેચા


Sunday, May 10, 2009

ઓ મમ્મી મને માફ કરી દે જે..


એક વાર તુ રડી પડી હતી ...

મારાથી તને જોર થી કંઇક કહેવાઈ ગયું હતું..

પણ તુ રસોડા માં કામ કરતા કરતા રડતી હતી..

મને જણાવવા ન દીધુ હતું..

અને હુ અચાનક પાણી પીવા રસોડાં માં આવી ,

તો જોયુ તો તારી આંખો માં થી અશ્રુ સતત વહેતા હતા.

મે પૂછ્યું શું થયું મમ્મી,કેમ રડે છે??

તો તે કહ્યું નીતા, મારુ બાળક મને જોરથી કંઇક કહે તો હુ કેમ સહન કરુ??

મને બહુ જ દુખ થયું હતુ..મે મારી માતા નું હ્રદય દુભવ્યું ..

હુ એને વળગી પડી અને મે કહ્યું તો તુ મને વઢ ને ..કેમ ચુપચાપ રડે છે??

તો તે કહ્યું ..ના, હુ જોર થી બોલું તો તને દુખ થાય ને નીતા...

એ વાત આજે પણ યાદ કરીને હુ રડી પડુ છુ મમ્મી..

મને માફ કરી દે જે મમ્મી ..


નીતા કોટેચા..


Wednesday, March 11, 2009

http://sab-ras.blogspot.com/2009/03/blog-post_5267.html

સ્વાતંત્ર્ય દિવસ


મારી વાર્તા કે જેને મળેલુ ત્રીજુ ઇનામ ..જરુર થી વાંચશો...




Monday, February 9, 2009

શું કરવુ

તારા અને મારા હ્રદય વચ્ચે આ દીવાલ બંધાણી ક્યારે ખબર ન પડી ...

પુલ ટુટત તો ચાલત..આ દીવાલ નું શું કરવુ??

તારા અને મારા સંબધ વચ્ચે આ શંકા આવી ક્યાંથી ...

અબોલા હોત તો ચાલત પણ આ નફરત નું શું કરવુ??

તારા અને મારા વચ્ચે આ મૌન ક્યાંથી આવ્યુ ખબર ન પડી ...

ઝગડો થયો હોત તો ચાલત..પણ આ શીત યુધ્ધ નુ શું કરવુ??

તારા અને મારા વચ્ચે સંબધ જ ન બંધાણો હોત તો ચાલત..

પણ આ તારા વગર જીવાતુ નથી એનું શું કરવુ..ખબર નથી પડતી...



નીતા કોટેચા...


Wednesday, January 21, 2009

જીવન એક સંઘર્ષ....


શ્રધા..

પીળા પાંદડા જેવા દિવસો

ઝડપથી ખરી રહ્યા છે..

હવે, સમયની ટોચ પર

લીલાંછમ પર્ણો જેવી રાતો

અને

રંગીન પુષ્પો જેવા દિવસો બેસશે..

દુરની ડાળી પરનું પંખી ચહેકી ઊઠશે

એ સાચું છે કે પાનખર તમારું

સર્વસ્વ હરી લે છે ...

પણ બદલામાં તે તમને અર્પે છે ,

વંસત.

એક ઉષ્મા ભરી વંસત....

યશોદા પલણ...

નમસ્તે મિત્રો ...

તમારી દુનિયા માં હું આજે પ્રથમ વાર પ્રવેશી રહી છું..મારું નામ યશોદા પલણ ..હું લેખીકા છુ..અને કવયિત્રી પણ છું..મારા બે પુસ્તકો "એક દંડીયો મહેલ" અને "ઓકટોપસ" પ્રકાશિત થયા છેં...

તમે મને મળ્યા હો તો તમારાં મનમાં વિચાર થાય કે હુ કઇ રીતે લખતી હોઈશ..કારણ કે હું ફિઝિકલી હેન્ડીકેપ છું..સાત વર્ષ ની ઉમરે રુમેટોઈડ આર્થ્રાઈટિસ નામની બીમારી લાગુ પડી ત્યારથી હું લગભગ પથારીવશ છું..બન્ને પગ ગોઠણ માં થી બેન્ડ થતા નથી ..જમણો હાથ સીધો રહે છેં..અને બન્ને બે આંગળી ઓ વાંકી રહે છે...એ વાંકી આંગળીઓ વચ્ચે પેન પકડીને સૂતા સુતા જ લખું છું...

અપંગતા ને તો સહી લીધી પણ હવે મારી આંખનો રેટિના નબળો પડી ગયો છે ..આંખની રોશનીને બચાવવા મારે દર બે મહીને ઇંજેકશન લેવા પડે છેં...ડો... રાહત નાં દરે રૂ... ૫૦૦૦ ...ઇંજેકશન દીઠ ફી લે છે એક વર્ષ નાં ૬ ઇંજેકશન એટ્લે ૩૦,૦૦૦ રૂપીયા.. હુ ફકત પાંચ વર્ષ ઇંજેકશન લઊ તો પણ દોઢ લાખ નું બજેટ થઈ જાય આટલો ખર્ચ મને પોસાય એમ નથી પણ આંખ મારું જીવન છેં..આંખને બચાવવી તો પડશે જ મિત્રો..તમે મને મદદ કરી શકશો મિત્રો??

મારુ સરનામુ...

યશોદા પલણ

ડી. લોહાણા મહા પરિષદ

૧ લે માળે...રૂમ નંબર ૩૯..એન .એસ રોડ,

મુંલુડ (વેસ્ટ)...મુંબઈ ૪૦૦૦૮૦..

કોઇ ચેક થી જો આપવા માંગતા હો તો yashodaa palan નાં નામે ચેક આપી શ્કો છો...

મારા ડો..નું નામ

DR.ગૌરવ શાહ...mob. no. 9820047411

નેગમ મંદિર ..બોરીવલી વેસ્ટ...

અને મને જેમને મળવુ હોય તે નીતા ને કહેશે તો એ આપને મારા ઘરે લઈ આવશે...

આપની મિત્ર યશોદા પલણ...

neetakotecha.1968@gmail.com

neetakotecha_1968@yahoo.co.in


બંધ હોઠ પર ફરિયાદ આવી ગઈ

આજ,ફરી કોઈની યાદ આવી ગઇ

માંડ માંદ સપનાં રમતાં શીખ્યા'તા,

હમણા તો હોઠ હસતાં શીખ્યા'તા

ખીલતી પાંદડીઓને પાનખર લાગી ગઈ...આજ...


ઉપેક્ષાની ડાળીએ ખીલેલું ફુલ છું,

વિધાતાની સૌથી ગંભીર ભુલ છું,

જનમી છું જગમાં અભિશાપ લઈ... આજ..


નથી કોઈ મારું , નથી કોઇની હું,

આંખડીના અશ્રુઓને ચુપચાપ પી લઉં,

તમસભરી રાત્રિ કદી પુરી થઈ નહિ... આજ...


અધૂરી રહી ગઈ જીવન કહાણી,

હૈયાની ધરતી સાવ રે સુકાણી ,

ત્રુપ્તિનું બિંદુ એકેય મળ્યું નહિ....આજ..


જુઠી આ દુનિયાના જુઠા સહારા,

અમને પડ્યા મ્રુગજળથી પનારા,

શીતનગરમાં કોઇ કોઇનું નહિ... આજ....

યશોદા પલણ..



હ્રદય મારી પાસે પણ નથી

તારુ દર્દ જો હુ ન સમજુ
અથવા
જો હુ તને દર્દ આપુ ..
તો એક વાત તો પાક્કી કે હ્રદય મારી પાસે પણ નથી..

નીતા કોટેચા.


Thursday, January 8, 2009

ન જોયો

ભર બપોરનો છાંયડો જોયો

અને

જોયો સમી સાંજ નો તડકો..

આ દુનીયા માં જોયુ બહુ બધુ

પણ પ્રેમ નો ઓછાયો જ ન જોયો..

બે પંખી કરતા હતા વાત

તો એ વાત કેવી હતી..

ગામ ફર્યા અને દેશ ફર્યા

પણ

સાચ્ચો માનવ ન જોયો..

માનવ છે તરબતર સમ્રુધ્ધી થી

અને છે ભરપૂર બનાવટી સંબંધો થી ..

જોયા અમે તો ક્યાંક, ટોળે મળીને હસતા લોકો ને

પણ મનથી કોઈને હસતા ન જોયો....

નીતા કોટેચા


Monday, December 29, 2008

ચાલો હવે સ્વાગત કરીયે ૨૦૦૯ ની...

કયુ વર્ષ સારું ગયું છે બહુ વર્ષો થી ,કે ૨૦૦૮ ની વાત કરીયે...
પણ હા આ વર્ષે જેટલું નુકસાન થયું એટલો જ ફાયદો પણ થયો...
કેટલાક દોસ્તો એ દગો આપ્યો તો કેટલાક નવા દોસ્તો મળ્યા..
કેટલાક સંબંધી ઓ દૂર થયા તો કેટલાક બહુ નજીક આવ્યા...
કેટલાક ખરાબ વિચારો આવ્યા તો સારાં વિચારો નાં સ્ટોક એ એનું રાજ ચાલવા ન દીધું..
બહુ ગુમાવ્યુ તો બહુ મેળવ્યું ..
તો કેમ કહુ કે ૨૦૦૮ ખરાબ ગયું..રોજ એક નવો સબક એણે સીખવ્યોં..
રોજ કાંઇક નવુ એણે દેખાળ્યું..દોસ્તો નાં સાચ્ચા ચહેરા એણે બતાળ્યાં..
કેમ કહુ કે ૨૦૦૮ ખરાબ ગયું...ના ૨૦૦૮ ખૂબ સરસ ગયું..

તો ચાલો પાછાં તૈયાર થઈ જાઈયે નવા તોફાન ની સામે લડવા..
બાકી ઉપર વાળો તો છે જ આપણી સાથે...
કોઈ ને કોઈ સ્વરૂપે આવી જ જાય છેં..
જે દોસ્તો એ સાથ આપ્યો એનો ખુબ ખુબ ઉપકાર..
અને જે દોસ્તો એ દગો દીધો એનો ખાસ ઉપકાર માનું છુ કારણ કે દુનિયા સાચ્ચી શું છે એ તો એમની પાસે થી જ જાણવા મળ્યું..
ચાલો તો હવે સ્વાગત કરીયે ૨૦૦૯ ની...

નીતા કોટેચા


Thursday, November 20, 2008

પરફ્યુમ ની બોટલ...

ભાભી તમને યાદ છે એ દિવસ ,જ્યારે મારા હાથ માં થી તમારી નવી આવેલી પરફ્યુમ ની બોટલ પડી ગઈ હતી ..
તમે સાગર બાબા ને મારી પાસે મુકી ને શાક લેવા ગયા હતા..અને તમારી એ ઉમર વળી કઈ વધારે હતી ..તમે એ તે ફકત ૨૧ વર્ષ નાં જ તો હતા.અને હુ ૧૯ ની. તમારો જન્મ દિવસ ની ભેટ, ભાઈ લઈ આવ્યા હતા...૨૦૦૦ ની એ બોટલ હતી ..તમે કેટલી વાર મને કહ્યુ ,જો તારા ભાઈ મારી માટે લાવ્યા
તમે એ દિવસે શાક લેવા ગયા હતા અને કહીને ગયા હતા કે, મને આવતા મોડુ થાશે..
સાગર રમીને થાક્યો અને સુઈ ગયો...હવે હુ નવરી પડી ..હવે શુ કરુ?
નવરું માણસ નખ્ખોદ વાળે ..એ કહેવત કદાચ ખોટી નથી..અને મે પણ એ જ કર્યું...
નજર ગઈ તમારી પરફ્યુમ ની બોટલ પર.. આને બાળ માનસ કહો કે કંઇક નવુ જોવાની લાલચ કહો પણ હુ મારી એ ઈચ્છા ને રોકી ન શકી ..મને થયુ કે જરા એની સુગંધ લઈ જોવ...અને એનું ઢાંકણું ખોલ્યું અને સાગર બાબા ઉઠી ગયો...અને ત્યાં બેલ વાગી ...બધુ એટલુ ભેગું થયુ કે હુ ગભરાઇ ગઈ ...અને જલ્દી જલ્દી એ બોટલ અંદર મૂકવા જતી હતી ત્યાં એ હાથ માં થી છટકી ગઈ ....અને કાચ ની બોટલ હોવાથી એનો ભુક્કો બોલાઈ ગયો...
દરવાજો ખોલીને જોયુ તો કુરીયર વાળો હતો...મે ધ્રૂજતા ધ્રૂજતા કુરીયર લીધુ...એ માણસ એ મને કહ્યુ "ક્યા બાત હૈ બહોત સુંગધ આ રહા હૈ.."
મને એટલો ગુસ્સો આવ્યો હતો એના પર..જ્યારે કે એણે એવુ કાંઇ નહોતુ કહ્યુ જે વાત પર ગુસ્સો કરીયે...
માંડ માંડ સાગર ને સાચવ્યો..જો સાગર ન હોત અને ખાલી ઘર સંભાળવાનુ હોત તો હુ ભાગી ગઈ હોત..
ત્યાં તમે આવ્યા..અને આવીને જોયુ કે ત્યાં પરફ્યુમ ની બોટલ ટુટેલી પડી હતી..તમારાં ચહેરા પર કેટલાં ભાવ આવ્યા અને ગયાં..
હુ માથું નીચું કરી ને ઊભી હતી...અને તમે મારી નજીક આવ્યા અને કહ્યુ" સવીતા તને લાગ્યું તો નથી ને..."
અને હુ તમને ભેંટી પડી ..અને ખુબ રડી ...મે માફી પણ માંગી..
પણ તમે કહ્યુ હવે રડ નહી પાગલ, બોટલ તો બીજી આવી જાય ..તારું હ્રદય ટુટે તો એને સાંધવા માટે નો દોરો અને સોઈ આ દુનિયામાં ક્યાંય ન મલે..
અને આજે એ વાત ને લગભગ ૪૦ વર્ષ થયાં સાગર બાબા નાં બાળકો ને હવે હુ સંભાળુ છું ...પણ તમે જે મારુ હ્રદય એ દિવસે જીત્યું એનાથી આપણે કદી અલગ ન થઈ શક્યા..કેટલાં એ જણા એ મને લાલચ આપી વધારે પગાર આપવાની..પણ તમને કેવી રીતે છોડી શકુ હુ આ તો હ્રદય નો સંબધ તમે બાંધી લીધો હતો..
નીતા કોટેચા


Wednesday, November 12, 2008

e -otlo

મને આજે ઠીક નથી લાગતું...નીતા એ કહ્યુ..
કેમ શુ થાય છે? સાસુજી એ પૂછ્યું...
ખબર નહી ગભરામણ થાય છે..બેચેની લાગે છે..નીતા એ કહ્યુ..
જા dr. પાસે જઈ આવ...સાસુ જી એ કહ્યુ..
ના આજે નહી, જોવ છુ કાલ સુધી ઠીક નહી લાગે તો જઇ આવીશ...નીતા એ કહ્યુ...
અને એ થોડી વાર બ્લોગ્સ લખવા માટે કોમપ્યુટર પર બેઠી..
એને એમ થયુ કે જરા જોઈ લઈ કોના mail આવ્યા હોય તો ..
અને જેવી onliine થઈ કે વાત કરવા વાળાઓ ની લાઈન લાગી..
અને ચાલુ થૈ વાતો...એટલી વાતો કે ૨ કલાક ક્યાં નીકળી ગયા ખબર જ ન પડી..
જ્યારે કોમપ્યુટર બંધ કર્યું ત્યારે નીતા ને ખબર જ ન હતી કે થોડી વાર પહેલાં એને ઠીક નહોતુ લાગતુ...
વરજી ઘરે આવ્યા...
બધાને પુછ્યુ બધા મજામાં ને?
સાસુજી બોલ્યાં આમ તો મજામાં પણ નીતા ને સવાર ના ઠીક નહોતુ લાગતુ...પણ પછી સારું છે બધા સાથે પંચાત કરી લીધી એટલે...
વરજી એ હસીને જવાબ આપ્યો...બા ઘરમાં શાંતિ જોઈયે છે ને...કરવા દ્યો એને પંચાત...બધી સ્ત્રીઓ માટે આ ખુબ જરૂરી છે ..એનાથી જ એની તબિયત સારી રહેશે...
અને નીતા મલકાણી અને બોલી હે પ્રભુ તે મને કેટલો સારો વર આપ્યો છે કે જે મને સમજે છેં...
અને એક સહેલી ની વાત યાદ આવી કે નીતા પહેલા લોકો પંચાત કરવા ઓટલે બેસતા અને હવે આ e -otlo છે જેના વગર ન જીવી શકાય...


નીતા કોટેચા

હાસ્ય કથા મા પોતાનુ જ નામ લખાય એવુ મારુ માનવુ છે....
તો કોઇ એમ ન સમજતા કે પોતાની અંગત વાત કેમ બ્લોગ માં મુકી..
આ એક હાસ્ય કથા છે અને plss મે પહેલી વાર હિંમત કરી છે તો સાથ આપજો ...


Tuesday, November 11, 2008

દોસ્ત

મારી યાદ તને એવું સતાવશે એ દોસ્ત,
કે ,
અરીસા માં જોઇશ તોય તને મારી તસવીર દેખાશે..
.તે મારુ મન તોડ્યું છે એવુ કે કદી જોડાશે નહી ..
પણ બધાં ટુકડા માં તને તુ દેખાશે..
નીતા કોટેચા


મારી સમજ

મારી સમજ ની વિરુધ્ધ્દ હુ જવા તૈયાર નથી..
અને
તારી સમજ ને સમજ્યા સીવાય હું સમજવા તૈયાર નથી...
લોકો કહે છે કે,
અમે કહીયે એ સાચ્ચુ તો હુ સમજુ એ ખોટુ એ માનવા હું તૈયાર નથી...
નીતા કોટેચા


તો દોષ તને જ કેમ

કેવી છે તારી મૈત્રી કે મને ભૂલી ને પણ તુ ખુશ છો..
રોજ એ વિચારી ને હું દુખી થતી..
પણ આજે અચાનક વિચાર આવ્યો કે જીવું તો હુ પણ છું જ ને...
તો દોષ તને જ કેમ???


ભ્રમ



એકલો અટુલો હુ મારી જિંદગી નો મુસાફીર બની ગયો...
તારો સાથ હતો છતાં, હુ એકલો રહી ગયો..
કહે છે લોકો મને, કે તુ પ્રેમ કરે છે મને બહુ ,
છતાં એ માનવા મારો ભ્રમ ઓછો પડી ગયો...
કદાચ મારો જ પ્રેમ ઓછો હશે
એટલે જ .
સાથ આપણો અધવચ્ચે જ ટુટી ગયો

નીતા કોટેચા


Tuesday, November 4, 2008

નક્કી છેં..




કુદરત કામ કરે છે એ નક્કી છે...
ભલે દેખાય નહી ,પણ એ છે ક્યાંક
એ નક્કી છે....

જતા હોઈયે ક્યારેક કોઈ કામ કરવા
તો હ્રદય રોકે છે એ નક્કી છે....

ન હોય જો આપણી માટે બરોબર કંઇક
તો એ ઇશારો કરે એ નક્કી છેં...

સમજતા આપણને નથી આવડતું
એ વાત અલગ છેં...
પણ એ સમજાવે છેં એ પણ નક્કી છેં....

નીતા કોટેચા...


Friday, October 31, 2008

ઇન્દિરાગાંધી અને "અ"











એક સ્ત્રી તરીકે હુ એમને બહુ માન આપુ છું...કે જેમણે ભારત ને સોળ વર્ષ સુધી સંભાળ્યું...
ગાંધી પરીવાર થી હુ પહેલે થી પ્રભાવીત છું...
એમનાં ભાષણ અને એમની બોલવાની ઢબ થી હુ બહુ પ્રભાવીત હતી...
ત્યારે છાપા મા આવતા સારા લખાણ ની ડાયરી બનાવવાની આદત હતી ...
એક વાર ઇન્દિરાગાંધી અને "અ" એના પર લખાણ આવ્યું હતુ જે મે લખી રાખ્યું હતુ ...
કે જે આજે મારા બ્લોગ પર લખુ છું..
ખબર ન હતી ત્યારે કે આ લખાણ હુ ક્યારેક બ્લોગ પર લખીશ.....

ઇન્દિરાગાંધી અને "અ"

૧) જન્મ તારીખ..............................................ઓગણીસ...
૨)બાળપણ..................................................... આનંદ ભવન॥ અલ્હાબાદ
૩_રાશી નંબર..... ...........................................એક (મેષ)
૪) રાશીનાં અક્ષર.............................................અ...લ...ઇ
૫)નિવાસ સ્થાન..............................................એક સ્ફદરજંગ રોડ
૬)અવસાન ની તારીખ.....................................એકત્રીસ ઓક્ટોબર
૭)જવાનું સ્થળ.................................................ઓફિસ
૮)માર્ગ............................................................અકબર રોડ
૯)મુલાકાત માટે આવેલ................................અંગ્રેજ અભિનેતા...

૧૦)હત્યારા....................................................અંગરક્ષક...
૧૧)પિતાને સંતાન.........................................એક પોતે
૧૨)વિક્રમ સંવત ........................................એકતાળીસ (૨૦૪૧)
૧૩)વિ।સંવત મહિનો..................................એક (કારતક)
૧૪)વિ।સંવત તિથી ....................................અષ્ટમી
૧૫)પારસી રોજ............................................આઠ
૧૬)આજીવન ધ્યેય.......................................એકતા ,અંખડતા
૧૭)રાજ્યની છેલ્લી મુલાકાત...................... ઓરિસ્સા
૧૮)રાષ્ત્રપતી ની છેલ્લી મુલાકાત............. આરબ રાષ્ટ્રો
૧૯)ધર્મ નાં ભાઈ... .....................................અરાફત
૨૦)કરાર સમયે રુસી વડા પ્રધાન.... .........એલેક્સી કોસીજીન...
૨૧) ચિંતાનો પ્રષ્ન.. ..................................અમ્રુતસર, આંતકવાદી
૨૨)પ્રતિભા... ............................................આંતરરાષ્ટ્રીય
૨૩)વિજ્ઞાન અને વિકાસ... .........................આર્યભટ્ટ, એશિયાટ.અલિપ્ત રાષ્ટ્રો
૨૪) સરખામણી... ......................................અબ્રાહમ લિંકન..
૨૫)પ્રશંસકોની સંખ્યા... ..............................અબજથી વધારે..
૨૬) ઉંમર... ..................................................અડસઠ થી અધિક..
૨૭) શાસન કાળ ... .....................................એક અને છ (૧૬ વર્ષ)
૨૮)વ્યક્તિત્વ... .............................................એક ને છ..(૧૬ કળા)
૨૯) ગોળી.....................................................એક અને છ..(૧૬ ગોળી)
૩૦)સિધ્ધિ... ....................................................અનુપમ
૩૧) ઇતીહાસમાં સ્થાન..................................... અમર


Thursday, October 23, 2008

દિવાળી


મારે ઘરે એક બહેન વર્ષો થી કામ કરે છેં...હમણાં એમણે એમનાં દીકરાનાં લગ્ન કર્યા...વહુ દેશ ની છેં..એણે ત્યાં ખેતરમાં બહુ કામ કર્યુ છેં..એટલે અહીંયાં બધાનાં ઘરનાં કપડાં,વાસણ કરવા એટલે એક નવી દુનિયા હતી એના માટે...

હમણાં દિવાળી માં આપણે ગુજરાતી ઓ મંડી પડીયે ઘરની સફાઈ માટે..ઘરનો એક એક ખૂણો સાફ કરીયે...પણ એ વહુ માટે આ એક અચરજ હતું..કે આપણે તો રોજ સાફ કરતા જ હોઈયે ને તો દિવાળી મા કેમ આટલું બધું કરો...મે મારાથી થયુ એટલુ મે એને સમજાવ્યું કે નવું વર્ષ શરૂ થાતુ હોય ,ચોપડા પુજન હોય..લક્ષ્મીજી ની પૂજા હોય...એટલે કરવાનું હોય...

પણ એણે ચર્ચા કરવાનું માંડી વાળ્યું અને પોતાનાં કામ પર ધ્યાન આપ્યું॥એક દિવસ સાંજે ૬ વાગે મારે ઘરે આવી મને કહે "ભાભી જલ્દી કંઇક જમવાનું આપો..મને બહુ ભૂખ લાગી છેં..

મે કહ્યુ પણ તે આટલી વાર ખાધુ કેમ નહી ??

તો કહે "આજે એક ઘરનું દિવાળી નું કામ કરવાનું હતુ। સવારનાં અગિયાર વાગ્યા થી એમનાંઘરે કામ કરું છું પણ એક કપ ચાહ નું પણ ન પૂછ્યું..અને એમાં પાછાં સાસુ વહુ જગડે માથું દુખી ગયું, ભૂખ્યા પેટે એમનાં ઝગડા સાંભળીને..."
મને કહે "હે ભાભી તમે મુંબઇ વાળા ઓ ઘરની સફાઈ કરો એમ મન અને મગજ ની પણ કરી નાખતા હો તો..અને એ એનાં ખાલી પેટને ભરવા માં ખોવાઈ ગઈ..એને ખબર ન હતી કે એણે કેટલી મોટી વાત કહી દીધી...


કેટલી સાચ્ચી વાત છેં.....આપણે જૂના ઝગડા નથી ભૂલતા..આપણે વર્ષો પહેલાની વાત નથી ભૂલતા..જો મન અને મગજ ની સફાઈ થતી હોત તો કેટલું સારું..જેમ ઘર માં લાગેલ મેલ ધોવા પછી દેખાતો નથી એમ મન અને મગજ નાં મેલ ધોવાતા હોત તો કેટલું સારું થાત...

મને એની વાત સાંભળીને એમ થયુ કે મહાન કોને કહેવા...? જે વાણી વર્તન અને વિચાર, વિચારી ને સારા બતાવે એને કે પછી જેનાં મનમાં પોતે જ આવા વિચારો આવતા હોય તેને???

જેનાં બેંક માં લાખો રુપીયા પડયા હોય એને કે પછી જે બીજા નાં ઘરનાં વાસણ કપડા કરીને પણ આવા વીચારો ધરાવતુ હોય એને????

તો ચલો મિત્રો,

આપણે પણ આજે નક્કી કરીયે કે આપણે પણ બને ત્યાં સુધી મન અને મગજ ની સફાઈ કરી શકીયે..અને ઘર નાં આંગણાં માં દીવો થાય કે નહી પણ કોઈક નાં હ્ર્દયમાં દીવો કરીયે...

આપણે કોઈ અનાથ આશ્રમ કે વ્રુધ્ધાશ્રમ જવાની જરુર નથી કદાચ ત્યાં આપણું આપેલું બહુ ઓછું લાગશે...પણ આપણે આપણાં જ કુટુંબ માં એવા લોકો ને ગોતીયે કે જે હતાશા ની ખાઈ માં ગરકાવ થઈ ગયાં હોય..એને જઈને હૂંફ આપીયે..

એમને એમ લાગશે કે મારુ કે કોઇક છે આ દુનીયામાં ...એનાથી આપણે એનાં જીવન માં દીવો પ્રગ્ટાવ્યો કહેવાશેં...

તો ચલો

પ્રેમ રુપી માચીસ થી લાગણી રુપી દીવો પ્રગટાવીયે...
અને દિવાળી અને નવા વર્ષ નું સ્વાગત કરીયે....

નીતા કોટેચા તથા પરીવાર તરફ થી

બધાને દિવાળી ની ખુબ શુભકામના
અને નવુ વર્ષ ખુબ ખુબ લાભદાઈ નીવડે એવી પ્રાર્થનાં....


નીતા કોટેચા


Tuesday, October 21, 2008

નથી...
..........................

કાંટો થી ભરેલો પાલવ,

કોઈનો હોતો નથી....

અને

ફૂલો થી ભરેલી રાહ ,

જિંદગી ની હોતી નથી...

આંસું વગર ના નયનો,

કોઈનાં હોતા નથી...

અને

ઉદાસી વગર નું

હાસ્ય કોઈનું હોતુ નથી...

વિધાતા ને જે મંજૂર હોય તે જ થાય છે..

છતા પણ

સપનાં ઓ વગર ની જિંદગી કોઈની હોતી નથી...

નીતા કોટેચા...


Friday, October 17, 2008

એક નાની દીકરી ની માતા મૃત્યુ પામી॥ત્યારે એ રડતા રડતા એની મમ્મી સાથે વાત કરતી હતી ત્યારે લખાયેલી એક વાત.................

.......................


જે દુનિયાને છોડી ને ગઈ એ ભલે કોઈક ની પત્ની

કોઈક ની બહેન

કોઈક ની દીકરી

અને કોઈક ની વહુ હતી..

પણ હે માતા તુ કેમ ગઈ ???

તારી દીકરી ને આ બેદર્દ દુનિયાનાં ભરોસે મૂકીને જીવ કેમ ચાલ્યો તારો જવાનો...

રસ્તો ઓળંગતા કેટલું તુ એને સંભાળતી,

અને પ્રેમ થી કેટલું તુ એને સમજાવતી,

કેટલું પ્રેમ થી તુ એને કોળીયા ભરાવતી, અને કેવા પ્રેમ થી તુ એને લાડ લડાવતી...

આજે કોના ભરોસે નોધારી મુકીને તુ ચાલી ગઇ...

જો એ પણ કહે છે રડતા રડતા...

મમ્મી મને પણ plsss સાથે લઈ જા..

તોય કેમ આજે તુ પીગળતી નથી???

નીતા કોટેચા




Saturday, October 11, 2008

સમય દેજે
...............

હે મૃત્યુ દેવતા , જરા દરવાજો ખટકાવીને આવજે..

ઓચીંતા નો મહેમાન બનીનવ આવી ન જતો...



દોસ્તો ને દૂર કરવાનો સમય દેજે..

દુશ્મનોને પ્રેમ કરવાનો સમય દેજે...

જેટલુ ખોટુ કર્યુ છે જીવનમાં

થોડું સરખું કરવાનો સમય દેજે..



લોકો જે દૂર થયા છે,

એની પાસે જવાનો સમય દેજે...

અને પ્રેમ, હૂંફ અને લાગણી જેવું કાંઇ છે જ નહી

આ દુનીયામાં

એ મન ને મનાવવાનો સમય દેજે....

નીતા કોટેચા


Thursday, October 9, 2008

સમજણ જ નથી કદાચ તને પ્રેમ ની
.............................................................

તારા દોસ્તોની યાદીમાં મારું નામ ક્યાંય દેખાતું નથી,
અને
મારા હ્રદયમાં થી તારું નામ ભુસાતુ નથી...

આ કેવી દોસ્તી છે મારી મને ખબર નથી
કે તને હું યાદ આવતી નથી
અને તુ મને ભુલાતી નથી...

સમજણ જ નથી કદાચ તને પ્રેમ ની
અને હ્રદયની વ્યથાની,
કારણ
તું કોઈને હ્રદયમાં સજાવતી નથી..
અને તોય કોઈનાં હ્રદયમાથી નીકળતી નથી.....


Saturday, September 27, 2008

આજે પ્રાચી એ નક્કી કર્યું હતું કે કાંઈ પણ થાય આજે તો પપ્પા ને કહી જ દેવું છે કે હું, સુનીલ ને પ્રેમ કરું છું અને એના વગર હું જીવી નહી શકું..
ભલે અલગ નાત છે તો શું થયું?
પ્રેમ થોડી નાત જોઇને થાય...અને સુનીલ મને પ્રેમ પણ કેટલો કરે છેં....

અને એ ઘર તરફ રવાનાં થઈ ....ઘરે પહોંચીને એણે જોયુ કે મમ્મી એની સત્સંગ ની સીડી જોતી હતી.હવે તો કલાક કાંઇ નહી બોલાય...મમ્મી નો નિયમ હતો કે એ, જ્યારે સીડી જોતી હોય ત્યારે એ કોઈનું કામ પણ નહી કરે અને કોઇએ વાતો પણ નહી કરવાની...અને મમ્મી નો નિયમ ન માનવાની હિંમત હજી પપ્પા એ પણ નથી કરી તો હું શું?

એ પણ ચુપચાપ મમ્મી ની બાજુમાં બેસી ગઈમમ્મી એ કહ્યુ જો આજે કોલેજ નાં છોકરાઓ સાથે જ એમનું પ્રવચન છેં..આવ તને પણ કામ લાગશે..પ્રાચી વિચાર કરતી હતી કે મમ્મી ને કેમ સમજાવે કે એનું શરીર ત્યાં હતુ પણ મન તો સુનીલ માં હતું....
ત્યાં મમ્મી નાં બાવાશ્રી બોલ્યા" બાળકો, હુ તમને એ નહી પુછું કે તમારાં માથી કેટલાં બાળકો પ્રેમ માં પડેલા છે....
કારણ કે બધાં ને જ પ્રેમ હશે એ મને ખબર છેં ....
હુ તમને બધાને ફકત એટલુ જ કહીશ કે પ્રેમ કરો એનો વાંધો નહી,
પણ આપણે જ્યારે એક કૂતરો ખરીદવા જાઈયે છેં ત્યારે એની પણ જાત જોઈયે છેં...
કોઇ વ્યકતી ઘોડા પર પૈસા લગાડે તો એના દાદા પરદાદા બધાની પુચ્છા કરે...
પછી પૈસા લગાવે...
તો આપણે જેનાં નામે આપણું જીવન કરવાના છીયે એની નાત જાત એન ઘર વાળા ઓ બધાની જાણકારી મેળવી ને પછી પ્રેમ મા પડીયે તો કેવું સારું રહેશેં...
એવુ ન થાય કે જે માતા પિતા એ તમને ફૂલ ની જેમ મોટી કરી એ જ માતા પિતા એ એ જોઇને રડવુ પડે કે કોઇક એનાં ફુલ ને કેવુ મસળે છેં
માતા પિતા ની મદદ લ્યોં...
કોઈ માતા પિતા દીકરી ની ખુશી ની વિરુધ્ધ ન જાયપણ એ તમને કમસેકમ સાચ્ચો રસ્તો જરૂર ગોતવામા મદદ કરશે...

આવી બહુ બધી વાતો કરી ને મહારાજ ચુપ થઇ ગયાં..
મમ્મી એ ઉભા થઈને સીડી બંધ કરીઅને પ્રાચી ને કહ્યુ "હવે બોલ તારી માટે શું નાસ્તો બનાવું"..
પ્રાચી વિચારો માં ડૂબેલી હતી...
મમ્મી કાઈ બોલ્યા વગર રસોડાં માં ગઈ...
પણ પપ્પા ની નજર થી પ્રાચી નું વિચારો માં ખોવુ છાનુ ન રહ્યું .. એ પ્રાચી ની બાજુમાં બેઠા.. અને એના હાથ પર પોતાનો હાથ રાખીને કહ્યુ "પ્રાચી તારે મને કાંઇ કહેવું છેં બેટા"

અને પ્રાચી ની આંખો છલકાઈ ગઈ"પપ્પા મારા સુનીલ માં કાંઇ ખોટ નથી" આટલું કહીને એણે બધી વાત પપ્પાને કહીં...

પપ્પા એ કહ્યુ "પ્રાચી મને મોકો આપીશ એને ચકાસવાનો?

પ્રાચી એ કહ્યુ "હા પપ્પા તમને બધી છુટ છેં."

પપ્પા એ હસીને કહ્યુ "હમણા નાસ્તો કરીયે, આ બધી વાત કાલે વિચારશું...

પ્રાચી રાજી થઈ ગઈ કે પપ્પા એ નાત અલગ હતી એનો વાંધો ન ઉઠાવ્યો બાકી તો એને ભરોસો હતો કે સુનીલ માં કાંઇ ખોટ હતી નહી...

રાતનાં પ્રાચી અને પપ્પા જમવાનાં ટેબલ પર બેઠા હતાં,ત્યારે પપ્પા એ પ્રાચી ને પુછ્યુ"પ્રાચી તુ એના ઘરે જઈ આવી છોં?

પ્રાચી એ કહ્યુ "ના પપ્પા, બે વાર નક્કી કર્યુ અને બે વાર સુનીલ ને ઓચીંતા નું બહાર જવાનું થયુ એમા રહી ગયું..."

પપ્પા એ કહ્યુ" વાંધો નહી બેટાહવે જેમ હુ કહુ એમ તુ કર...સુનીલ ને કાલે એ કોલેજ માં પહોંચે પછી ફોન કર કે, તને ઠીક નથી એટલે તુ કોલેજ મા નહી આવી શકે ..એ તારી રાહ ન જોવે"

પ્રાચી ડરી ગઈ કે શું પપ્પા એની કોલેજ જ બંધ કરાવી નાખશે કે શું?

પ્રાચી નાં મોઢા નોં ડર જોઈને પપ્પા હસ્યા"ચીંતા નહી કર તારી કોલેજ બંધ નહી કરાવું"

પ્રાચી માની ન શકી કે પપ્પાને કેવી રીતે ખબર પડી કે હુ આ વિચારતી હતીપણ એ પણ હસી કે કદાચ આને જ માતા પિતા કહેવાય કે જેને બધી જ ખબર પડી જાય કે એમનાં બાળકો નાં મનમાં શું ચાલે છેં?

બીજાં દિવસ ની સવાર થઈ પપ્પા પ્રાચી ને ઉઠાડવા આવ્યાં "પ્રાચી ઊઠ ,કોલેજ નથી જવું કે?

પ્રાચી ને અચરજ થયુ કે પપ્પા એ તો કાલે ના પાડી હતી હવે શું થયું પાછું???

પપ્પા એ કહ્યુ "ઉઠ પ્રાચી આજે તારા સુનીલ ની પાછળ પાછળ આપણે બન્ને ફરશું..અને હસવા લાગ્યાં..
પ્રાચી ને અચરજ પર અચરજ થાતુ હતુ કે પપ્પા આ શું કરે છે?

પણ એણે પપ્પાને વચન આપ્યુ હતુ કે એ કાંઇ સવાલ નહી પુછે અને કોઈ પણ વાત માટે ના નહી પાડે...
એ તો તૈયાર થઈ ને પપ્પા સાથે ચાલી નીકળી...

કોલેજ માં પહોચીને તેઓ બન્ને જણા કોલેજ ની બહાર ની હોટલ માં બેઠા કે જ્યાથી કોલેજ માં થી કોણ આવે છે જાય છેં બધું દેખાય...

થોડી વાર માં સુનીલ નો ફોન આવ્યો કે પ્રાચી તુ સાચ્ચે જ કોલેજ નથી આવવાની?

પ્રાચી એ કહ્યુ "હા સુનીલ મને ઠીક નથી"

થોડી વાર બેઠા ત્યાં સુનીલ ને બહાર નીકળતા, પ્રાચી એ જોયોપ્રાચી એ પપ્પાને કહ્યુ "જુઓ ઓલો સુનીલ છે પપ્પા..

પપ્પા એ ધ્યાન થી એને જોયો જાણે પીક્ચર નો કોઇ હીરો જ જોઇ લ્યો...પપ્પા એ હસીને પ્રાચી સામે જોયું

પ્રાચી ખુશ થઈ ગઈ કે ચલો દેખાવમાં પણ પપ્પા ને સુનીલ ગમ્યો

સુનીલ આગળ આગળ ચાલવા લાગ્યો એ ભેગાં પપ્પા ફટાફટ બીલ ચુકવીને પ્રાચી નો હાથ પકડીને સુનીલ થી થોડે દુર ચાલવા લાગ્યાં...

પ્રાચી ની જ એક friend સુનીતા, સુનીલ ને મલી ...
એ લોકો નાં હાથ નાં ઇશારા થી એવુ લાગતુ હતુ કે એ પ્રાચી નાં વિષે પુછતી હતીઅને જ્યારે સુનીલ એ કહ્યુ એ આજે નથી આવવાની...
ત્યાં સુનીતા એ એનો હાથ પકડ્યો અને બન્ને જણા હાથ માં હાથ નાખીને ચાલવા લાગ્યા...
પ્રાચી માટે આ એક બહુ મોટો આઘાત હતો...

પપ્પા એ પ્રાચી નો હાથ પકડીને આશ્વાસન આપ્યું..

હવે પ્રાચી ને સુનીલ પાછળ નહોતુ જવું

પણ પપ્પા એ કહ્યુ ના પ્રાચી આજનો દિવસ તો મે મારી દીકરી નાં ભવિષ્ય માટે જ રાખ્યો છેં...ચાલ હજી જોઇયે એને.."

કમને પ્રાચી પપ્પા સાથે ચાલવા લાગી...

પપ્પા વિચારતા હતા કે આ એક વાત માટે તો દીકરી, સુનીલ તને કહી દેશે કે સુનીતા એ જબરદ્સ્તી મારો હાથ પકડ્યો અને તુ પાછી એને માફ કરી દઈશ આજે તો સુનીલ નો પીછો હુ મુકીશ જ નહી...

ધીરે ધીરે સુનીલ અને સુનીતા ચાલતા હતાઅને ધીરે ધીરે પપ્પા અને દીકરી ચાલતા હતા...

થોડે દુર જઈને સુનીતા અલગ થઈઅને સુનીલ ડાબી બાજુ વળી ગયોં...

પપ્પા ને અચરજ થયું કે આ બાજુ તો ઝુપડપટ્ટી એરીયા ચાલુ થતો હતો અહીંયાં સુનીલ ક્યાં જતો હશેં?

પણ તેઓ કાંઇ ન બોલ્યાંચુપચાપ પ્રાચી ને લઈને ચાલવા લાગ્યાં...

પ્રાચી ને પણ બહુ અચરજ થયુ કે સુનીલ અહીયા કોના ઘરે જાય છેં

અને એ એક ઝુપડા માં ચાલ્યો ગયોં...

પ્રાચી એ કહ્યું કે "હવે તો ચલો પપ્પા ઘરે જઈયે ..અહીયા એ કોઇ friend નાં ઘરે આવ્યો લાગે છેં..."

પપ્પા એ હસીને કહ્યુ "ના પ્રાચી ,એને ત્યાંથી બહાર આવવા દે...આજે તો મારે જોવુ છે કે એ શું કરે છે આખો દિવસ?"

પ્રાચી એ કહ્યુ "ભલે પપ્પા.."

અને લગભગ એ લોકો કલાક જેટલા ઉભા, પણ સુનીલ બહાર ન આવ્યોં..

એટલે પપ્પા પ્રાચી ને લઈને એ ઝુપડા પાસે ગયાં..

ત્યાં જઈને એ જ ઘર ની બાજુનાં ઘરમાં પપ્પા એ પુછ્યું કે "યહા સુનીલ કહા રહેતા હૈ?"

પ્રાચી ને બહુ ગુસ્સો આવ્યો કે, અહીયા ક્યાં સુનીલ રહે છેંપપ્પા પણ શુંકાંઇ પણ પુછે છેં...

ત્યાં તો એ બહેન એ જવાબ આપ્યો "યે ઇધર હી .. બાજુ કે ઘરમે..અભી હી આયા થોડી દેર પહેલે કોલેજ સે..

અને પ્રાચી ને એમ થયુ કે એ હમણા જ ત્યાં પડી જશેં...

પોતાનું નામ સાંભળીને સુનીલ ઘરમાં થી બહાર આવ્યો...

એણે ખાલી હાફ પેંટ પહેરી હતી...એનાં એક હાથ માં ગ્લાસ માં દારુ જેવુ કાંઇક હતું..અને એક હાથ માં સિગરેટ હતી...

પ્રાચી નાં માનવામાં ન આવ્યું કે આ એ જ સુનીલ છે કે જેને એ રોજ મળતી હતી...

પ્રાચી રડવા લાગી...પપ્પા એ એને ચુપ કરાવી...

અને સુનીલ ને કહ્યુ "તે આટલો વખત મારી દીકરી ને બધું ખોટું બોલીને ભરમાવી...પણ હવે યાદ રાખજે જો એની જિંદગી માં પાછો આવ્યો છે તો હુ કાંઇ પણ કરતા નહી અચકાઉઆ એક દીકરી નો બાપ બોલે છે એ યાદ રાખજે..."


રડતી દીકરી ને લઈને પપ્પા ઘરે આવવા નીકળ્યાં પણ એમનાં ચહેરા પર એક સંતોષકારક મુસ્કરાહટ હતી કે પ્રાચી હમણાં ભલે રડે પણ આખી જિંદગી નાં રડવામાં થી બચી ગઈ.....


Tuesday, September 23, 2008

વધારે
.............................
હ્રદય થી જે હોય નજીક એ જ ડંખ મારે વધારે....
અને
આંખો થી જે દુર હોય એની જ કમી લાગે વધારે....

હોંઠ પર જેનુ નામ હોય હંમેશા
એ જ તરસાવે વધારે....

અને

વિચારો માં જે રમતુ હોય હંમેશા
એ જ આંખો માં અશ્રુ લાવે વધારે....

પાસે નહી અને દુર પણ ન હોય
એજ પીડા આપે વધારે....

હ્રદય નાં હર ધબકારે જે પીડા જ આપે..
એ જ જીવાડે વધારે...

બદદુઆ પણ નીકળતી નથી એ દગાખોર દોસ્ત..
કારણ
પ્રભુ પછી યાદ કર્યુ છે , તને જ વધારે...
નીતા કોટેચા


Thursday, September 18, 2008

સપના
..........................

સપનાઓ ને આજે શણગાર સજાવ્યાં,


હાસ્ય ને બેસાડ્યુ હિંડોળે...


મનને મુકી દીધુ માળવે થોડી વાર,


અને દુનીયા ને કરી દીધી દુર...



સપના મે સજાવ્યાં તારી સાથે,


અને હાસ્ય ફર્યુ ચારે કોર....


ત્યાં તો મનનાં હીબકા નો અવાજ સંભળાયો,


અને દુનીયા ઘેરી વળી જાણે પુર..



સપનાઓ પણ તુટી ગયા આજે પાછા,


અને હાસ્ય પલટાણુ રુદન માં પાછું..


પાછુ મન ગયુ વિચારો નાં વમળ માં,


અને દુનીયા થી થઈ ગઈ હુ દુર॥

નીતા કોટેચા


Saturday, September 13, 2008

મારા બ્લોગનાં પહેલા જન્મદિવસે મારા મન ની વાત...
.............................................................

આ લેખ માં જોડણી ની ભુલો બહુ હશે ...કારણકે લેખ બહુ મોટો છે..અને આટલા મોટા લેખ માટે હુ કોઇને પણ હેરાન ન કરી શકુ..તો મારા બ્લોગ ને plsss। ભુલો સાથે અપનાવી લેજો..

વિશાલ મોનપરાનું ઓનલાઇન પ્રમુખ ટાઇપપેડ સાથે ઇન્ટીગ્રેટેડ અક્ષર સ્પેલચેક આવી ગયું છે...મને સોનલ બેન એ કહ્યુ હતુ।એટલે મને ખબર છે પણ હમણા બહુ દિવસ થી એ મારા કમપ્યુટર માં નથી ચાલતુ,એટલે ચેક નથી થાતુ...માફ કરશો મિત્રો......



જ્યારે કોઇનો પણ mail આવે કે અમારા બ્લોગ ને ૧ વર્ષ પુરુ થયું..ત્યારે મને એમ થાય કે આપણા બ્લોગ ને વર્ષ પુરુ થાય એમાં બધાને શું કહેવાનુ હોય..
પણ જ્યારે મારા બ્લોગ ને આજે એક વર્ષ પુરુ થયુ ત્યારે મને ખબર પડે છે કે શું લાગણીઓ થાય છે મનમા...
એમ લાગે છે કે મારા પોતાના બાળક નો પહેલો જન્મદિવસ હોય એટલી ખુશી થાય છેં.. ....
લગભગ આઠમા ધોરણ માં ભણતી ત્યારે લખવાનુ શુરુ કર્યુ હતુ.
નાની શાયરી ઓ કે જે હિન્દી મા અને ગુજરાતી મા લખતી...પણ હુ, મારુ પુસ્તક અને મારુ પોતાનુ ખાનું ,અને એ ખાનુ પણ કેવુ ખબર? હરતુ ફરતુ..હા અલગ ખાનુ તો નહોતુ મલતુ અમને બધા ભાઈ બહેનો ને..પણ મે એની માટે એક રસ્તો ગોત્યો હતો અને એ હતી એક નાની બેગ...જેને હુ લોક કરીને ચાવી મારા ગળા નાં દોરા માં લગાડી ને ફરતી..વધારે મા વધારે મમ્મી વાંચતી...અને ખુબ વખાણ કરતી...

એટલે વધારે પ્રોત્સાહન મલતુ..
પછી લગ્ન થયાં એટલે વરજી ને સંભળાવાનુ ચાલુ કર્યુ..
બહુ વાર વાંચીને મસ્તી કરે કે નીતા મારી સાથે લગ્ન થયા એના કરતા કોઇ તારા જેવુ ,લખવા વાળા સાથે થયા હોત તો બહુ મોકા મલત તને....
એટલે હુ જવાબ આપુ કે આ તો તમે નથી લખતા એટલે મારુ લખેલુ વાંચો છો..
નહી તો મારી હાલત અભીમાન પિક્ચર ની જયા બચ્ચન જેવી થાત...

અથવા તમે પણ બધા ની જેમ ખાલી મારી જોડણી ની ભુલો જ શોધત..
અને હસીને વાત પુરી કરીયે...
હવે એમને કેમ સમજાવુ, કે એમને નથી આવડતુ એટલે તો મારા લખાણ ને વખાણે છે...નહી તો ...

.મારી બન્ને દીકરી ઓ પણ એટલા જ પ્રેમ થી મારી બધી રચના ઓ વાંચે અને ખુબ રાજી થાય કે મમ્મી તને કેવી રીતે આવુ બધુ આવળે છે..ખુબ પ્રોત્સાહન મળે એમનાં મોઢે થી આમ સાંભળીને...
અહિયા મને સોનલબેન વૈધ(s.v), નીલમ દીદી,નીલા દીદી, પ્રવીણા બેન(સખી), ચેતના બેન , પ્રીતી ,દિગીશા,પ્રજ્ઞાજુબેન વ્યાસ
,સુરેશ દાદાજી,રાજેન્દ્ર અંકલ....

જેમના પણ નામ ભુલાઈ જાય plsss ખરાબ ન લાગાડતા...કારણકે કોઈને દુઃખ હુ સપના માં પણ ન પહોચાડુ..તો હકીકત માં તો બહુ દુર ની વાત છેં...


જેમ જેમ નામ યાદ આવતા જશે add કરતી જઈશ...


ચંદ્રવદન ભાઈ.,વીજય ભાઈ


અને online નાં બહુ બધા મિત્રો મલ્યા કે જેમણે મને બહુ પ્રેમ આપ્યો...
બધાનાં પ્રેમ માટે આભાર નહી માનું..પણ એટલુ જરુર હક્ક થી કહીશ કે આવો જ પ્રેમ અપતા રહેજો.. અને હા સૌથી વધારે હુ મંથન ભાવસાર નો ઉપકાર માનીશ કે મારા બધા બ્લોગ્સ સરખી રીતે શુરુ કરવા પાછળ એનો સૌથી વધારે ફાળો છે..જો એ મદદ ન કરત તો કદાચ હુ આટલો સુંદર રીતે બ્લોગ ચાલુ જ ન કરી શકત...
આપનાં આશીર્વાદ ચાહુ છું કે બસ આ જ ક્ષેત્ર માંહુ ખુબ જ આગળ વધી શકુ...
નીતા કોટેચા




થાય તો
.........................
મારી વ્યથામા તારુ હાસ્ય ભળે,
તો મારી પીડા માં વધારો થાય....

મારી આંખોમાં તારો ઇંતજાર ભળે,
તો મારા અશ્રુમાં વધારો થાય....

મુજ થી બહુ નજદીક છો તુ,
પણ તારાથી બહુ હુ દુર..

આ જુદાઈ માં જો થોડા સવાલ-જવાબ ભળે,
તો કદાચ સંબધ માં સુધારો થાય...
નીતા કોટેચા


Tuesday, September 9, 2008


કોને ફરિયાદ કરીએ?


..............................



આભ જ તૂટે ત્યારે કોને ફરિયાદ કરીએ?

પોતાનાં જ રિસાય, ત્યારે
કોને ફરિયાદ કરીએ?



દરિયો જો ગાંડોતૂર થાય, તો કોને ફરિયાદ કરીએ?

ત્યારે આપણે હોઈએ જો મધદરિયે, તો કોને ફરિયાદ કરીએ?


ગુંજન અને કલરવ સાંભળવાનાં શોખીન છીએ અમે,

પણ પક્ષી
રિસાય, તો કોને ફરિયાદ કરીએ?


ઋણાનુબંધ બાકી હશે, એ બધાં સાથે નિભાવવું જ પડશે,

પણ જો શ્વાસ જ રિસાય તો કોને ફરિયાદ કરીએ?

નીતા કોટેચા


Saturday, September 6, 2008

મારે અલગ જીવવુ છેં..


ઝાકળ ના બિંદુ થી બનાવેલા, સરોવરમા મારે નહાવું છે.

સપનાંની બનાવેલી દુનિયામાં મારે જીવવું છેં.


પ્રેમ ના લેબલ લગાવીને, વાસના સંતોષાય છે ચારે કોર,


તો પણ મારે તો રાધા ક્ર્ષ્ણ જેવાં પ્યાર માટે જીવવું છે.


હયાતી મારે જ મારી નથી જોતી હવે તો,


આ જિંદગી નામના નરક માથી મારે બચવુ છેં.


મિત્રતા તો મરી પરવારી છે જાણે અહીંયાં તો,


તો પણ ક્રુષ્ણ સુદામા જેવા, અનુભવો મારે જીવવા છેં.


રક્ષાબંધન નો ત્યોહાર જાણે, નામનો રહી ગયો છેં,


તો પણ સુભદ્રા બનીને ક્રુષ્ણ ને, ભાઈ બનાવવો છે.


દુનિયા થી હું અલગ છૂ થોડી, મને પણ ખબર છેં.


તોય કળી યુગ માં સત યુગ ના, સપના મારે જોવા છે.

નીતા કોટેચા


Wednesday, September 3, 2008




નીલમદીદી નાં પુસ્તક નાં વિમોચન વખતે T.V માં થી પાડેલો ફોટો..
ખુબ જ આંનદ થયો કે, બાપુનાં હસ્તે પુસ્તક્નું વિમોચન થયુ કે, ઘરે બેઠા માણવાનો મોકો મલ્યો...


બદલાવ ની આશા

અઢી વર્ષ પહેલાની વાત છે અમારાં ઘર થી થોડી દૂર એક પરિવાર રહેતું હતું. જેમાં એક દીકરો, અને બે દીકરી અને બે માણસ પોતેવૈષ્ણવ પરિવાર હતું. દીકરો સૌથી નાનો..કામકાજ સારું ચાલતું હતું.



આજ દિવસો હતા જ્યારે જૈનો નાં પર્યુષણ અને વૈષણવો નો શ્રાવણ મહીનો ચાલતો હોય્.લોકો દિલ ખોલીને દાન ધર્મ કરે..ત્યાં સાંભળવા મલ્યુ કે એ વૈષ્ણવ પરિવારનાં ભાઈ એ જૈન ધર્મ ની અઠ્ઠાઇનાં પચ્છખાણ લીધા છે.મને ખૂબ અચરજ થયું..કે એમણે કેમ ઉપવાસ કરવાનુ વિચાર્યુ? જૈનો નાં ઉપવાસ કરવા એ વૈષણવોનુ કામ જ નથી..જ્યાં ઉપવાસ માં હવે તો ફરાળી ઢોસા અને ફરાળી રગડા પેટીસ બનવા લાગી હોય એ લોકો પાણી વગર નાં ઉપવાસ કરે તો અચરજ તો થાય જ ને..પછી ખબર પડી કે એ ભાઈ ને ધંધા માં નુકસાન થયુ હતું. એટલે પહેલાં એ જ્યોતિષના દરવાજે ગયાં..પણ એનાથી કાંઇ ફરક ન પડ્યો..ત્યાં એમને કોઈકે કહ્યુ કે જૈનોના ઉપવાસ કર પછી જો ચમત્કાર..એટલે એમણેએ ચાલુ કર્યા કર્મ નાં લેખાં જોખા પ્રમાણે જ માણસને ભોગવવું પડે છે એ કેમ માણસ ભૂલી જાય છે એ જ નથી સમજાતુ. ભગવાન એમને શક્તિ આપે એ જ પ્રાર્થના હવે અમને માટે કરવાની હતી.. ૩ દિવસ જોત જોતામાં પુરા થઈ ગયા.

મને શાંતી થઈ..મને જૈનો નાં ઉપવાસ થી બહુ બીક લાગે..એમ કહુ તો ચાલશે..હુ રોજ એ ભાઈ ની પુચ્છા કરતી હતી…ચોથે દિવસે સમાચાર મલ્યા કે ભાઈ ની તબીયત બગડી છે…ડોક્ટરને ઘરે બોલાવા પડ્યા.મારુ હ્રદય ધભકારો ચુકી ગયું જાણે કાંઇ અજુગતુ તો નહી થાય ને એ બીક થી..મનોમન પ્રભુ ને કાલાવાલા કર્યાં કે હે પ્રભુ એ માણસ પોતાનાં ઘરના લોકો સુખી થાય એ માટે આ બધું કરે છે એને સંભાળજો..

ડોક્ટર ઘરે આવ્યાં. અને ડોક્ટરે કહ્યું કે તુ બી.પી નો દર્દી છોં.. આ બધું બંધ કર તને તકલીફ થઈ જશે..તો ભાઈ ન માન્યા આમ સાતમો દિવસ આવી ગયોં . મને શાંતી થતી હતી કે ચાલો સારું હવે તો એક જ દિવસ રહ્યો…. પણ એ જ દિવસે રાતનાં એમની તબિયત વધારે બગડી.. પાછા ડોક્ટર ને બોલાવ્યાં. ડોક્ટરે એ પાછુ કહ્યુ તારી બી.પી ની દવા ખાઈ લે..તો કહે ડોક્ટર એક દિવસ રહ્યો હવે તો..કાલે તો થઈ જાશે..ડોક્ટર ગુસ્સે થઈને ચાલ્યાં ગયાં..બીજા દિવસની સવાર

પડી..મે એમના સમાચાર પુછ્યા તો ખબર પડી કે એમને રાતના પાછી તકલીફ થઈ હતી..અને પછી તેઓ કોમા માં ચાલ્યા ગયાં હતા..આખરે જે ડર હતુ તે જ થયું…હવે આ મોટો પ્રશ્ન? જેમની માટે ઉપવાસ કર્યાં હવે એ લોકો ને કોણ સંભાળશે? હવે ચાલુ થયો એનો ઇલાજ..બધા પોતપોતાનાં મોટા દિવસો ભુલી ગયાં…જૈનો ને એમ કે અમારા ઉપવાસ કરીને આવું થયુતો અમે સંભાળશું.. અને વૈષ્ણવો ને એમ કે અમે સંભાળશું… નહી નહી તો એ એક વર્ષ રહ્યાં ત્યાં સુધી ૫ લાખ રુપીયાં જેટલો ખર્ચો થયો..બધો ખર્ચો બધાએ મળીને કર્યો..અને છેવટે તેઓ ગુજરી ગયાં…

હવે મને વિચાર આવ્યો કે જો આ ૫ લાખ પહેલાં લોકો એ ખર્ચ્યાં હોત તો કદાચ આ ભાઇ આવી રીતે ન ગયા હોત્॥ ભલે આ પણ કર્મ છે..પણ હું જેટલા જણા આ વાત વાંચે છેં એમને કહુ છું કે હું કે તમે મંદિર માં કે દેરાસર માં રુપીયા ધરાવીયે તો પણ ત્યાં એમને લાખો રુપીયા મલી રહેતા હોય છે॥ અને જેની માટે આપણે રુપીયા ધરાવીયે છે॥એ તો એમાંથી એક પણ રુપીયો નથી વાપરતો॥આપણે એમ કહેશું કે તે લોકો પણ સારા કામ માટે જ ખરચે છે તો હું કહું છું કે તમે એમને આપો અને એ ખર્ચે એનાં કરતા તમે જ તમારા હાથે ખર્ચો તો॥એ ભાઈ જ્યારે બધા પાસે માંગતા ત્યારે કોઈયે ન આપ્યાં।પણ એ માંદા પડ્યા તો બધાએ ખર્ચ્યા। કેવી છે આ દુનીયાં? આનાં કરતા આ ૫ લાખ થી જો એને કોઇક ધંધો ચાલુ કરી આપ્યો હોત અને એનાં બાળકો દુઃખી ન થાય એની માટે સગવડ કરી આપી હોત તો કદાચ આજે કાંઇક જુદા હાલ હોત॥ આપણાં પોતાના કુટુંબ તરફ નજર કરશો તો પણ બહુ બધા લોકો મલી રહેશે…માંગવુ બધા માટે મરી જાવા કરતા ખરાબ હોય છેં॥તો જો ભગવાન નથી માંગતો તોય આપણે ત્યાં ચાર હાથે દાન આપીયે છેં॥તો સગા માં કોઇ ન માંગે ત્યાં સુધી આપણે કેમ નથી આપતા॥અને આપીયે પણ છીયે તો જીંદગી ભર એ માણસ નો ફાયદો ઉપાડીયે છે॥

આપણે ક્યારે બદલાશું? કે આમ જ ચાલ્યાં રાખશે?

આજે પાછા એ દિવસો આવ્યાં એટલે એમ થયુ કે સાથે આ વાત કરુ..કદાચ કંઇક મારી વાત સાચ્ચી લાગે અને એમનાં કુટુંબ નાં એકાદ વ્યકતી નું જીવન સારું થઈ જાય…

કોઈક બદલાવ ની આશા રાખુ છું…


Tuesday, September 2, 2008


માણસ સંબંધ ભૂલી શકે છે..

.......................................


પથ્થર, પ્રભુ બની શકે છે


ને માણસ, પથ્થર બની શકે છે


કેટલાં પણ હો ગાઢ સંબંધ


પણ


માણસ, સંબંધ ભૂલી શકે છે..


આ જગત અને જગતનાં લોકો ને,

આવાં કેમ બનાવ્યા તે હે પ્રભુ


કે એ, અમને તો શું, પણ તને પણ ધોખો આપી શકે છે.

નીતા કોટેચા


Saturday, August 23, 2008


મારી દીકરી નો જન્મ દિવસ જન્માષ્ટમી









૧૯૮૮ માં જન્માષ્ટમી ના દિવસે મારી દીકરી નો જન્મ થયો. એને જોઇને જે પહેલી લાગણી થઈ હતી એ હુ હજી પણ મહેસુસ કરુ છુ..

મારી આંખ નાં અશ્રુ બંધ જ નહોતા થાતા..
મને એમ થાતુ હતુ કે અરે, હુ માતા બની ગઈ..
મારી દીકરી કહેવાશે આ..
આ ફુલ ને મારે સંભાળવા ની છે..
પણ એક વિચાર જે મને હંમેશા
ડર આપે છે એ છે કે હુ આ દીકરી ને કેવી રીતે બીજાના ઘરે મોકલીશ?
જેમ મે એને સંભાળી એમ એને બીજા સંભાળશે કે નહી?
એની બધી ઇચ્છા ઓ
બોલે પહેલા મને ખબર પડી જાય અને હુ પુરી કરી દઉ..
હવે
જ્યારે એ કહેશે, ત્યારે બધાને ખબર પડશે, કે એને આ ઈચ્છા છે..
અને જો એ નહી બોલે તો... બસ આ જ ડર મને રહે છે .

હવે
કેટલા વર્ષ વધારે માં વધારે હજી ૫ વર્ષ..
હજી કાલે જન્મી હતી એવુ લાગે છે, તો ૫ વર્ષ તો કેટલા જલ્દી ચાલ્યા જાશે..
પ્રભુ બધી ખુશી એને આપે એ જ પ્રાર્થના કરીશ ....

હા, હુ એટલુ જરુર કહીશ કે જેને, મે જન્મ આપ્યો છે,
એ હવે મને જાણે હુ, એની દીકરી હોવ એમ સંભાળે છે..
મારા લાગણી થી ભરેલા સ્વભાવ ને કારણે મને ગુસ્સો પણ કરે છે.
અને પાછી એનાથી હુ નારાજ થાવ તો મને નાના બચ્ચાની જેમ મનાવવા પણ આવે છે..

મને અભિમાન છે મારી દીકરી પર..
પણ હુ એને એક વાત હંમેશા કહુ છુ કે વિધી હુ તારા લગ્ન નાં વિદાઈ પ્રસંગે હાજર નહી રહુ..
એ વિચારી ને હુ હમણા જ રડી પડુ છુ તો ત્યારે શું થાશે?


કેમ આવો નિયમ ભગવાન એ બનાવ્યો છે એ જ મને ખબર નથી પડતી..




Tuesday, August 19, 2008

અવાજ નથી હોતો
.............................
હ્રદય માં થી જો નીકળે નિસાસો
તો એનો અવાજ નથી હોતો ..
આંખો માં થી જો સરી પડે જો અશ્રુ
તો એનો અવાજ નથી હોતો..
હ્રદય જો ટુટે તો
એનો પણ અવાજ નથી હોતો..
અંતર માં ઉઠે જો વેદના
તો એનો પણ અવાજ નથી હોતો..
હીબકે ચડે જો મન તો
એ હીબકા ઓ નો પણ અવાજ નથી હોતો..
સુસવાટા સાથે ચાલતુ હોય જો મગજ માં તોફાન
તો એ સુસવાટા નો પણ અવાજ નથી હોતો..
લાગણી ભીના સંબધો કોઇ ન બાંધતા, કોઇ સાથે
કારણ
જો સંબધ ટુટે છે તો એનાં ટુટવા નો પણ અવાજ નથી હોતો...


Monday, August 11, 2008

મોબાઈલ વાળા આંટી

....................................
હોસ્પિટલ નાં ખુણા માં બેસીને હુ કંટાળી ગઈ હતી. મારા સાસુ ને આઇ.સી.યુ. માં દાખલ કર્યા હતા. તબીયત પણ સારી હતી..પણ હોસ્પિટલ માં એક જણ એ તો બેસવુ જ પડે..આજે હુ અને મારી દીકરી બેઠા હતા...કરવાનું શું..જે બીમાર હોય એને તો તકલીફ હોય જ, પણ જે બહાર ખાલી ચોકી ભરતુ હોય એ પણ બીમાર પડી જાય..હા સાસુ ની સામે બેસવાનુ હોય ને તોય હજી ચાલે કે વાતો કરતા રહીયે..આ તો બહાર બેસવાનું..આજુબાજુ બધા અજાણ્યા..કોની સાથે વાત કરીયે..પણ આદત થી મજબુર..ગુજરાતી ખરા ને.... ત્યાં તો એક બહેન ના ડુસકા નો અવાજ સંભળાયો...તો મારી અને મારી દીકરી બન્નેની નજર ત્યા ગઈ..એમની સાથે કોઇ ન હતુ..હવે એમને રડવા કેમ દેવાય્ અને જઈને પુછાય પણ કેમ કે શું કામ રડો છો?પછી મને વિચાર આવ્યો કે ચલ પાણી આપવાનાં બહાને જાવ એમની પાસે...પાણી નો ગ્લાસ લઈને એમની પાસે ગઈ અને કહ્યુ"બહેન આ લ્યો પાણી પીવો"..હવે તેમને મારી હુંફ ગમી..જરા શાંત થયા.હુ એમની પાસે જ બેસી ગઈ..મે પુછ્યુ "અહીયાં પુછવુ નક્કામુ છે કે તમે શું કામ રડો છો? એટલે સીધુ જ પુછી લઉ છુ કે કોણ છે અંદર તમારુ?"


બહેન પાછા રડ્યા..પછી શાંત થઈ ને બોલ્યા કે "મારી દીકરી કે જે સાતમાં ધોરણ માં ભણે છે."

મને આઘાત લાગ્યો..મે પુછ્યુ"કેમ શું થયુ છે એને?"

તો કહે"કેન્સર અને છેલ્લા તબક્કામાં"

અને મને એમ લાગ્યુ કે હુ ત્યા જ પડી જાઈશ.મે તરત મારી દીકરી સામે જોયુ...અને મને એમ થયુ કે, હુ સમજી શકુ છુ કે એક મા ની હાલત કેવી હશે આ બોલતા વખતે...

પછી જરા સ્વસ્થ થઈને મે પુછ્યુ કે"શું કહે છે DR.?"

તો એક માતા નાં મુખ મુખ માથી માંડ માંડ શબ્દો બહાર નિકળ્યા કે"બહેન એમનુ કહેવુ છે કે કોઇ પણ શ્વાસ છેલ્લો હશે..અને પાછુ એમનુ એક ડુસકુ નીકળી ગયુ..હવે એમનાં કરતા વધારે પાણી ની જરુરત મને પડી..પણ મારે હવે એમને સંભાળવા નાં હતા..

મે એમને કહ્યુ કે"બહેન તમને બધુ ખબર છે કે એનો કોઇ પણ શ્વાસ છેલ્લો હશે તો તમે આટલા દુર કેમ બેઠા છો એનાથી ?જાવ એની પાસે..એને ગળે વગડાળી ને બેસો...

તો કહે"એ જ તો વાંધો છે ને બહેન... એની પાસે બેસુ છુ તો એ મને કહે છે કે મમ્મી મારી બધી બહેનપણી ઓ ને મારે મળવુ છે. મારે બધા સાથે વાતો કરવી છે।"

તો મે કહ્યુ"એમાં શું વાંધો છે તો કરાવો ને વાત."

તો કહે"બહેન અમારી પાસે મોબાઈલ નથી..અને અમારુ ઘર અહીયા થી બહુ જ દુર છે એટલે હુ અની બહેનપણી ઓ ને અહીયા લઈ પણ નથી આવી શક્તી..મને સમજાતુ નથી હુ શું કરુ?"

અને મને એમ થયુ કે, કેવી મજબુર માતા કે જે મરતી દીકરી ની સાથે પણ નથી રહી શક્તી.કરણકે એની ઇચ્છા પુરી નથી કરી શક્તી..

મે મારી દીકરી સામે જોયુ..મારી દીકરી એ એક શબ્દ બોલ્યા વગર પોતાનો એક દિવસ પહેલા લીધેલો મોબાઇલ મને આપી દીધો અને ત્યાં થી દોડતી અગાશી માં ચાલી ગઈ..મને થયુ, કે એ રડતી હશે..પણ મોબાઈલ માટે નહી, પણ આટલુ દુઃખ એને જોવાનો વારો જ નથી આવ્યો ક્યારેય પણ..એટલે આ દુનીયા ની બીજી બાજુ જોઇને એનાથી સહેન નહી થયુ હોય..

હુ એની પાસે ન ગઈ..મે એ માતા ને કહ્યુ."આ મોબાઇલ તમે રાખો..એને જેટલા ફોન કરવા હોય અને જેટલી વાતો કરવી હોય કરવા દેજો.હુ કાલે આવીશ ત્યારે લઈ લઈશ્.એ માતા ની આંખ ના હર્ષ નાં આંસુ હતા.એને ખુશી હતી કે ભલે દીકરી ને મ્રુત્યુ ભરખી જાવા તૈયાર બેઠુ છે, પણ એ એની છેલ્લી ઇચ્છા પુરી કરી શક્શે..

હાલાત માણસ ને કેવુ કેવુ શીખડાવી દે છે એ જોવા મલતુ હતુ મને આ દ્રશ્ય માં કે, માતા એ વિચારતી હશે કે દીકરી જાવાની તો છે જ, પણ ચાલ જલ્દી એની ઇચ્છા પુરી કરી લઉ..હુ અને મારી દીકરી આઇ.સી.યુ. નાં કાચ માં થી જોતા હતા કે એ માતા અને દીકરી કેટલા ખુશ હતા..હમણા ત્યા મ્રુત્યુ એ ઉભુ હશે તો વિચારતુ હશે કે જ્યાં હુ ઉભો હોવ અને ત્યાં આવી ખુશી મે પહેલી વાર જોઈ..

મારા નણંદ હવે બેસવા આવ્યા હતા..એટલે અમે બન્ને ઘરે જાવા નીકળી ગયા..આખે રસ્તે મારી દીકરી કાંઇ જ ન બોલી..

મે પણ એને જીવન ની કડવી હકીકત ને વિચારવાનો મોકો આપ્યો..હુ પણ કાંઇ જ ન બોલી..

બીજે દિવસે હુ મારા વારા વખતે પાછી હોસ્પિટલ માં પહોચી ગઈ...

ત્યાં જઈને જોયુ તો એ માતા અને દીકરી કોઇ ન હતા..મારુ હ્રદય ધબકારો ચુકી ગયુ..તોય મે હિંમત રાખીને નર્સ ને પુછ્યુ કે"આ લોકો બીજી હોસ્પિટલ માં ગયા કે શું?

તો એણે જવાબ આપ્યો"ના બહેન, કાલે એ દીકરી રાતનાં મ્રુત્યુ પામી છે..

અને હુ ચુપ થઈ ગઈ..ત્યાં નર્સ આવી અને મને એક કાગળ માં કાંઇક વીટાળેલુ આપી ગઈ..મે ખોલી ને જોયુ તો મારી દીકરી નો મોબાઈલ હતો..અને સાથે એક પત્ર હતો.એમાં લખ્યુ હતુ"બહેન મે તો તમારુ નામ પણ ન પુછ્યુ..જુઓ મારી દીકરી ચાલી ગઇ..અમને મુકીને..પણ બહેન મને સંતોષ છે કે એની છેલ્લી ઇચ્છા હુ તમારે લીધે હુ પુરી કરી શકી.. એક સંતોષી માતા ની તમને એટલી જ આજીજી છે કે આવા કામ તમે હંમેશા કરતા રહેજો..

એ જ દિવસે મારા સાસુ ને પણ રજા આપવા માં આવી..બીજે દિવસે મારા ઘર નું કામ પતાવી ને હુ બહાર જાવ નીકળી એટલે મારા સાસુ એ મને પુછ્યુ કે ક્યાં જાય છે બેટા?

તો મે એમને બધી વાત કરી..મે કહ્યુ" બા આવી કેટલી દીકરી ઓ મારી રાહ જોતી હશે...


બા મારે મોબાઈલ વાળા આંટી તરીકે ઓળખાવુ છે"

અને મારા સાસુ પણ કાંઇ ન બોલ્યા.

આ સત્ય વાત છે..બસ આમાં ફક્ત સત્ય એ નથી કે એ બહેન હવે રોજ બધી હોસ્પિટલ માં જાય છે..હા એમની ઇચ્છા બહુ છે એવુ કરવાની પણ નથી થાતુ એ પણ હકીકત છે અને એ વાત નો એમને ડંખ છે..

આપણે બધા ફક્ત આપણી માટે જ જીવીયે છીયે..અને પાછા કહેતા જાઈયે છીયે કે અમને તો સમય જ નથી મલતો..તો શું ઉપરવાળા એ આપણને ફક્ત પોતાની માટે જ જીવવા મોક્લાવ્યા છે???

વિચારવા જેવી વાત છે..જરુર થી વિચારશો..


Sunday, August 3, 2008

મને આવેલા થોડા sms જે મને ખુબ ગમે છે....

one of d most beautyful qualities of true friendship is
2 understand in 2 b understood...
2 share and care a moment cald lifetime..
...........


sumtimes in lyf ,v think v dnt need any 1.
butsumtym in lif v dnt have any 1 when v need some 1
so dnt let ur best friends go ever..

..............


friendship is like a glass,
a scratch on any side will reflect on d other side 2
so always handle feelings carefully,
coz a scratch can nvr b removed...

.................


મારો બનાવેલો sms

મિત્રતા તો જ બાંધો જો મિત્ર ની બધી ભુલો ભુલવાની તાકાત હોય...
નીતા કોટેચા..


Thursday, July 31, 2008

હાય આ રાજકરણ



કોઇક બે છોકરા ઓ આસારામ બાપુ નાં આશ્રમ માં મ્રુત્યુ પામ્યા હતા.કદાચ કોઇને યાદ પણ નહી હોય હવે તો..આટલા મોટા બોંબ બ્લાસ્ટ પછી અને આટલા લોકો નાં મ્રુત્યુ પછી...બરોબરને????


ચાલો બાપુ ને આતંકવાદીઓ એ બચાવી લીધા..માણસોનું મગજ હવે એ વિચારવાનું બંધ કરી દેશે..અને પાછુ કોઇક એમ કહેશે કે એક સંત પર આરોપ મુક્યો એટલે આવુ બધુ થયુ...કેટકેટલા આરોપો ગોતાય છે હવે એમનાં ખિલાફ..


આટઆટલાવખત થી ક્યાં હતા બધા.આટલા વખત થી તો એમને ભગવાન નું સ્થાન આપી દીધુ હતુ..જે દિશા માં હવા જાતી હોય એ દિશા માં પત્રકારો દોડે...શું કામ એક સાદા સીધા બે હાથ અને બે પગ વાળા માણસ ને આપણે ભગવાન બનાવીને બીચારા ને માનવ પણ નથી રહેવા દેતા. આ બધામાં આપણી જ ભુલ છે.


ભગવાન છે કે નહી? એ સવાલો હજી લોકો કરતા હોય છે પણ આવા કેટકેટ્લા આસારામ ને આપણે ભગવાન બનાવી નાખ્યા છે


ઉપર બેઠો બેઠો પ્રભુ એ વિચારતો હશે કે હવે હુ આમાં શું શું સુધારુ?


મારા ઓર્કુટ એકાઉન્ટ માં મે સોનીયા ગાંધી,ઈંદીરા ગાંધી બધાનાં ફોટા રાખ્યા છે મને એક જણ કહે કે નીતા બેન તમે કોગ્રેસ ને માનો છો? મે કહ્યુ "ભાઈ હુ કોઇને એ નથી માનતી.આ તો હું સ્ત્રી શક્તી ને માન આપુ છુ એટલે એમનાં ફોટા રાખ્યા છે..મને કહે કમસેકમ સોનીયા નો તો ફોટો કાઢો મે કહ્યુ પણ"ભાઈ તમને શું વાંધો છે?

તો કહે 'આપણે ગુજરાતી ઓ એ તો ભાજપ ને જ મનાય"

મે કહ્યુ કે"હુ કોઇને એ નથી માનતી"

પછી જરા ચર્ચા વધી એ જરા વધારે પડતુ ભાજપ નાં આગ્રહી હતા અને મને સમજાવતા હતા કે "સોનીયા તો ઇટાલી ની છે એટલે એનો તો કોઈ હક્ક નથી જ આપણા દેશ પર"

પછી મારો મગજ પરનો કાબુ ગયો..

મે એમને કહ્યુ"ભાઇ તમારા ઘર વાળા, મમ્મી નાં ઘરે કયા ભગવાન ને માનતા હતા?

તો મને કહે "કેમ વાત બદલાવો છો?"

મે કહ્યુ" જવાબ તો આપો"

તો કહે"સ્વામીનારાયણ"

મે પુછ્યુ"હવે?"

તો કહે"અમે ચુસ્ત પુષ્ઠીમાર્ગી છીયે.એટ્લે હવે મારી પત્ની હવે વૈષ્ણવ ધર્મ પાળે છે"

મે પુછ્યુ "કેમ એનો ધર્મ બદ્લાવ્યો?

તો કહે "લે પત્ની તો પરણે એટ્લે એણે બધુ એ જ અપનાવવું પડે ને કે જે એના ધણી નું હોય "

મે કહ્યુ"તો એનું પોતાનું કાઇ નહી"

તો કહે"ના"

તો મે એમને કહ્યુ"ભાઇ તમે કહો છો આ બધુ, તો સોનીયા ને તમારા ભાજપ કે બીજી જે પાર્ટી હોય એમને રાજકરણ માં ઉભા રહેવાં ન દીધુ ફક્ત એટ્લુ જ કહીને કે એ ઈટલી ની છે એ બોલવાવાળા ઓ ને શરમ ન આવી કે એક સ્ત્રી શક્તી થી ડરી ગયા.

તમારા ગુજરાતી બચ્ચા નરેન્દ્ર ભાઇ પર તમને આટલો પ્રેમ છે.મને વંધો નથી, તમે કરો એને પ્રેમ. પણ શું જરુરત હતી ભાષણ આપીને બહાદુરી બતાડ્વનો કે અમારા ગુજરાત માં આવુ થાય તો હુ દેખાળી દઉ, લ્યો એમણે કરી બતાળ્યુ..શું ઉકાળી લીધુ? હવે શું કરવાનું? બળેલા બોંબ માં શું પદાર્થ વાપર્યો હતો? જેમને ત્યાં ગુજરી ગયા એમને વળતર આપવાનુ..શું જરુરત હતી?


મને કહે"પણ તમે જોયુ વિશ્વાસ મત વખતે કેવું એમનુ ઉગાડુ પડ્યુ કે એમણે બધાને ખરીદવાનો પ્રયત્ન કર્યો હતો"


મે કહ્યુ"ભાઇ જો
તમારા થી મને લાભ હોય અને તમે વેચાવા બેઠા હો તો હુ શું કામ ન ખરીદુ?


ભાગી ગયા જય શ્રી ક્ર્ષ્ણ કહીને..


મને દુઃખ થયુ કે હજી માણસો કેટલા પછાત વિચારો નાં છે?


આપણા રાજકરણી ઓ જો બધા પોતપોતાની ખુર્શી છોડીને ખાલી ભારત બચાવવાનું વિચારે તો કદાચ કોઇ આસારામ કે કોઇ આતંકવાદી આપણી ભારત ભુમિ નાં આવા ચીથરે હાલ ન કરી શકે..


મને કોઇ એક લોકો માટે પ્રેમ નથી પણ ખોટા વીચારો થી હુ સહેમત તો ન જ થાવ..

કોઇની પણ લાગણી દુભાણી હોય તો માફી ચાહુ છુ...

નીતા કોટેચા


Sunday, June 29, 2008

દાંપત્ય જીવન
.........................
"હે ભગવાન આજે પાછા ઝગડા,ભગવાને બાલ બચ્ચા નથી દીધા બે માણસ એકલા છે તોય ખબર નહી શું કામ આટલુ ઝગડે છે..."વનીતા એ પોતાનાં પતિ અમર ને કહ્યુ॥

"પણ તારે શું છે?આ તો રોજ નું થયુ ..તુ તૈયાર રહેજે હમણા ભારતી ભાભી તારી પાસે હશે..અને શું શું થયુ એમના બન્ને વચ્ચે એ બધુ કહી નહી દે ત્યાં સુધી એમને અને તને બન્ને ને ત્યાં સુધી શાંતી નહી થાય." અમરે હસતા હસતા કહ્યુ..
વનીતા ચુપ થઈ ગઈ..કારણ કે અમર ની વાત સાચ્ચી જ હતી આ રોજનો નીત્ય ક્રમ હતો...
ત્યાં ભારતી બેન આવ્યાં અને બાજુ માં બેસી ગયા.અને રડવા લાગ્યાં
વનીતા એ કહ્યુ "શાંત થઈ જાઓ ભારતી બેન ,કાંઇ નહી તમને ખબર છે ને કે એમનાં મનમાં કાંઇ ન હોય એ તો થાય જરા ગુસ્સે એમને પણ કેટલી ઉપાધી ઓ હોય બહારની ,કાંમકાજ ની ,આપણે ઘરે બેઠા રહેવુ છે..એમને તો કેટલા લોકો સાથે આખા દિવસ માં પનારો પડતો હોય્.સુરેશ ભાઈ રાતના ઘરે આવે ત્યારે એમને યાદ પણ નથી હોતુ કે સવાર નાં ઝગડો થયો હતો જાવા દ્યો ને"
"અરે વનીતા બેન તમારી વાત સાચ્ચી છે પણ રોજ કેમ ચાલે આવુ ઓફીસ માં જાવા પહેલા"ભારતી એ વનીતા ને કહ્યુ
પછી રડતા રડતા જ ચાલ્યા ગયા...
ભારતી બેન ઘરે ગયા અને વનીતા બેન નાં ઘરે ફોન વાગ્યો
વનીતા બેન એ ઉપાડ્યો તો સામે છેડે સુરેશ ભાઈ હતા,વનીતા બેન ને અચરજ થયુ કે સુરેશ ભાઇ નો ફોન કેમ આવ્યો?
ત્યાં સુરેશ ભાઇ હસતા હસતાબોલ્યા"શું ભાભી ભારતી ગઈ ઘરે"
વનીતા બેન નું અચરજ વધતુ જાતુ હતુ કે એક તો ઝગડો કરીને ગયા અને પાછા ફોન ક્રરે છે એમની પુછ્છા કરે છે અને પાછા એ પણ હસતા હસતા
ત્યાં સુરેશ ભાઇ કહે કે "અચરજ થાય છે ને તમને ,કે આ લોકો રોજ ઝગડે અને પાછા ફોન કરે..પણ શું કરુ મારા ઝગડા થી રડે એ સારુ..બચ્ચા માટે રડે એનાં કરતા ..બરોબરને?જરા સંભાડજો હં એને, ચલો મુકુ છુ..."
ગજબ નાં અચરજ સાથે વનીતા બેન એ ફોન મુક્યો..કે આ પાસુ તો મે વિચાર્યુ જ નહી....
હવે રોજ નાં ઝગડા થી એમને ખુશી થાતી હતી....
આમને આમ ૬ મહીનાં થઈ ગયા...આજે અચાનક ભારતી બેન આવ્યા અને કહે કે તમને ખબર છે કાલે મારી માટે તમારા ભાઈ શું લાવ્યાં?એક સરસ લીલી સાડી લઈ આવ્યાં અને ગજરો લઈ આવ્યાં હતા હુ તો એટલી ખુશ થઈ ગઈ ને કે હજી મારી ખુશી માતી નથી.. વનીતા બેન નાં મગજ માં કેટલા વિચારો આવ્યા અને ગયા...
પણ અએમણે કાંઇ ન કહ્યુ ખાલી હસ્યા..
આજે રવીવાર હતો આજે સવારથી ભારતી બેન નાં ઘરે શાંતી હતી..વનીતા બેન એ અમર ને કહ્યુ "કે આ દાંપત્યા જીવન ની કેડી કેવી વિચીત્ર છે કે જ્યાં ગુસ્સો હોય નફરત હોય લાગણી હોય કેટલુ હોય ક્યારેક જીવન સાથી સાથે શું કામ જીવીયે છીયે એ સવાલ મગજ માં આવે અને ક્યારેક એમ વીચાર આવે કે અમને બન્ને ને કોનો સહારો એક બીજા વગર..
પતિ પત્ની વચ્ચે જે પ્રેમ હોય એ જ કદાચ નિસ્વાર્થ હોતો હશે બીજા કોઈ પણ સંબધ કરતા.બે અજાણ્યા લોકો મલે અને એક બીજા માટે જીંદગી પુરી કરી નાંખે..તમને અચરજ નથી લાગતું,,
અમર હસવા લાગ્યો અન અને બોલ્યો કે ભારતી બેન અને સુરેશ ભાઇ નાં ઝગડા એ તો તને philosopher બનાવી નાંખી છે..
આમને આમ બીજા ૨ મહીના વીતી ગયા...
વનીતા બેન અને અમર ભાઈ જમીને હીંચકે બેઠા હતા ત્યાં ફોન આવ્યો..
વનીતા બેન એ ફોન ઉપાડ્યો તો ભારતી બેન રડતા હતા.
વનીતા બેન એ ઇશારા થી અમર ભાઈ ને કહ્યુ કે ભારતી બેન રડે છે..અમર ભાઈ હસવા લાગ્યા..
ત્યા વનીતા બેન એ ચીસ પાડી કે ભારતી બેન તમે ચીંતા ન કરો અમે આવીયે છીયે..અને એમણે અમર ભાઈ ને કહ્યુ કે જલ્દી ચાલો સુરેશ ભાઇ ને કાંઇક થઈ ગયુ છે...અમર ભાઈ હસવા નું બંધ થઈ ગયુ અને દોડ્યા...
ભારતી બેન નાં ઘરે ગયા તો જોયુ કે સુરેશ ભાઈ એમને એમ સુતા હતાં ચુપચાપ અને ભારતી બેન રડતા હતા॥વનીતા બેન ને જોઇ અને ભારતી બેન એ કહ્યુ વનીતા બેન આમને કહો કે ઝગડે મારી સાથે..ચુપ ન રહે....
અમર ભાઇ એ DR. ને ફોન કર્યો..
થોડીવાર માં dr.. આવ્યાં..અને એમણે જાહેર કર્યુ કે સુરેશ ભાઇ નું અવસાન થઈ ગયુ હતુ...
બહુ જબરો ઝટકો લાગ્યો બધાને કોણ કોને સંભાળે એ જ ખબર નહોતી પડતી....
ભારતી બેન તો સંભાળાતા ન હતા ખાલી એક જ વાત કરતા હતા કે મારી હારે ઝગડો કરો...મારી હારે ઝગડો કરો..અને એ જ વાક્ય સહન નહોતુ થાતુ બધાથી..અને ખાસ તો વનીતા બેન થી....
માંડ માંડ એમને સંભાળ્યા અને સુરેશ ભાઇ ને આખરે વિદાઈ આપવા માં આવી..સ્મશાન માં જઈને પાછા આવ્યા અમર ભાઈ અને બધા છુટ્ટા પડયા...
આજે વનીતા બેન ભારતી બેન નાંઘરે જ રોકાઈ ગયાં।
ભારતી બેન એક જ વાત કરતા હતા કે હવે મારી સાથે કોણ ઝગડો કરશે....
નીંદરની દવા આપીને ભારતી બેન ને સુવડાવવા પડ્યા...સવાર પડી અને વનીતા બેન ઉઠયા..બાજુ માં જોયુ તો હજી ભારતી બેન સુતા હતા જોઈને સારુ લાગ્યુ ધીમે થી દરવાજો બંધ કરીને તેઓ જલ્દી થી થોડુ કામ પતાવવા ઘરે ગયા..અળધી કલાક માં પાછા આવિને એમણે ચાવીથી દરવાજો ખોલ્યો..અંદર િને જોયુ તો હજી ભારતી બેન સુતા હતા..
ધીમે થી એમણે ભારતી બેન ને ઉઠાડ્યા..તો ભારતી બેન એ કાંઇ જવાબ ન આપ્યો.. પાછી એક વાર કોશીશ કરી તો પણ ભારતી બેને કાઈ જવાબ ન આપ્યો..હવે વનીતા બેન ને ચીંતા થઈ...એમણે અમર ભાઈ ને બોલાવ્યાઆમર ભાઈ એ કોશીશ કરી જોઇ તો પણ તેઓ ન ઉઠયા..
પાછા DR. ને બોલાવ્યા તો DR. એ ભારતી બેન ને મ્રુત જાહેર કર્યા..
વનીતા બેન વિચારવા લાગ્યા કે આ સારુ થયુ કે નહી॥પણ એ કોઈ નીર્ણય જ નહોતા લઈ શક્તા અને અચરજ એ થાતુ હતુ એમને પોતાને કે એમને ભારતી બેન નાં મ્રુત્યુ પામવાનું દુ;ખ પણ નહોતુ થાતુ॥એ વિચારતા હતા કે આવુ પણ હોય દાંપત્ય જીવન........
..........................
નીતા કોટેચા









Friday, June 27, 2008

પથ્થર દિલ
.....................
તારા સિવાય દુનીયા ખાલી હતી, એવુ ન હતુ,
પણ તારા વગર દુનીયા સુની લાગશે એ નક્કી છે

તારા સિવાય બીજા દોસ્તો નથી, એવુ નથી ,
પણ તુ નારાજ રહીશ,
તો હુ હાસ્ય ભુલી જાઈશ એ નક્કી છે.

તુ મને ન ચાહે એ ચાલશે,
પણ મને જો તને, ચાહવા નહી દે, તો હ્રદય ટુટશે એ નક્કી છે.

તુ મારી થાય કે નહી, એ જરુરી નથી
પણ તને મારા સિવાય કોઇ નહી સંભાળે તો હુ
જીવી નહી શકુ એ નક્કી છે.

તને પથ્થર દિલ બનાવી એમાં મારા હ્રદય નો શું વાંક?
હુ તારા જેવી નહી બની શકુ એ પણ નક્કી છે।
.........
નીતા કોટેચા


Wednesday, June 11, 2008







Sunday, April 27, 2008

આપણે બધા કહેતા હોઈયે છીયે કે જે હોય એ, અપનાવી લેવુ જોઈયે.
આપણે વિચારીયે તો દુ;ખ અને આપણે વિચારીયે તો સુખ છે.
પણ હ્રદય પર હાથ રાખીને વિચારજો કે શું હુ કહુ છુ એ બરોબર છે??



આ દુનીયા ફકત ખુશી નો દરિયો નથી,

આ જગત ફકત હાસ્ય નો ફુવારો નથી.

કર્મ નાં આધારે પોતાનાં, પારકા થાય
અને
પારકા, પોતાનાં થાય છે .
સપનાં ઓ નાં હાસ્ય થી અલગ
આંસુ ઓ ની દુનીયા છે।
સંબધો માં ભારોભાર સ્વાર્થ ની આ દુનીયાં છે...
માનીયે છીયે, એટલી સરળ નથી
આ જિંદગી।
હા , બનાવટી હાસ્ય અને આંડબર ની આ દુનીયાં છે.
કહે જો કોઇ કે, હુ મન થી ખુશ છુ.
હુ માનીશ કે જો પાછુ ખોટા દેખાડા ની આ દુનીયા છે...
નીતા કોટેચા


Tuesday, April 1, 2008

50)
લેણાદેણી

આજ કાલ કરતાં રાજેશ ને કોમા માં ગયે ૪ વર્ષ થયા॥ફક્ત એક જ કામ માનવી એ કર્યુ હતુ અને એ કે બસ રાજેશ ને સંભાળવાનું....ઘર ની બહાર જાવાનું જ બંધ કરી દીધુ હતુ॥બધુ જ મનન લઈ આવતો હતો॥અને બસ બે સમય જમવા સિવાય જાણે બીજુ કાંઇ કામ જ ન કરતી હતી॥રાજેશ નો કામવાળો આવ્યો કે નહી।એને ઇન્ફેકશન નથી લાગતુ ને॥ એને કાંઇ તકલીફ ન પડે...
આજે પણ એ રાજેશ નાં પંલગ પાસે બેઠી હતી અને એને જોતી હતી
એને યાદ આવતા હતા એ દિવસો જ્યારે એ લગ્ન ગ્રન્થી જોડાયા હતા .પહેલે જ દિવસે એને અનુભવ થઈ ગયો હતો કે રાજેશ એને કેટલો પ્રેમ કરે છે॥લગ્ન પત્યા અને બધા ઘરે આવ્યાં હતા। હવે એમણે સુહાગરાત માટે કોઇક હોટેલ માં જાવાનુ હતુ॥ બધા હમણા તો ઘરમાં બેઠા હતા।ત્યાં નણંદ એ આવીને પુછ્યુ કે ભાભી તમે કાંઇ લેશો??તો હુ ખચકાણી હતી કે કેમ કહેવાય કે હા મારી માટે કોફી લઈ આવો...અને જરુરત બહુ જ હતી..પણ નાનપણ થી મમ્મી એ સીખડાવેલ નહી કોઈને કામ કહેવાનો.. એટલે બોલાણુ નહી।રાજેશ દુર બેઠો બેઠો જોતો હતો..મારી નજર એની સામે ગઈ અને એણે નજર થી જ મને કહ્યુ હતુ કે પી લે કાંઇક..મે નજર થી જ ના પાડી..અને આ પ્રેમ નાં નશા એ મને મારી કોફી ની તરસ ભુલાવી દિધી..૧૦ મીનીટ થઈ ત્યાં તો રાજેશ ઉભો થયો અને રસોડા તરફ ગયો,,મને અચરજ થયુ કે આટલા બધા લોકો છે અને એ શું લેવા ગયો।પણ પહેલો દિવસા કાઈ બોલાય તો નહી॥એટલે હુ બધુ ચુપચાપ જોતી હતી॥ ત્યાં મારા નંણદ પણ રસોડા માં ગયા અને રાજેશ ને કહ્યુ "શું જોઈયે છે ભાઈ?" તો રાજેશ એ કહ્યુ કે "કોફી પીવી હતી અને તુ બીજા કામ માં હતી એટલે મે વિચાર્યુ કે ચલ હુ જ બનાવી લઉ।" નંણદ થોડુ હસીને બહાર ચાલ્યાં ગયા,મને કોફી નું નામ સાંભળીને પાછી તડપ ઉપડી ॥પણ પાછી એ તરસ છુપાડવાની જ હતી॥ત્યાં રાજેશ મારી પાસે કોફી નો કપ લઈને આવ્યો કે મને આવડે નહી ને થોડી વધી ગઈ, પી જાઈશ?અને બધા એ એની મસ્તી કરી અમે પી જાશું અમને દઈ દે..અને મેં કપ નીચે મૂકી દીધો..તો રાજેશ કહે નાં આજે તો બધુ ફકત માનવી નું..અને બધા હસી પડ્યાં..મને એમ થાતુ હતુ કે હુ એ કપ કેમ કરીને ઉપાડુ..પણ પાછા નંણદ આવ્યા અને મારા હાથ માં એ કોફી નો કપ પકડાવી ગયાં।અને એ કોફી મને અમ્રુત જેવી લાગી હતી..
૯ વાગવા આવ્યા હતા બધા મલીને અમને હોટેલ માં મુકવા આવ્યા। મને એટલી શરમ આવતી હતી॥પણ ચુપચાપ હુ બધા સાથે હોટેલ માં પહોચી॥માંડ માંડ બધા છુટ્ટા પડ્યા,અને મે હાશ કારો અનુભવ્યો॥મે સૌથી પહેલા રાજેશ ને કહ્યુ કે રાજેશ તારો આભાર હુ કેવી રીતે માનું તને ખબર નથી ,પણ મને ત્યારે કેટલી જરુરત હતી કોફી ની॥રાજેશ એ જવાબ આપ્યો મને ખબર છે હુ તારો ચહેરો વાંચી શકુ છુ માનવી।ને મને એમ થયુ કે પ્રભુ એ મને બધુ જ સુખ આપ્પી દીધુ...અને અમે બન્ને અમારી હુંફ ની અમારી પ્રેમ ની દુનીયા માં ખોવાય ગયા।
અને આજે ૪ વર્ષ થી એવી કેટકેટલી જરુરત પડી પણ રાજેશ સળવળતો પણ નથી॥Dr। એ કહ્યુ કે અમે બધો જ ઇલાજ કરી લીધો છે॥ હવે એ ક્યારેય પણ કોમા માથી બહાર આવી શકે છે॥અને હુ એ જ રાહ જૉઇને બેઠી છુ॥કે ક્યારે આવશે એ દિવસ??
૪ વર્ષ કાંઇ નાનો સમય ન હતો અને આવક વગર...ભર્યા ભંડાર પણ ખુટી જાય॥ અને હવે એ જ દિવસ આવવા લાગ્યો છે
વિચારી જ મને થાય છે કે શું થાશે??માનવી રાજેશ નો હાથ હાથ માં લઈને માનવી એ કહ્યુ તુ મારો ચહેરો વાંચી શક્તો હતો ને ॥જો આજે હવે શું દિવસો આવ્યાં છે કે તારી માનવી એ આજે હવે ક્યાંક માંગવા નીકળવું પડશે॥મદદ લેવી પડ્શે કાંઇક રસ્તો ગોત રાજેશ... અને એ રાતે રાજેશ મ્રુત્યુ પામ્યો॥એણે મારી માટે રસ્તો કાઢી આપ્યો॥પણ મે એને પાછુ આવવા કહ્યુ હતુ॥માંગવુ તો મારે હજી એ પડશે જ ને જિંદગી ચલાવવા.. બધા આશ્વાસન આપતા હતા કે જે થયુ એ હવે શું કરી શકીયે? આમાથી કોઇ આ ૪ વર્ષ માં પુછવા નહોતુ આવ્યુ અને હવે પણ નહી આવે...પણ ચુપ જ રહેવાનું હતુ..હજી મારે કોની લાચારી કરવી પડશે કોને ખબર?? મારા ઘર ની આજુબાજુ માં રહેતા બધા આવતા હતા
મને મલતા હતા..એક બહેન એ અવીને કહ્યુ આ ઘર વેચીને બીજુ નાનુ ઘર લઈ લેવાનુ એટલે જિંદગી ની થોડી તકલીફ દુર થઈ જાય..મને એમનુ એ સુચન ગમ્યુ કે કોઇ પાસે હાથ લંબાવવો એનાં કરતા આ રસ્તો સારો હતો। ૧૩ દિવસ પત્યા એટલે અફસોસ કરવા વાળા વિખેરાવા લાગ્યા,બધાને ચીંતા હતી કે હુ કાંઇક માંગીશ॥ લગભગ ૨૦ દિવસ થઈ ગયા રાજેશ ને ગયા...
અમારા બાજુમાં રહેતા અમારા મરાઠી પાડોશી મને મલવા આવ્યાં। તેઓ મા અને દિકરો જ હતા.. દિકરા નાં લગ્ન થયા ન હતા॥ લગભગ એમની ઉંમર ૫૦ વર્ષ ની હતી.. એમનાં મમ્મી મારી બાજુ માં બેઠા અને કહ્યુ કે "જો દિકરી આ સમયે આ વાત કરવી બરોબર નથી..પણ હુ હિંમત કરીને કહુ છુ..મને ખબર છે કે તે રાજેશ પાછળ જિંદગી ની બધી જ મુડી વાપરી નાંખી છે..અને હવે તારે માંગવાનો વારો આવ્યો છે..હુ એક સુચન કરુ છુ તુ શાંતી થી વિચારજે અને પછી જવાબ આપજે।જો મારા દિકરા નાં હજી લગ્ન થયા નથી અને પ્રભુ એ એટલો પૈસો આપ્યો છે કે જે ખુટે એમ જ નથી।હજી તારો દિકરો નાનો છે એ ક્યારે મોટો થાશે અને ક્યારે કમાશે?તો જો તુ મારા દિકરા સાથે લગ્ન કરી લે તો તમારા બન્ને નું સંભાળાય જાય..મને બહુ મોટો જટકો લાગ્યો કે આ કેવી વાત?પણ મે એમને કાંઇ જવાબ ન આપ્યો..અને તેઓ ચાલ્યા ગયા અને જાવા વખતે કહેતા ગયા હુ પાછી આવીશ પુછવા..
હુ ખુબ રડી રાજેશ નાં ફોટા સામે ઉભી રહીને.. બે દિવસ બીજા વિત્યાં.. સાંજે મનન સ્કુલ માં થી પાછો આવ્યો ત્યારે રડતો આવ્યો અને કહેવા લાગ્યો કે કેમ પણ કરીને બે દિવસ માં સ્કુલ ની ફીસ ભરી જાવ..આખા વર્ષ ની ફીસ એટલે ૭૦૦૦ RS હતા। હવે હુ શું કરુ? સગા ઓ ને ત્યાં ફોન કર્યા કે થાય તો આપો હુ પછી આપી દઈશ..એક સગા એ આપ્યા ખરી પણ કહ્યુ કે તુ પાછી આપી નથી શકવાની, ઘર વેચી નાંખ.. હુ આજે આપીશ,રોજ કોણ આપશે??મને એમની વાત એ વિચાર કરતા મુકી દીધી કે ચલો હુ ઘર વેંચી નાંખુ પણ એ પણ તો થોડા વખત માં પુરા થઈ જાશે પછી??????? અને નસીબ ક્યો કે એ જ દિવસે મરાઠી પાડોશી પાછા આવ્યાં અને મે એમને હા પાડી દીધી..અને બધા ની નારાજગી સાથે મે કશ્યપ સાથે લગ્ન કરી લીધા..
આજે મારી બીજી સુહાગરાત હતી..અને મને એ બધુ પાછુ યાદ આવતુ હતુ..જેવો કશ્યપ રુમ માં આવ્યો અને મારી બાજુ માં બેઠો મને રાજેશ ની યાદ આવી ગઈ અને હું રડી પડી ..કશ્યપ એ મારા માથા પર હાથ રાખ્યો અને કહ્યુ"હુ સમજી શકુ છુ..મે ફક્ત શરીર સુખ માટે આ સંબધ નથી બાંધ્યો..એક બીજાને સંભાળવા માટેનો આ સંબધ છે..ાને હુ ઉપકાર ની નજર થી કશ્યપ ને જોતી રહી..અને કશ્યપ સામે નાં સોફા પર જઈને સુઈ ગયો..
આમને આમ જ ૧૦ દિવસ વીતી ગયા।હજી અમારા વચ્ચે કોઈ સંબધ બંધાણો ન હતો..પણ એનાં મોઢા પર થી જરા પણ ફરિયાદ નાં ભાવ ન હતા.જેવો સમય મલે એટલે એ મનન ને લઈને બહાર ચાલ્યો જાતો..
રાજેશ ની બીમારી ને લીધે મનન એ બહાર ની દુનીયા જૉઇ જ ન હતી.. કશ્યપ નાં મમ્મી એ માનતા માની હતી કુળદેવી નાં દર્શને જાવાનું .એટલે અમારુ બહાર જાવાનું નક્કી થયુ..કેટલા વખતે હુ પણ બહાર નીકળી હતી..મનોમન મે નક્કી કર્યુ કે પાછા ફરીને કશ્યપ ને પોતાની જાત ને સમર્પણ કરી દેવી... કુળદેવી નાં દર્શન કરી ને પાછા વળતા બહુ મોટો અકસ્માત નડતા કશ્યપ નએ એના મમ્મી બન્ને મ્રુત્યુ પામ્યાં. અને હુ પાછી એકલી થઈ ગઈ..ફરક ફક્ત એટલો હતો કે હવે ત્રણ ફોટાને હાર ચડાવવાનો હતો..
બેંક માં થી ફોન આવ્યો કે મેડમ તમે કશ્યપ ભાઈ નું ડેથ સર્ટીફીકેટ આપી જાવ અને તમારુ નામ add કરાવી જાવ.. મન ન હતુ પણ હુ ગઈ બેંક માં ..અને ત્યા જઈને બધા કાગળીયા ની જવાબદારી પુરી કરીને બહાર આવતી હતી ત્યાં બેંક નાં એક ભાઈ આવીને પાસ બુક આપી ગયા..માનવ સ્વભાવ ને લીધે અંદર નજર કરી તો આંખો અચરજ ઠી પહોળી થૈ ગઈ કારણકે એમાં રકમ હતી ૯૯ લાખ..બીજા દિવસે બેંક વાળા પાછા આવ્યાં.અને થોડા સેવીંગ સર્ટિફીકેટ આપી ગયા અને એ બધાની રકમ મલીને હતી ૩ કરોડ રુપીયા.. બેંક મેનેજર એ કહ્યુ તેઓ ૫ દિવસ પહેલા આવ્યા હતા અને બધા માં તમારુ નામ જોઇન્ટ માં કરાવી ગયા..મારુ મગજ કામ નહોતુ કરતુ..કે આ માણસ સાથે કેવી લેણાદેણી ..
હુ રાજેશ ,કશ્યપ અને એનાં મમ્મી ત્રણે નો ફોટો જોતી હતી કે કોઇક તો બચ્યુ હોત ખાલી પૈસા ને પણ શું કરીશ?????????
નીતા કોટેચા


Tuesday, March 18, 2008

49)
19/3/2008















આજે ૧૯ મી માર્ચ.








નીરુમા નાં દેહ એ આપણી વચ્ચે થી વિદાય લીધો હતો, એ તારીખ..


નીરુમા એટલે મારી જાન .મારો જીવ..


એમનાં પાસેથી હુ બહુ બધુ સીખી..તેઓ હંમશા કહેતા કે....


...ક્યારેય પણ ટુટી ગયેલા કપ માટે ન રોવો..જે થઈ ગયુ છે એને ભુલી જાવ..


..એમની સૌથી સારી વાત હતી કે...આપણે મરી જાઈયે પછી બધાને કહી ને જાવો કે મારુ શ્રાધ ન કરતાં ..કારણકે તમારી માટે, હમણા પણ ગયાં જન્મ નાં તમારા બાળકો તમારા શ્રાધ્ધ નાં દિવસે ખીર બનાવીને ખવડાવતા હશે..કાગડા ને ખવડાવતા હશે..તો શું તમને એનો સ્વાદ આવે છે??ગયાં એ ગયાં..બસ હવે એ જ્યાં હોય એમની માટે પ્રાર્થનાં કરો..કે તેઓ ખુશ રહે..મને એમની આ વાત એટલી ગમી ગઈ કે મારી દીકરી ઓ ને કહી દીધુ કે હુ ગુજરી જાવ, પછી મારુ શ્રાધ્ધ ન કરતા, ઉઠમણુ ન રાખતાં, તેરમુ ન કરતાં..


..તેઓ હંમેશા કહેતા કે તમારાથી કોઇને દુ;ખ દેવાય ગયુ હોય અને તમે એમની સામે ચાલીને માફી ન માંગી શકો તો રોજ એમનાં હ્રદય માં વસેલાં શુધ્ધ આત્માં ભગવાન ની માફી માંગી લ્યો..એમનું હ્રદય પરિવર્તન જરુર થી થાશે. અને એ પાછા તમારા મિત્ર બની જાશે અને તમને માફ કરી દેશે..


અને આ વાત તો અજમાવી ચુકી છૂ હુ ..અને નારાજ થયેલા ઓ પાછા સામેથી વાત કરવા આવ્યાં છે...


....તેઓ હંમેશા કહેતાં કે આપણાથી કોઇ ગભરાય એવી જિંદગી જીવવી નહી..એનાથી મોટુ પાપ નથી.


.... બધાને માફ કરી દેવાની આદત પાડી નાંખો...


નીરુમા ને એક વાર રુબરુ મલવું હતુ એ ઈછ્છા પુરી ન થઈ..


અને જે દિવસે એમણે આ દેહ છોડ્યો ત્યારે તારીખ હતી ૧૯ મી માર્ચ..૧૮ મી માર્ચ એ મારા વરજી એ રાતનાં ૧૨ વાગે મને એક સરસ WHITE DRESS આપ્યોં..

એ જોઈને મે એમને કહ્યુ સારુ થયુ white લઈ આવ્યાં...

હવે નીરુમાં નુ પ્રવચન હશે ત્યારે હુ આ dress પહેરી ને જાઈશ...

અને.......

એ દિવસે મને સમાચાર મલ્યાં કે તેઓ મને મુકી ને ચાલ્યા ગયા છે...

પણ ...

નીરૂંમાં ની વાતો યાદ રાખી ને જ જીવાવાનુ હતુ ..એટલે વધારે કલ્પાંત કર્યા વગર જ એમને જ્યાં હોય ત્યાં શાંતી મલે એ જ પ્રાર્થના કરીયે છે..Nirumaa miss youuuuuuuuuu


Saturday, March 15, 2008

48)

આપણે બહુ વાર સાંભળીયુ છે , બહુ બધા લોકો પાસે થી કે ...
લાગણી ઓ ને વાચા ન અપા।
મન માં હોય એ બધુ ન બોલાય...
બહુ સારુ ન થવાય...
બહુ સાચ્ચુ ન બોલાય...
થોડુ સહેન કરતા સિખાય...
થોડુ ચુપ રહેતા સિખાય...
થોડુ ભાર માં રહેતા સિખાય...
આપણા થી લોકો ડરે એવો સ્વભાવ રખાય॥
બહુ પડી ન જવાય॥ બહુ પ્રેમ ન બતાડાય...
મને ખબર નથી પડતી કે શું સાચ્ચુ અને શું ખોટુ।?
શું કામ લાગણી ઓ ને વાચા ન અપાય????????
મને એ જ નથી સમજાતુ
અગર તમને કોઈ ગમે છે કે, તમે કોઈ ને પંસદ કરો છો તો શું કામ ન કહેવાય????...
શું કામ જે તમારા મન માં છે એ ન બોલાય????
શું કામ તમને જે ન ગમે એ બાબત માં પણ તમે કાંઇ નથી બોલતા???....
મન માં હોય એ કેમ ન બોલાય?????
સાચ્ચુ શું કામ ન બોલાય????
આમ આપણે બુમો પાડી ને પોતાનાં હક્ક માટે જગડતા હોઈયે છીયે છે...
પણ આપણે આપણા સાથી સાથે પણ હક્ક માટે લડીયે છીયે છે???
થોડુ ચુપ રહેતા સિખાય,
શું કામ????
આપણને જે મન માં આવે એ આપણને બોલવાનોં હક્ક છે॥
તો શું કામ ચુપ રહેવાનું?????મને નથી સમજાતુ...
થોડુ ભાર માં રહેતા સિખાય,....શું કામ સિખાય????????
મને નથી સમજાતુ...હસતા રહેવામાં વાંધો શું છેં॥
મે બહુ બધા એવા ચહેરા જોયા છે કે જેમણે હસવા માટે પ્રયત્ન કરવો પડે॥
આમ એ હસે તો એમ થાય કે જોઈ આવીયે કે સુરજ બરોબર ઉગ્યો છે કે નહી...
દુનીયાં આપણાથી ડરે એવો સ્વભાવ રખાય..
પણ શું કામ??
એ તો સૌથી મોટુ પાપ છે કે આપણા થી કોઇક ડરે...
અરે એવુ થાવુ જોઇયે કે આપણા પ્રેમ ની અસર એવી હોય, કે આપણા બચ્ચાઓ પ્ણ આપણાથી ડરે નહી॥
આપણા પ્રેમ નાં લીધે તેઓ એવુ કોઇ કાર્ય કરે જ નહી કે જેનાથી આપણને શરમાવુ પડે....
પણ બસ બધુ પ્રેમ થી જ જીતી લેવાય...
હુ મારા બ્લોગ માં લખુ છુ જે વાતો એની માટે બહુ બધી વાર મને mail આવે કે તમને શું પંચાત????
ઓળખીતા ઓ કહે તો તેઓ મારા સારા માટે કહે છે કે આ સ્વભાવ ને હિસાબે હુ કોઇક દિવસ મુશ્કેલી માં પડી જાઈશ એટલે કહેતા હોય છે કે શું કામ દુનીયા આખાની પંચાત કરે છે ?????????


પણ હુ ચુપ નથી રહી શક્તી...
હુ શું કરુ॥??? અને એ બધુ બ્લોગ પર લખવાનું કારણ એક જ કે plsssssss ગાંધારી બનવાનું બંધ કરો....
કે આપણા થી મોટા જો ચુપ છે આને પટ્ટી બાંધી ને બેઠા છે તો આપણે પણ ચુપ જ રહેવાનુ????
ના ન રહો ચુપ॥ધીમે ધીમે દુનીયા બદલાશે॥ હમણા ની જ એક વાત કહુ તો,
મારા એક ઓળખીતા, મારા બહુ પંસદીદા બેન, અને લગભગ ૫૫ વર્ષનાં,, ...
જ્યારે મલે ત્યારે મારી પાસે બીચારા ઉભરો કાઢે કે "મારા જીવન માં બીલ્કુલ શાંતી નથી॥મારે જીવવુ નથી"...
હુ એમને થોડુ હસાવતી પણ અમારે જુદા તો થાવુ જ પડતુ...
એક દિવસ સમાચાર મલ્યા કે એ બેન એ કાંઇક પી લીધુ છે અને કોમા માં છે...
કોઇ નહી વીચારી શકો કે મને કેટલુ દુ;ખ થયુ હતુ...હુ એમને જોવા પણ ન ગઈ ॥મારી જિંદગી માં મે થોડા ઉસુલ રાખ્યા છે...કોઇક ગુજરી જાય તો હુ આભડવા જાવ પણ ઉઠ્મણા માં જાવુ હોય તો જ જાવ
એમ જ હુ એમને જોવા પણ ન ગઈ...
કારણકે હવે ખાલિ ઘરનાં ને સારા દેખાડવા જાવાનુ હતુ॥ મે ઘર માં બેસી ને એમનાં માટે પ્રાર્થનાં કરી કે હે ભગવાન જો એ સાજા થાવાનાં હોય તો ઠીક છે નહી તો એમને લઈ લે॥ બીજા ૩ દિવસ માં સમાચાર આવ્યા કે તેઓ શ્રીજીચરણ પામ્યા છે॥મે એમનાં આત્માં ની શાંતી માટે પ્રાર્થનાં કરી॥ જિંદગી એની ઝડપે ચાલતી હતી ॥પાણ મનમાં અટક્તુ હતુ કે એવુ કયુ દુ;ખ હશે કે એમણે આ પગલુ ભર્યુ॥ભરેલો સુખી પરીવાર હતો॥દીકરા દીકરી બધુ હતુ॥એમનાં ઘરે પણ બાળકો હતા॥પૈસે ટકે સુખી હતા॥કોઇ તકલીફ દેખાતી ન હતી તો તેવુ શુ થયુ હશે ??પણ કોને પુછવુ?
વાત એમની સાથે જ ચાલી ગઈ હતી...
।મહીનાઓ વીતી ગયા એ વાતને,
એકવાર કોઇ હુ બહાર ગઈ ત્યા એમનાં પતિદેવ મલ્યાં,મે પહેલા પણ કોઇ દિવસ એમની સાથે વાત ન કરી હતી ....અને મારી સખી એ( શું કહુ એમને, ત્યારે તો અમારા સંબધ ને કાંઇ નામ નહોતુ નામ વગર નામ નો સંબધ હતો॥ )આત્મહત્યા, કરી ત્યારથી તો હવે કોઇ સવાલ જ ન હતો એમની સાથે વાત કરવાનોં॥તેઓ મલ્યા..મને સામે થી બોલાવીને કહ્યુ કે મલો આ મારા બીજા પત્ની ને... અને મારુ માથુ ફરવા લાગ્યુ..મે કાંઇ પણ જવાબ ન આપ્યો..કાબુ રાખીને ચાલી ગઈ। ૨ કલાક રહીને પાછી ફરી ત્યારે તે ભાઈ પાછા મલ્યા..એમનાં નસીબ ખરાબ કે મારા, મને નથી ખબર..શાક વાળા પાસે મલ્યાં..ભૈયા એ એને પુછ્યુ "માજી કો ક્યા હો ગયા થા' તો કહે ભુલ જા અબ વો માજી કો દેખ મૈ દુસરા ખીલોના લે કે આયા હુ.. અને નીતા બેન નો પીત્તો ગયો.. મે કહ્યુ ભાઈ એમાં રાજી ન થાવ આ બેન નું મોઢુ જુઓ આવા શબ્દો સારા નથી લાગતાં,,,અને જેમણે પોતાનું જીવન ટુકાવ્યુ છે એમની હાઈ તમને છોડશે નહી। .. અને હુ ત્યાંથી ચાલી નીકળી.. હ્રદય ને થોડી શાંતી થઈ કે મારા સખી ને મે આજે સાચ્ચી શ્રધ્ધાજંલી આપી..હવે તમે જ કહો કે અહિયાં ચુપ રહીને ચાલી આવત તો હુ સારી..એક સ્ત્રી ની આટલુ મોટુ અપમાન કેમ ચલાવી લેવાય..ભલે એનાં હિસાબે જ કદાચ મારા સખી એ આત્મહત્યા કરી હશે..પણ મારા થી ચુપ ન રહેવાય..બધા કહે છે કે નીતા તુ પંચાત ન કર..પણ હુ કોઇનાં ઘરે તો નથી જાતી પંચાત કરવા..એવી બહુ બધી વાતો છે કે જેમા હુ ચુપ રહુ છુ..પણ એ હવે છોડી દઈશ..જે થાવુ હોય તે થાય... mail કરવા વાળા ઓ કહે છે કે આ બધુ અમને કહીને તમે તમારી બહાદુરી બતાડવાં માંગો છોં..હુ એમને કહેવા માંગુ છું, મને કોઇ ઇનામ નથી મલવાનું..પણ આ દુનીયામાં બહેનો બહુ બધુ ચુપચાપ સહેન કરે છે..અને હુ એમ કહુ છુ કે ભાઈ લોકો પણ જ્યાં બોલવાનુ હોય ત્યાં નથી બોલતા અને જ્યાં ન બોલવાનું હોય ત્યાં ચાલુ જ હોય છે... એક બીજાને માન આપો..અને સન્માન આપો..કોઇ કોઇથી ગભરાવ નહી અને કોઇ આપણા થી ગભરાય એવુ ઈછ્છો નહી બસ ફક્ત પ્રેમ આપો કારણકે જે આપશો એ મલસે એ ભગવાનનાં ઘર નો નિયમ છે॥તો મારા બ્લોગ ને કોઇ ખોટી રીતે ન લો..અને હુ શું કહેવા માંગુ છું એ સમજો...plsssssssssss અને જેમને ન ગમે એ ન વાંચો..મને એકે પ્રતિભાવ નહી મલે તો પણ ચાલશે...


Tuesday, March 11, 2008

47)

ચાલો ૮ મી માર્ચ પતી ગઈ॥ સ્ત્રી ઓ નોં દિવસ પતી ગયો ...
કેટલાં એ મનાવ્યો॥
કેવી રીતે મનાવ્યોં॥
એમાં નથી પડવુ॥
પણ આખા વર્ષ માં આપણે બધા માટે એક એક દિવસ રાખ્યો છે...પપ્પા નોં દિવસ ।વિધ્યાર્થી નો દિવસ, ...અને એવા બહુ બધા દિવસો...આ બધી રીત મને તો સમજાતી જ નથી॥પણ છતાં હુ મનાવું ખરી॥એમાં ના નહીં।એ દિવસે મે જે અનુભવ્યુ એ આજે લખું છુ..કારણકે જો એ દિવસે લખત તો મને જ ન ગમત...બહાર નીકળી..શાક લેવા..રસ્તા પર જાતી હતી ત્યાં ચટાક કરીને અવાજ આવ્યો..અવાજ ની દીશા તરફ જોયુ...તો કોલેજ માં ભણતાં છોકરા છોકરી દેખાણા..એમાં છોકરી રડતી હતી..અને છોકરો બુમો પાડતો હતો..અને ત્યાં બીજી ઠોકી..અને છોકરી કાંઇ બોલતી ન હતી..ખાલી પોતાને બચાવવાનોં પ્રયત્ન કરતી હતી..બધા તમાશો જોતા હતા।ત્યાં એક હવાલદાર ઉભો હતોં, મે એને કહ્યુ ભાઈ ઉસ્કો છુડાઓ..તો કહે આપ છુડાઓ નાં..એટલે નીતા બેન એ જપ્લાવ્યું..એ બન્ને પાસે ગઈ...અને કહુ કે ભાઈ શું તકલીફ છે?તુ મારે છે શું કામ? તો છોકરો કહે તમે કોણ છો વચ્ચે બોલવાં વાળા...મે કહ્યુ તુ રસ્તા પર એને મારે છે મને દેખાય છે અને તોય હુ ચુપ રહુ..એ મારાથી નહી થાય..પછી એ છોકરી ને પુછ્યુ કે આ મારે છે તોય તુ કાંઇ બોલતી નથી..અને માર ખાય છે પાછું... તો મને કહે કે આંટી તમે જાવ ને..ી મારો boy friend છે। અને મે એને બધો હક્ક આપીયો છે..મે કહ્યુ મરો બીજુ શું? મે એને પુછીયુ કે દીકરી તને ખબર છે આજે woman's day છે...અને તુ તારા પોતાને હાથે જ તારુ અપમાન કરાવે છે....તો છોકરો ભડક્યો..તમે જાવ ને આંટી..તમને શું છે? આ અમારી વાત છે ..તમે વચ્ચે બોલો જ શું કામ છોં?મે જરા ગુસ્સે થી છોકરી સામે જોયું અને કહ્યુ..આની સાથે પરણતી નહી ..નહીતોં જીદગી ભર માર જ ખાઈશ્।અને હુ વધારે કાંઇ કહુ એની પહેલાં એ લોકો રિક્ષા માં બેસીને ચાલ્યા ગયાં।-------------------------------------------------------------------
વર્ષો પહેલાં ની એક friend મલી અચાનક જ॥પીયર માં સાથે રહેતાં॥પછી મમ્મી લોકો એ ઘર બદલાવ્યુ॥અને મુલાકાત બંધ થઈ॥મારા પહેલા એનાં લગ્ન થયાં હતાં
ખુબ આંનદ થયો... મે પુછ્યુ"શું બચ્ચાઓ છે? તો જવાબ આપ્યો"બે છે અને બન્ને ભણે છે..ખુબ સરસ રીતે...મે કહ્યુ સારુ..અને વરજી નુ શેનું કામકાજ છે? તો કહે "વરજી ગયાં ઉપર..હવે અમે ત્રણ જણા જ છીયે..મને અફસોસ થયો..મારા જેટલી ઉંમર એની..૪૦ ની આસપાસ.. અને આટલુ જલ્દી આવું થાય..મને દુઃખ થયું..અને મારા ચહેરા પર દુ;ખ જોઈને એ કહે અરે મને દુ;ખ નથી એટલુ તો તને દુ;ખ થયુ સાંભળીને..મે કહ્યુ ના રે તુ કેવી રીતે બધુ સંભાળે છે?તો કહે અરે પૈસા ની તો ચીંતા નથી.બહુ બધુ મુકીને ગયા છેં..પણ મે કહ્યુ તોય એમની ખોટ તો લાગતી હશે ને..પછી એ જરા ગંભીર થઈ..મને કહે'જો નીતા જે જીવતાજીવ આપણો હોય જ નહી એ જીવે કે મરે એની માટે શું અફસોસ..લેણા દેણી હતી એ પુરી કરી..અને એ ગુજરી ગયા..તો પત્યું..ચલ હુ તને મારી આખી વાત કહું. અને અમે બન્ને હોટેલ માં બેઠાં.અને એ ણે વાત ચાલુ કરી..મને કહે'જો નીતા, એમની સાથે પરણી ત્યારે મેં એમને મારુ સર્વ સમર્પણ કરી દીધુ..એક બાળ્ક એક જ વર્ષ માં થઈ ગયું..પણ પછી ખબર પડી કે એમને બીજી સ્ત્રી ઓ પાસે જાવાની આદત છે..ધીમે ધીમે એ રોજ મોડા આવવા લાગ્યાં..થોડોક વખત મે બુમો પાડી..પણ એણે કહી દીધુ કે મને એનાં વગર ચાલસે નહી..તો તારે જીવવું હોય મારી સાથે તો જીવ નહીતો તારો રસ્તો પકડી લે... મને ખબર હતી કે હવે કાંઈ ન થાય.એક બાળક થઈ ગયુ હતું હવે એની જિંદગી માટે ચલાવે જ છુટકો...અને હુ એની સાથે જીવતી હતી...બીજી સ્ત્રી ઓ સાથે સાથે એને દારુ નુ વ્યસન પણ એટલુ જ થઈ ગયુ હતુ...અને શરીર ખલાસ કર્યુ..હોસ્પીટલ માં હતો ત્યારે એની બીજી સ્ત્રી પણ ત્યાં બેસવા આવતી હતી..મેં પુછ્યુ તારાથી સહેન કેમ થયું એ સ્ત્રી નું બેસવું..તો કહે નીતા એમાં એ સ્ત્રી નોં શું વાંક?એની તો જરુરત હતી પણ મારા વર એ એની જરુરત નોં ફાયદો ઉપાડ્યો હતો...એટલે મને કોઈ અફસોસ નથી એમનાં મરવાનોં..તો તુ પણ જીવ ન બાળતી..ઠીક છે ને ..મને અચરજ પણ થાતું હતું અને ખુશી પણ કે એક સીધી સાદી છોકરી ને સંજોગો એ કેવી મજબુત કરી નાંખી હતી..મે એને પુછ્યું બીજા લગ્ન કરવાનાં વિચાર છે?તો કહે નાં રે હવે શું?માંડ એક માં થી છુટી છું એમાં હવે બીજા માં ક્યાં ફસાવુંઅને અમે સ્ત્રી ઓ નોં દિવસ મનાવ્યોં..અને છુટ્ટા પડ્યાંઆજે ને આજે બે અલગ અલગ પ્રસન્ગ જોયાં...ખબર નહોતી પડ્તી કે શું વીચારુ???હજી આવા બહુ બહેનોં સાથે વાત કરી છે એ પણ લખીશ..પણ હવે પછી ના post માં


Thursday, March 6, 2008

46)

મને એક mail આવ્યો..જે મને ખુબ ગમ્યો તો થયુ કે ચાલો બધાને આનો લાભ મળે..આ લખાણ મારુ નથી....

તારીખ : આજની જ.

પ્રતિ, તમોને જ

વિષય : જિંદગી અને તમે !

ભાઈશ્રી/બહેનશ્રી,

હું ભગવાન – આજે તમને બે શબ્દો લખવા માંગું છું.

ધ્યાનથી વાંચજો.

આજે તમારી જિંદગીના બધા જ પ્રશ્નોનું નિરાકરણ કરી શકાય તેવો રસ્તો તમને બતાવવાનો છું. એટલું યાદ રાખજો મારે તમારી મદદથી કોઈ પણ જગ્યાએ જરૂર પડવાની નથી. હું તમારી પાસે સીધો આવવાનો પણ નથી. તમારે ફક્ત નીચેના મુદ્દાઓ યાદ રાખવાના છે અને એ મુજબ પાલન કરવાનો પ્રયત્ન કરવાનો છે :

[1] જિંદગી તરફથી એવી કોઈ સમસ્યા ઊભી થાય કે જે તમારાથી હલ ન થઈ શકે તો એને મારા નામની પ્રાર્થનાના પોસ્ટબૉક્સમાં મૂકી દેવી. એના ઉપર – ભગવાનને માટે – એવું અવશ્ય લખવું। એક વખત આ બૉક્સમાં સમસ્યા મૂક્યા પછી વારંવાર એને બહાર કાઢીને તપાસ્યા ન કરવું. એનું નિરાકરણ ચોક્કસ થશે, પણ હા ! મારા સમયે, તમારા સમયે નહીં !

[2] તમે ધંધાની કોઈ આફતમાં ઘેરાઈ જાવ તો મૂંઝવણ ન અનુભવશો. ફકત એવા માણસોને યાદ કરજો કે જેની પાસે ધંધો જ નથી.

[3] ટ્રાફિકમાં ક્યારેય પણ ફસાવ તો અધીરા ન થશો, એવા લોકોને યાદ કરજો કે જેને માટે કાર ચલાવવી એ એક પરીકથાની વસ્તુ જેવું હોય।.

[4] તમારા શેઠ કે સાહેબ તમને ક્યારેક ખિજાય તો એવા માણસોનો વિચાર કરજો કે જેમના નસીબમાં કામ કે નોકરીમાં કામ કે નોકરી લખાયા જ ન હોય। જે સાવ બેકાર હોય.

[5] તમારો એકાદ રવિવાર કે રજા ખરાબ જાય તો દુ:ખી થવાને બદલે એવા લોકોનું સ્મરણ કરી લેજો કે જેને કુટુંબનું પેટ ભરવા માટે રોજેરોજ કપરી મજૂરી કરવી પડતી હોય। જેનો એક પણ રવિવાર રજાનો દિવસ જ ન હોય.

[6] ક્યારેક વાહન વગર ચાલવાનું થાય તો અફસોસના બદલે બંને પગે જેને પૅરાલિસિસ કે લકવો થયો હોય તેવી વ્યક્તિને યાદ કરજો. એમને એકાદ ડગલું પણ ચાલવા મળે તો એ લોકો કેટલો આનંદ પામે એનો વિચાર કરજો.

[7] તમારી જિંદગીએ તમને શું આપ્યું છે એવો વિચાર કદીકેય આવે તો એવા લોકોને યાદ કરજો જે તમારા જેટલી ઉંમરે પહોંચ્યા જ ન હોય। એ પહેલાં જ જેને મૃત્યુ આંબી ગયું હોય.

[8] કોઈ તમારી સાથે ખૂબ જ ખરાબ વર્તન કરે, તમારું અપમાન કરે, તમને નુકશાન પહોંચાડે તોપણ ખુશ એ વાતથી થજો કે તમે એ વ્યક્તિ નથી !

[9] કોઈ દિવસ અરીસામાં એકાદ સફેદ વાળ જોઈ જાવ તો કૅન્સરથી પીડાતાં નાનાં બાળકો કે નાની ઉંમરની વ્યક્તિઓને યાદ કરજો કે જે પોતાને વાળ હોય તેવી આશા રાખતાં હોય.

અને છેલ્લે હું તમારા પ્રશ્નોનું નિરાકરણ કરીશ જ, વિશ્વાસ રાખજો. પણ ત્યાં સુધીમાં જો તમને આ બાબતો ગમી હોય તો તમારા મિત્રોને સગાંવહાલાંને મોકલજો અને એમનો દિવસ પણ સુધારજો અને એ લોકો પણ નિશ્ચિંત થઈ જાય તેવું કરજો.

એ જ લિ,ભગવાનની આશિષ


Thursday, February 28, 2008

45)



આજે સાતમ
૧૯૯૬ ની સાતમે મારા પપ્પા ને મારા થી છીનવી લીધા હતા.એ દિવસ હજી પણ નજર સમક્ષ છે. એક એક ક્ષણ મને યાદ છે..આગલા દિવસે મને કહ્યુ હતુ મારે એકલા એ ઉપર જાવાનું ..તમે બધા અહિયા જ રહેશો..જોજે હુ ધક્કો મારીશ ઉપરવાળાને .પણ એની પાસે કોનુ ચાલ્યુ છે કે મારા પપ્પ્પા નું ચાલે ?અને આખરે કાળ એમને ભરખી ગયો..આજે એમની વાત કાઢવા ની ઇછ્છા એટલા માટે થઈ કારણ તેઓ પણ તમને બધાને મલે અને જોવે કે એમની દિકરી એ બ્લોગ બનાવ્યો..આજે કેટલાં જણા એમની દિકરી ને ઓળખે છે પણ ...મારા જીવ નાં સંતોષ ખાતર જ સહી.. મને ખબર છે કે એક વાર જાય એ પાછુ વળી ને જોતા નથી ..પણ આપણે તો યાદ કરી શકીયે ને...તો આજે મરા બધા નવા friends ને મલાવા લઈ આવી મારા પપ્પા ને...પછી મે એમની માટે એક પત્ર લખ્યો એ તમને વંચાવુ છુ... આમાં થી એક ફોટો મારા લગ્ન સમય ની વિદાઈ નો છે.
19/8/२०००
પ્રિય પ્રિય પપ્પા
પપ્પા આજે તમારી બહુ યાદ આવે છે. રોજ યાદ આવે છે, પણ આજે વધારે જ આવે છે.. બહુ વાર સાંજે કેટલી વાર આકાશ સામે જોતી ઉભી રહુ છુ કે જો તમે અમને છોડી ને ઉપર ગયા હો તો ક્યારેક તો તમારુ મોઢુ અમને જોવા મલશે ને, પણ તમે કોઇ દિવસ પણ ત્યાં ની બારી માંથી ડોકિયું કાઢતા જ નથી. તમારા વગર નું ઘર ગમતુ નથી પપ્પા.
કેમ ચાલ્યા જાય, તે લોકો જોવા નથી મલતા,,તમારા વગર તમારા જેવુ કોઇ લાડ નથી લડાવતુ। પપ્પા એક વાર તો માથા પર હાથ ફેરવીને જેમ પહેલા સુવડાવતા હતા એમ સુવડાવો। લગ્ન થયા ત્યાં સુધી મારા માથા પર હાથ ફેરવતા હતા તમે,
હવે કોણ ફેરવશે?
પપ્પા એક વાર મોઢુ તો બતાડો ।
પપ્પા MISSSSSSS UUUUUUUUU
તમને ખુબ પ્રેમ કરવાવાળી તમારી દિકરી॥
..
ક્યારેક એમ થાય કે
હે પ્રભુ તારો પણ કોઇ ઇમેઇલ આઈડી હોત...
ભલે તને સમય ન હોત તો પણ અમે અમારા પોતાનાં ઓ સાથે વાત તો કરી શકત.
કેવુ લાગત જો મારા નામ નીચ્ચે લખ્યુ હોત પપ્પા.
અને અચાનક ત્યા લીલી લાઈટ જોવા મલત॥અને હુ બુમો પાડીને બધાને ભેગા કરત કે...
જલ્દી આવો પપ્પા ઓનલાઈન છે.
પણ તારા હિસાબ બરોબર છે.
જો તારો આઈડી હોત તો આ સંસાર નું શું થાત?
હમણા ઇછ્છુ કે પપ્પા હોય જ ક્યાકં ઓનલાઈન ,
પણ કયાં સ્વરુપે જન્મ મલ્યો છે ખબર નથી.
જ્યાં હો ત્યાં તમને દુનીયાં ભર નું સુખ મલે અને ખુશી મલે.
એ જ પ્રાર્થનાં
.


Sunday, February 17, 2008

44)
" મારી દીકરીનાંલગ્ન ની સાંજી રાખી છે.તો જરુર થી આવજો"પ્રિયા નો ફોન હતો.
દીકરી5th માં હતી ત્યારથી જ એણે એને યુએસએ ભણવા મોકલી હતી.
જ્યારે મલે ત્યારે એ દિકરી ની વાત કરતી ન થાકતી..ભગવાને પૈસો એટલો આપ્યો હતો કે ખુટ્યો ખુટે એમ ન હતો.એ જ્યારે મલતી ત્યારે કહેતી કે મારી દીકરીજાણે કાચની પુતળી...હંમેશા એની દીકરીને જોવાની ઇછ્છા થાતી..આજે મોકો મલ્યો હતો.હજી ગઈકાલે દીકરીઆવી હતી બે દિવસ માં લગ્ન લેવાના હતા .અને અઠવાડીયાં માં તો એ પાછી જાવાની હતી..પ્રિયા ની ઇછ્છા હતી કે લગ્ન તો ભારત ની ભુમી પર જ રીત રીવાજ સાથે જ થાવા જોઈયે..મમ્મી ની ઇછ્છા ને માન આપીને લગ્ન આખરે મુંબઈ માં નક્કી થયા. અને આજે એમણે સાંજી રાખી હતી..હોંશ હરખ તો માતો ન હતો..અને એમનાં ઘરે જઈને જોયુ તો સાચ્ચે જ દીકરીતો જાણે કાચની પરી..
બધા ગોઠવાણા પોતપોતાની જગ્યા પર્ર અને સાંજી ગાવા વાળા ઓ એ લગ્ન ગીત ચાલુ કર્યા..


ગણેશ પાટ બેસાડીયે,ભલા નિપજે પકવા...ન
સગા-સંબંધી ને તેડીયે..જો પુજ્યા હોય મુરાર


એ ગીત પત્યુ અને બીજુ ચાલુ કર્યુ..


ગુલાલ વાડી ચૌટા માં રોપાવો રે...
ચારે કંકોતરી ચારે દેશ મોકલાવો રે..

અને ત્યા ગીત ગાવા વાળા બેન અટ્ક્યા અને દીકરીને કહે કે "તુમ્હે પતા ચલા મૈ ક્યા ગા રહી હુ..મૈને ગાયા કી તુમ્હારા શાદી કા જો card હૈ ન વો ચાર દેશ મે સે સબ અપને રિશ્તે દારો કો બુલાને કે લીયે ભેજો..અને પછી બીજી લાઈન ચાલુ કરી અને પાછુ એનું ભાષાતંર કર્યુ..મને એટલુ અચરજ થયુ કે આ દીકરીજે કાંચ ની પુતળી છે એને ગુજરાતી સમજાતુ જ નથી..આમને આમ બે ગીત પુરા થયા ભાષાતંર કરતા કરતા..જે હોંશ સાથે હુ સાંભળવા ગઈ હતી એ બધુ ભુક્કો થઈ ગયુ..મને દુઃખ થાતુ હતુ કે આ શુ?આટલી હદ સુધી ગુજરાતી ન આવડે ..માન્યુ કે ચલો કોઇક કોઇક શબ્દ ન આવડે પણ આ તો આખી પોતાની ભાષા જ ન આવડે ..હદ થઈ ગઈ..મને યાદ આવી આપણી વાતો કે જે આપણે બ્લોગ પર અવારનવાર વાંચતા હોઈયે છીયે કે આપણી ભાષા બચાવો. અને અહીયાં તો ગુજરાતી ઘર ની દીકરીને જરા પણ ગુજરાતી નહોતુ આવડતુ..સહન થાતુ ન હતૂ મારાથી .એટલે બહાનુ કાઢીને ઘરે આવી ગઈ..પણ મન ચકરાવે ચડી ગયુ.કે આવા કેટલાં એ બાળકો હશે આપણા ગુજરાતી ઘરો માં જેમને બિલ્કુલ ગુજરાતી નહી આવડતુ હોય્.તો કમસેકમ આપણે આપણા ઘર માં તો પહેલાં નજર કરી જ લઈયે કે ક્યાંક દીવા તલે અંધારુ તો નથી ને..અને ઘર માં આવીને મે મારી દીકરીઓ પર સવાલો નો વરસાદ ચાલુ કરી નાખ્યો..તો થોડુ અંધારુ તો મારા ઘર માં પણ મને દેખાણુ ..એટલે નક્કી કર્યુ કે જેટલુ બને એટલુ વાતો વાતો માં દીકરીઓ ને જેટલુ નથી આવડતુ એ શીખડાવી ને જ રહીશ..આપ પણ બધા નજર ફેરવી જ લેજો. કે આપણા બાળકો ને કેટલુ આવડે છે .અને જો ન આવડતુ હોય તો એમાં એમનો વાંક ન કાઢતાં .કારણ એમાં ભુલ આપણી જ છે..અને એમને હવે સોટી લઈને ભણવા નહી બેસાડાય..પણ વાત વાત માં જેટલુ શીખડાવી શકો જરુર થી શીખડાવજો ..


Thursday, February 14, 2008

43_
........
14/feb/2008

પ્રેમ માં ગળાડુબ રહેવુ સૌને ગમે છે,
સાથે લોકોની મજાક થી બચવુ પણ પડે છે..

પ્રેમ માં પડે છે કોઇ, એમ કેમ બોલાય છે?
પ્રેમ માં તો આસમાન પર પ્રેમી ઓ ચડે છે.

પ્રેમ માં મસ્ત બનીને ફરવુ બધાને ગમે છે,
પણ પ્રેમ માં વફાદારી કેટલાં નીભાવે છે?

સાથી નાં હ્રદય ની લાગણી ઓની ખબર પણ નથી હોતી ,
અનેપ્રેમ છે પ્રેમ છે ,બુમો પાડ્યા કરે છે.

એક દિવસ ફક્ત હોતો નથી, પ્રેમ જતાવવાનોં દોસ્તો
દિવસ રાત પ્રેમી ઓ પ્રેમ માં ઝુર્યા કરે છે...

આંધળા અનુકરણ ની દોટ મુકી છે આપણે તો,
હ્રદય ને સંભાળવાની કદર પણ હોતી નથી .

ક્રુષણ એ કર્યો પ્રેમ,
રાધા સાથે, મીરા સાથે,
અર્જુન સાથે,બલરામ સાથે,
રુક્ષમણી સાથે કુંતી સાથે ,
ભીષ્મપીતામહ સાથે,
યશોદા મૈયા સાથે,દેવકી માતા સાથે,
અને હજારો લાખો ગોપી ઓ સાથે
છતા કોઈયે એની ખેંચાતાણી કદી કરી નહી.

આપણે તો, એક નજર પણ જો કોઈને જોઇ લે આપણો સાથી,
તો સાથ છોડવા પર આવી જાઈયે છીયે.


Sunday, February 10, 2008

42)
...
કાલે જરા બહાર જાવાનું થયુ। રસ્તા પર ચાલતી હતી અને બધુ જોતી હતી।ત્યાં એક રીક્ષા વાળા એ પાન નીં થુંક ફેકીં ।અને મારુ જાવાનું ત્યારે જ થયું। અને મારા કપડા ની સત્યાનાશી થઈ ગઈ।મે એની સામે જોયું । તો એણે sorry sorry કહ્યુ।મે કહ્યુ"ભાઈ તેં મને તો આજે sorry કહી દીધુ। ને હુ તને માફ પણ કરી દઈશ. પણ એક શર્ત છે. જો તુ ઈ માને તો॥"બિચારા ની હાલત એટલી ખરાબ હતી કે એણે કહ્યુ બધુ મંજુર છે.મે કહ્યુ "ઠીક છે તો સાંભળ, તુ રોજ જેનાં પર થુંકે છે એ તને કોઇ ફરિયાદ નથી કરતી. પણ તારે, જેટલી વાર તુ થુંકે તારે એની માફી માંગવાની. તને ના નથી કોઈ વાત ની. પણ તુ મને વચન આપ તો હુ તને માફ કરું."એ સમજ્યો નહીં.મે કહ્યુ "તુ નાનો હતો ત્યારે તને ખબર ન હતી અને તુ તારા માતા નાં ખોળા માં જ બધુ કરી નાંખતો હતો. તારી માતા તને પ્રેમ થી સંભાળતી હતી અને બધુ સાફ કરી નાંખતી હતી. પણ જો તે એના મોઢા પર કોઇ દિવસ થુંક્યુ હોત તો એ પણ એક તમાચૉ ઠોકી દેત.તો આ ધરતી માતા પર તુ કેમ આટલુ રોજ થુંકે છે.આટલો એ ભાર ઉપાડે છે તારો, અને તુ એનો ઉપકાર માનવા ની બદલી માં હજી આવી રીતે વર્તે છે." આ વાત કેટલાં વર્ષો પહેલાં બાપુ ની કથા માં સાંભળી હતી જે આજે કામ લાગી ગઈ.
એ નીચું મોઢુ કરી ને સાંભળતો હતો। અને ત્યાં થોડી ભીડ પણ જમા થઈ ગઈ હતી. એમાં કેટલા સારા ઘરનાં ગુજરાતી ઘરનાં લોકો પણ હતાં. જેમનાં મોઢા માં મસાલા નાં ડુચ્ચા હતાં, મે જોયુ કેટ્લા લોકો એ બધુ ગળા નીચે પધરાવી દીધું. મને એમ થયુ કે ચાલો મારુ બોલવુ સફળ .કાલે યાદ રહેશે કે નહી ખબર નથી પણ આજે તો અસર થઈ.આવું કેટ કેટલું થાતુ હોય છે આપણી આજુ બાજુ.પણ આપણે આંખ આડા કાન કરીયે છીયે.તો શુ આપણે પણ એમનાં જેટલા જ ગુન્હા માં નથી. આપણે વિચારીયે છીયે કે આપણો દેશ બહારનાં દેશ જેટલો સાફ સુથરો નથી. તો એ કરવામાં આપણી જવાબદારી કાંઇ નહી.
જ્યારે આપણા બાળકો બહારનાં દેશ માં એક વાર જઈ ને આવે છે પછી એમનેં ભારત દેશ ગમતો નથી.
આમાં ખાલી સરકાર ને દોષ આપવાથી કાંઇ નહી થાય. આપણે બધાએ સાથે મલીને કાંઈક કરવુ પડ્શે. ચલો કદાચ બહારનાં લોકો સાથે ચર્ચા કરવી આપને ન ફાવતી હોય તો કમસેકમ આપણે આપણા બાળકો ને આપણા સંબધી માં બેઠા હોઈયે ત્યારે આ ચર્ચા તો કરી શકીયે ને॥આપણો ભારત, મહાન દેશ છે. આપણે હજી એને બધી રીતે સરસ બનાવવાનો છે. જો બધા થોડી થોડી જવાબદારી ઉપાડી લે તો કેટલુ સારુ.




Thursday, February 7, 2008

41)

Download the original attachment
“ પુનર્લેખન અને સંપાદનની માયાજાળ...
મુંબઇ સમાચારમાં આ લેખ દ્વારા આપણા સન્માનન્નીય લેખિકા ધીરુબહેન પટેલે પોતાની વ્યથા વ્યક્ત કરી છે.સાહિત્યજગતને ધીરુબહેનનો પરિચય આપવાનો ન હોય.
સંગીતક્ષેત્રે રિમીકસની બોલબાલા છે તો સાહિત્યમાં કેમ નહીં ? એ માટે જોઇએ ફકત સાહસ વૃતિ...તમે જે કંઇ કરો તેને વાહ! વાહ ! થી વધાવી લેનારા ચાર,ચૌદ કે ચોવીસ કાંધિયા. જોઇએ...બસ સવારી ઉપડી..આડુઅવળુ જોવાની, જરીકે થંભવાની કે પાછળ ઊડતા ધૂળના ગોટા ગણવાની કશી જરૂર નહીં. આત્મનિરીક્ષણ ને એવી તેવી નમાલી પંચાતમાં પડો જ નહીં... બસ..આગે બઢો...દુનિયા તમારી જયજયકાર કરશે.
પ્રેરણા, પ્રતિભા અને પ્રચંડ પુરુષાર્થથી જે સાહિત્યકૃતિ જન્મી તેનું પુનર્લેખન કરતા વાર કેટલી ? થોડી કાપકૂપ કરો, ભાષાના વાઘા બદલો,કોઇ દયાળુ પ્રકાશક શોધી કાઢો..બસ બેડો પાર. હવેથી એ કૃતિ તમારી. એના પર સમગ્ર અધિકાર તમારા. મૂળ લેખક કયા ખૂણામાં બેઠો બેઠો ઝોકા ખાય છે એ જોવાનું કામ તમારું નથી.પુનર્લેખન કેવો જાદુઇ શબ્દ છે.! આહા! જેને એ કળા આવડી તેને વિક્રય અને વિતરણ આપોઆપ આવડે જ. અરે, ભાઇ, પેલા દળદરી મૂળ લેખકને પનારે પડી રહી હોત તો એ કૃતિ સફળતાના આવા ઉંચા આભને સ્પર્શી શકી હોત ? તમે તો પરાક્રમ કર્યું છે.,પરોપકાર કર્યો છે..મૂળ લેખકનું નામ ખોવાઇ જાય એમાં કશો વાંધો નહીં. સાહિત્યકારને વળી કીર્તિનો મોહ હોતો હશે ? એનું મન ધનમાં નહીં લેખનમાં જ અટવાયેલું રહેવું જોઇએ. વેરાગીની કંથામાંથી તમે એકાદ બે ચીંદરડી ખેંચી લીધી એમાં કશો દોષ નથી. એટલું તમારી જાતને અને જગતને સમજાવી દો એટલે બસ..મામલો પતી ગયો.મગદૂર છે કોઇની કે તમારી સામે આંગળી ચીન્ધે ?
આ કામ તમે ધારો છો તેટલું મુશ્કેલ નથી. કારણકે પ્રકાશકો પણ તમારા જેવા ઉધ્યમી અને અંતરાત્માની ખટપટ વિનાના લહિયા...સોરી..લેખકોની શોધમાં જ હોય છે. એમને એમનો વ્યાપાર ચાલુ રાખવાનો હોય છે. એટલે માલની અછત પાછી પરવડે નહીં. તેથી કેટલીક વાર તેઓ પોતે જ અંગુલિનિર્દેશ કરતા હોય છે કે ક ઇ નધણિયાતી જમીનમાં ખોદકામ કરવાથી કીમતી ધાતુ મળી આવશે. પ્રકાશકો જાણતા હોય છે કે લેખકોને તેમના વિના ચાલવાનું નથી. તેથી તેમની શરતો મોટે ભાગે મંજૂર થઇ જતી હોય છે.
હવે સંચયનો વિચાર કરીએ..કુશળ મુકાદમ જેમ મજૂરોને પકડી લાવે છે અને સાંજ પડયે દનિયુ આપીને રવાના કરી દે છે તેમ સંચયકાર કેટલાક લેખકોને શોધી કાઢે છે અને પ્રકાશકો દ્વારા પાંચ પચાસનું ફરફરિયુ અને છપાયેલી કૃતિની એકાદ નકલ મોકલી આત્મસંતુષ્ટિ અનુભવે છે. અહીં એક વિદ્વતાપૂર્ણ પ્રસ્તાવના લખવાનો શ્રમ લેવો પડે છે. પણ બદલામાં પોતાની જીવનઝરમરમાં બે ચાર નવા પુસ્તકોના નામ ઉમેરાય છે તે ફાયદો કંઇ જેવો તેવો છે ? આખરેતો યાદી જેટલી લાંબી તેટલા તમે મહાવિદ્વાન..! જોકે આ સંચયકારો પાપ કરતા પાછુ વાળીને જોવાના સંપ્રદાયના છે. તે લેખકોના નામનો સમૂળગો લોપ થવા દેતા નથી. કદાચ એ નામોના ઉંજણ વડે તેમની ગાડી સડસડાટ દોડે છે.
સંપાદન એટલે સંચયના કાકાનો દીકરો. કુળ એક મૂળ એક. પ્રથમાક્ષર એક..અને એને માથે મૂકાતું મીંડુ એક. કોઇ કહેશે કાળગ્રસ્ત થઇ ગયેલ કૃતિઓ શોધી,એના હાલી ગયેલ હાડકા- પાંસળા ઠીક કરી એમાં રહેલ સાહિત્યતત્વ તરફ ધ્યાન દોરવું અને હાલના વાચકો તથા લેખકોને એના અમૂલ્ય વારસાથી અવગત કરવા એ શું સારું કામ નથી ?છે..સાડી સાત વાર છે. પણ આમાં શબ્દ બદલાઇ જાય છે. અલબત્ત આમાં ત્રણ સ્થાને “સ “ બિરાજે છે. અને તે પણ બિંદુરૂપી મુગટ સાથે.,પરંતુ ‘સંશોધક’ નામ પડતાની સાથે આપણો અભિગમ બદલાઇ જાય છે. આ તો વિદ્વાનો છે. એમની પ્રીતિ ભાષા પ્રત્યે, સાહિત્ય પ્રત્યે અને દિવંગત લેખકો પ્રત્યે છે. પોતાની કીર્તિ ના વિસ્તાર પ્રત્યે નહીં. તેઓ પરિશ્રમ કરી જાણે છે. અને એકાગ્રતા એ તેમનો સ્વભાવ છે. આપણે તેમને પ્રણામ કરીએ અને એમનું પ્રદાન મૂલવતા શીખીએ.
આપ્ને ચેતતા રહેવાનું છે તે સૂંઠને ગાંગડે ગાંધી થઇ બેસેલા સંચયકારો અને સંપાદનકારોથી. આપણે ઓળખી લેવાના છે પુનર્લેખનના કલાધરોને..જો આપણે વેળાસર નહીં જાગીએ તો આપણી રસાળ,ફળદ્રૂપ જમીન પર આ વિરાટ સ્ટીમ રોલરો ફરી વળશે અને એક વખત એવો આવશે કે આનંદ,આંસુ ,રુધિર અને એકલતાથી રચાયેલ સર્જનાત્મક સાહિત્યના રાજમાર્ગને સમજુ માણસો દૂરથી જ નમસ્કાર કરી દેશે. અને જીવવા માટેના અનેક શાણપણ ભર્યા વિકલ્પોમાંથી એકાદ પસંદ કરી લેશે.
આપણને એ પોસાશે ?
ધીરુબહેન પટેલ.


Sunday, January 13, 2008

40)
....
મન વગર,
મગજ વગર,
માણસો વગર,
મતલબ વગર
મથામણ વગર,
મથાળા વગર,
મનોરંજન વગર,
મનોવિકાર વગર્,
મહેફિલ વગર્,
અને ખાસ તો
મોબાઈલ વગર
મારે એક દિવસ જીવવુ છે.
શું આ ઈછ્છા પુરી થાશે?
કે પછી મારી જિંદગી ની ઇછ્છા
મ્રુત્યુ પછી જ પુરી થાશે.


Wednesday, January 9, 2008

39)
....
તારી તસ્વીર મેં ચુમી હજારો વાર,
તારી તસ્વીર હ્રદય થી લગાડી હજારો વાર.
કેટ કેટલી વાતો કરી મે તારી તસ્વીર સાથે .
પણ તુ, ચુપ છો.

રિસાણી હતી તુ મારાથી, કેટ કેટલી મે મનાવી તને.
હસતો ચહેરો છે તારો તસ્વીર માં,
પણ બોલતી નથી કાંઇ,
કેમ, તુ ચુપ છો?

નાદાન છુ,પ્રેમાળ છુ. પાગલ છુ તારા પ્રેમ માં,
નથી જોઇતુ કાંઇ વધારે પણ સહેવાસ તો આપજે તારો
કેટ કેટલું માંગુ છુ,
પણ છતા, તુ ચુપ છો.

રહી શકે છે કેવી રીતે દુર મારાથી તુ ,
હુ તો પળે પળે મરુ છુ તારી જુદાઈ માં.
મારા તડપ નો અહેસાસ છે તને,
પણ છતા તુ ચુપ છો.
N. 09/01/2008


Sunday, January 6, 2008

38)
....
આવ મારી પાસે જો, હું તને પ્રેમ કરુ.
મારા કરતાં વિશેષ, હું તને પ્રેમ કરુ.

વ્યકત કરવામાં ભુલ થઈ ગઈ મારી ,
પણ બાંધી જો સંબધ મારી સાથે,
જો હું તને કેવો પ્રેમ કરુ.

હાસ્ય થી જીવન ભરી દઈશ ,
દુઃખ તારા બધા ભુલાવી દઈશ.
મારી અંદર દર્દ હશે કેટલુ પણ .
તોય જોજે, હું તને કેવો પ્રેમ કરુ.

કયો શ્વાસ છેલ્લો હશે કોને ખબર છે,
ઐ દોસ્ત,મારી ભુલો ભુલી જો ,
પછી જો, હું તને કેવો પ્રેમ કરુ.


Friday, January 4, 2008

37)
....
હમરાઝ
માણસ નાં સમુહ માં માણસ ને ગોતુ છુ,
હુ મારી માટે એક હમરાઝ ગોતુ છુ.

શ્વાસો નાં સમુંદર માં એવા શ્વાસ ને ગોતુ છુ,
જે મારી માટે જીવી હોય, એવી એક ક્ષણ ગોતુ છુ.

પોતાનાં ઓ નાં ટોળા છે,
પણ પારકા માં ગોતુ છુ.
પોતાનાં કહી શકાય એવા, એક જ ઇન્સાન ને ગોતુ છુ.

હમરાઝ, હમસફર,હમદર્દ અને એક મયખાનુ ગોતુ છુ.
જ્યાં હ્રદય ખાલી થાય, એવુ એક હ્રદય ગોતુ છુ.


Tuesday, January 1, 2008

37)
...
થોડા SMS જે મને ખુબ જ ગમે છે.


**** WE LOVE OUR SELF EVEN AFTER DOING MISTAKES...
THEN HOW CAN WE HATE OTHERS FOR THEIR MAISTAKES..
STRANGE BUT TRUE.*****

***** A THOUGHT :
"NEVER EXPLAIN YOURSELF TO ANYONE..
B'COZ THE PERSON WHO LIKES YOU DOESN'T NEED
&
THE PERSON WHO DISLIKE U WON'T BELIVE IT *****

*****DO U KNOE WHICH IS THE LOVELIEST PART OF LIFE...?
"WHEN YOUR FAMILY BECOMES YOUR FRIEND,
&
YOUR FRIENDS BECOME YOUR FAMILY*******

*******DON'T GO THE WAY LIFE TAKES U,
TAKE LIFE THE WAY YOU WANNA GO,
REMEMBR U R ' BORN TO LIVE '
NOT LIVING BCOZ U R BORN...******

********A LIFETIME THOUGHT...
"ALWAYS TRY YOUR BEST TO GET WHATEVER U LOVE..
OTHERWISE....
U WILL BE FORCED TO LOVE WHATEVER U GET..."****
PAST IS AN EXPERIENCE....
PRESENT IS AN EXPERIMENT..
FUTURE IS AN EXPECTATION..

USE YOUR EXPERIENCE IN YOUR EXPERIMENT 2 ACHIVE
YOUR EXPECTETIONS & ENJOY LIFE***
****


Tuesday, December 18, 2007

36)
...
ચાલો દોસ્તો અને મારી પ્રિય સખી ઓ,
આજે હુ જાઉ છુ દિલ્હી , જાત્રા કરવાં અને સાથે ફરવા.
બહાર નીકળીયે એટલે પાછા આવીયે ત્યારે સાચ્ચા.
નહી તો રામ બોલો ભાઇ રામ તો છે જ.
કોઇનેં પણ મારી વાત નુ, જાણતાં, અજાણતાં દુઃખ થયુ હોય તો હ્રદય થી માફી માંગુ છુ.
અને જો પાછી આવીશ તો હજી વધારે પકાવીસ અને હેરાન કરીશ હજી વધારે.
અને કોઇને ઇછ્છા થાય ને હુ યાદ આવુ તો મને mail કરજો. આવીનેં વાચીશ. અને જવાબ આપીશ. missssssssss uuuuuuuuu allllllllll
with loooooooooooooots of love नीता।
N.


Saturday, December 15, 2007

35)
...
આવી જા


આ જિંદગી સુની વેરાન છે આવી જા,
આ મૌત પણ હવે બેતાબ છે આવી જા.

આ નયનો ને તારી જ રાહ છે આવી જા,
આ અશ્રુ પણ દુનીયાં ડુબાવશે આવી જા.

એક જ હવે તો આશ છે આવી જા ,
આ મનને કરવાં છે દિદાર તુ આવી જા.

બસ હવે મૌત ની અમાનત થઈ ચુકી છુ, સમજી લે,
અરે મારા જનાઝાં માં તો, હવે તુ આવી જા.
N.
********************************************************
સાગર

સાગરે ભળાવી પોતાનાં માં નદી ને,
તે મને તારા માં ભળાવી નહી .
કાં તુ સાગર બરોબર ન હતો ,
કાં હુ નદી બરોબર ન હતી.
તારી યાદ માં હુ જીવે રાખુ છુ ,
અને તારી જુદાઈ માં તડપે રાખું છુ.
તે મને તારી બનાવી નહી ,
પણ હુ હંમેશા તને હ્રદય માં રાખુ છુ.
એટલે તો કહુ છુ કે.
કાં તુ સાગર બરોબર ન હતો,
કાં હુ નદી બરોબર ન હતી.
N.


Thursday, December 13, 2007

34)
...
મુલાકાત


મહાલક્ષમી જાવાનુ નક્કી થયું. નીલાદીદી ને મલવાનુ થયુ. ખુબ ગમ્યુ. છુટ્ટુ પડવુ ગમતુ ન હતુ. પણ પડવુ પડ્યુ.
પણ આ મશીન (કોમ્પુટર)ની આભારી હંમેશા રહીશ કે આટ્લા સારા લોકો સાથે ઓળખાણ કરાવી.
નીલા દીદી સાથે મલીને એમ થયુ કે હુ કોઇ ૪૦ વર્ષ નાં બેન ને મલુ છુ. ખુબ ગમ્યુ.
નીલા દીદી એટલે બ્લોગ ની દુનીયા નાં પહેલા વ્યકતી કે જેમની
સાથે મુલાકાત થઈ.
અને જે સફળ અને સરસ બન્ને રહી .સફળ એટલે કહીશ કે નીલા દીદી ને પણ મારો સાથ ગમ્યો. કારણ નવા વ્યકતી ને મલીયે ત્યારે સૌથી વધારે ચીંતા હોય કે આપણે એમને ગમશુ કે નહી. અને સરસ એટલે કહીશ કે અમે મહાલક્ષમી મંદિર માં બેસીને ભજન ગાયુ, અને ખાસ તો છુટ્ટા પડતા વખતે છુટ્ટુ પડવુ ગમતુ ન હતુ. દીદી આભાર, મારુ માનીને તમે મને મલવા આવ્યા.તમને કદાચ હુ સમજાવી નહી શકુ કે મને કેટલો આનંદ થયો છે. નીલા દીદી, મને તમે ખુબ ગમ્યા. અને હવે મારે હજી બ્લોગ ની દુનીયાં નાં બહુ બધા લોકોને મલવુ છે. આપનો પ્રેમ અને આપનાં આશિર્વાદ હંમેશા મારા પર રાખશો. મલતા રહેજો આમ જ.
એ લાગણી થી ભરેલી મુલાકાત હુ જિંદગીભર નહી ભુલુ.
N.


Wednesday, December 12, 2007

33)
...
ચક્રવ્યુહ્
...