Nawya.in

nawya

Monday, August 6, 2012

બા, શું કહુ ? તમને ગયે ૩૬૫ દિવસ વીતી ગયા , પહેલા જ્યારે તમે દર વર્ષે બાપુજી ની તીથી નાં દિવસે કહેતા " નીતા, ૩૦ વર્ષ થયા તારા સસરા ને ગયે, જો હું હજી જીવુ છુ, બા જુઓ હવે અમારે એમ કહેવાનું આવ્યું કે  " બા ને એક વર્ષ થઈ ગયું. ગયા વર્ષે ચોથ નાં રાતનાં અઢી વાગે ડોકટરે જાહેર કર્યું કે બા હવે નથી રહ્યાં.. અને ગઈ કાલે રાત્રે અઢી વાગે મારી નિંદર ઉડી ગઇ. સાળા ત્રણ સુધી પાછી નિંદર ન આવી , એ જ બધુ યાદ આવતુ હતુ, પછી  આંખ લાગી ને જાણે તમે મારી સામે ઉભા હતા. અને મને કહ્યુ" નીતા ઊઠ , નાનકી નો કોલેજ નો સમય થઈ ગયો એને ઉઠાડવી નથી તારે. પછી તમારા દીકરા પાસે ગયા એમનાં માથા પર હાથ ફેરવ્યો, પછી બંને દીકરી ઓ નાં માથા પર હાથ ફેરવ્યો , હું તમને જોતી હતી ત્યાં તમે દેખાતા બંધ થયા ને હુ પાછી તમને ગોતવા બીજી રુમમાં આવી અને હર વખત ની જેમ નાના રસોડામાં આપણે બંને ભટકાણા, અને હું કાંઇ કહુ ત્યાં તો મારી નીંદર ઉડી ગઇ, બા તમે મારી સાથે જ છો અને હંમેશ રહેશો,, miss uuuu બા....



4 comments:

Anonymous said...

Maari paashe shabdo j nathi
Etlu hraday sparshi lakhyu che
em lagyu jaane hoon pan ej ghar maa hati ...ne tamne banney ne kitchen ma bhatkaayi...
maanas chalya jaay pachi vadhaarey yaad aavey che...

aa darek na jeevan ni sacchayi che

lakhta rehjo..vaanchvu gamshey...!

~Meghna

Anonymous said...

નીતા, તેં તથા તારા સમગ્ર કુટુંબે બાની આંતરડી ઠારી છે. તમે સહુ સુખી થાવ એ તેમની અંતરની ઈચ્છા હતી. તેમનો આત્મા સદા આશિષ વરસાવે છે

જય શ્રી કૃષ્ણ

પ્રવિણા અવિનાશ

Anonymous said...

નીતા... બા પ્રત્યેની તારી લાગણી અદભૂત છે ... સાસુ વહુ નહી જાણે કે મા દીકરી .... બા સદૈવ તારી સાથે જ છે . કેમ કે , તું એમની વહાલી દીકરી છો ....

Unknown said...

God bless Baa's Soul.