13)
...
સ્વાર્થ્
....
દુનીયાંમાં સ્વાર્થ અને સ્વાર્થી પણા એ માજા મુકી છે.
એટલો હદ ની બહાર સ્વાર્થ વધી ગયો છે.
આપણને વિચાર આવે કે આપણે શુ કામ જીવીયે છીયે?
કાં આ દુનીયાં આપણૅ લાયક નથી અથવા
આપણે દુનીયા ને લાયક નથી.
આજે બધા ને ફક્ત પોતાના બાળકો ની ચીંતા છે.
કુંટુબ માં કોણ દુ;ખી છે એનાથી કોઈ ને કાંઈ ફરક પડતો નથી.
પહેલા પડતા માણસ ને કોઈ પડવા ન દેતુ.
આજે પડતા માણસ ને પાછળ થી ધક્કો મારવા વાળા ની સંખ્યા વધી ગઈ છે.
આ ફકત વાતો નથી પણ હકિકત છે. બે દિવસ પહેલા મે એક એવી વાત સાંભળી.કે મારુ
હ્ર્દય રડી ઉઠ્યુ કે આટલી હદ સુધી દુનીયા માં સ્વાર્થ વધી ગયો છે?
ઍક બહેન બીજા બહેન ને કહેતા હતા કે "અરે શુ કહુ તને, મારે તો એટલી હેરાન ગતી છે કે પુછ
નહી. મારા ભાભી ગુજરી ગયા એ તો તને ખબર છે ને ? હવે એ એમની પાછળ ઍંમની દીકરી
અને મારા ભાઈ ને મુકી ગયા. "
મને એમ થયુ કે હુ પુછી લઉ કે એ સાથે કેવી રીતે લઈ ને જાય?
ત્યા એ બહેન બોલ્યા કે "ત્યારથી મારો ભાઈ અને એની દીકરી મારા ઘરે જમે છે . એ મને
મહિના નાં પૈસા પણ આપી દે છે . પણ તોય હવે આ રોજની લપ નથી ગમતી."
ત્યા ઍની પ્રિય સખી બોલી "કે હા હુ સમજી શકુ છુ. તારી તકલીફ્.હવે આનો કાંઈક રસ્તો બને
એટલો જલ્દી ગોતજે નહી તો જીવન ભર તારે ગળૅ આ લપ વળગશે."
ઍમ થયુ કે બેઈને એક એક તમચો લગાવુ કે અને કહુ કે તારી ભાભી ની જ્ગ્યાએ જો તુ શ્રીજી
ચરણ પામી હોત તારા બાળકો ને સંભાળવા એ તારી ભાભી ની ફરજ કહેવાત.
કેટલી હદ સુધી નો સ્વાર્થ્?
કેટલી હદ સુધી નાં હલ્કા વિચારો.
સ્વાર્થ ની આ દુનીયા બાબા,
સ્વાર્થ નાં અહિયા લોકો.
કેવી દુનીયા માં વસીયે છીયે આપણે
જ્યાં સ્વાર્થ જ બધાનો સગો.
જો હજી હમણા આ હાલ છે તો થોડા વર્ષો પછી શુ શુ સાંભળવા મલશે?
એ વિચારી ને મને હમણા જ ધ્રુજારી છુટૅ છે।
1 comments:
નીતાબેન
તમે સંવેદનશીલતા નથી ગુમાવી માટે તમને આવા વીચાર આવે છે.
Post a Comment